ઈઝરાયેલની એરફોર્સે ગાઝામાં કર્યા ભીષણ હવાઈ હુમલા, અલ અંસાર મસ્જિદને બનાવી નિશાન


  • Published By :
  • Published Date : 2023-10-22 12:14:03

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ દિનપ્રતિદિન લોહિયાળ બની રહ્યું છે. હવે ઇઝરાયલે ગાઝામાં હુમલાઓ તીવ્ર કર્યા છે, આ દરમિયાન ઈઝરાયેલે હમાસના ગઢ મનાતા પશ્ચિમ કાંઠાના વિસ્તાર પર રવિવારે હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે આજે સવારે એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે અલ અંસાર મસ્જિદમાં હમાસના લડવૈયાઓ અહીં છુપાયેલા હતા અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું છે કે હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. એવું કહેવાય છે કે પશ્ચિમ કાંઠે તાજેતરના સમયમાં આ સૌથી મોટો હુમલો છે.


IDF અને ISA એ હુમલો કર્યો


"IDF અને ISA (ઇઝરાયેલ સિક્યોરિટી ઓથોરિટી) એ આ હુમલો કર્યો હતો," IDF એ જણાવ્યું હતું. IDFએ જેનિનમાં અલ-અંસાર મસ્જિદમાં ભૂગર્ભમાં આવેલા આતંકવાદી કમ્પાઉન્ડને નિશાન બનાવીને આ હવાઈ હુમલો કર્યો હતો. "હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ મસ્જિદમાં રહેતા હતા અને તેનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે કરતા હતા." IDF એ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, "આતંકવાદીઓ દ્વારા મસ્જિદનો ઉપયોગ કમાન્ડ સેન્ટર તરીકે હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવા માટે કરવામાં આવતો હતો."


બાતમી મળ્યા બાદ હુમલો


એક સંયુક્ત નિવેદનમાં, ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે IDFએ ગુપ્ત માહિતી મળ્યા પછી જ આ પ્રકારનો હુમલો કર્યો. જો કે આ હુમલાના કાવતરા અંગે ઈઝરાયેલ દ્વારા કોઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, પેલેસ્ટિનિયન ડૉક્ટરોએ કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે  કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના સમયમાં પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો હવાઈ હુમલો છે.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.