ઈઝરાયેલની એરફોર્સે ગાઝામાં કર્યા ભીષણ હવાઈ હુમલા, અલ અંસાર મસ્જિદને બનાવી નિશાન


  • Published By :
  • Published Date : 2023-10-22 12:14:03

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ દિનપ્રતિદિન લોહિયાળ બની રહ્યું છે. હવે ઇઝરાયલે ગાઝામાં હુમલાઓ તીવ્ર કર્યા છે, આ દરમિયાન ઈઝરાયેલે હમાસના ગઢ મનાતા પશ્ચિમ કાંઠાના વિસ્તાર પર રવિવારે હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે આજે સવારે એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે અલ અંસાર મસ્જિદમાં હમાસના લડવૈયાઓ અહીં છુપાયેલા હતા અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું છે કે હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. એવું કહેવાય છે કે પશ્ચિમ કાંઠે તાજેતરના સમયમાં આ સૌથી મોટો હુમલો છે.


IDF અને ISA એ હુમલો કર્યો


"IDF અને ISA (ઇઝરાયેલ સિક્યોરિટી ઓથોરિટી) એ આ હુમલો કર્યો હતો," IDF એ જણાવ્યું હતું. IDFએ જેનિનમાં અલ-અંસાર મસ્જિદમાં ભૂગર્ભમાં આવેલા આતંકવાદી કમ્પાઉન્ડને નિશાન બનાવીને આ હવાઈ હુમલો કર્યો હતો. "હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ મસ્જિદમાં રહેતા હતા અને તેનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે કરતા હતા." IDF એ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, "આતંકવાદીઓ દ્વારા મસ્જિદનો ઉપયોગ કમાન્ડ સેન્ટર તરીકે હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવા માટે કરવામાં આવતો હતો."


બાતમી મળ્યા બાદ હુમલો


એક સંયુક્ત નિવેદનમાં, ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે IDFએ ગુપ્ત માહિતી મળ્યા પછી જ આ પ્રકારનો હુમલો કર્યો. જો કે આ હુમલાના કાવતરા અંગે ઈઝરાયેલ દ્વારા કોઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, પેલેસ્ટિનિયન ડૉક્ટરોએ કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે  કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના સમયમાં પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો હવાઈ હુમલો છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .