ઈઝરાયેલની એરફોર્સે ગાઝામાં કર્યા ભીષણ હવાઈ હુમલા, અલ અંસાર મસ્જિદને બનાવી નિશાન


  • Published By :
  • Published Date : 2023-10-22 12:14:03

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ દિનપ્રતિદિન લોહિયાળ બની રહ્યું છે. હવે ઇઝરાયલે ગાઝામાં હુમલાઓ તીવ્ર કર્યા છે, આ દરમિયાન ઈઝરાયેલે હમાસના ગઢ મનાતા પશ્ચિમ કાંઠાના વિસ્તાર પર રવિવારે હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે આજે સવારે એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે અલ અંસાર મસ્જિદમાં હમાસના લડવૈયાઓ અહીં છુપાયેલા હતા અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું છે કે હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. એવું કહેવાય છે કે પશ્ચિમ કાંઠે તાજેતરના સમયમાં આ સૌથી મોટો હુમલો છે.


IDF અને ISA એ હુમલો કર્યો


"IDF અને ISA (ઇઝરાયેલ સિક્યોરિટી ઓથોરિટી) એ આ હુમલો કર્યો હતો," IDF એ જણાવ્યું હતું. IDFએ જેનિનમાં અલ-અંસાર મસ્જિદમાં ભૂગર્ભમાં આવેલા આતંકવાદી કમ્પાઉન્ડને નિશાન બનાવીને આ હવાઈ હુમલો કર્યો હતો. "હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ મસ્જિદમાં રહેતા હતા અને તેનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે કરતા હતા." IDF એ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, "આતંકવાદીઓ દ્વારા મસ્જિદનો ઉપયોગ કમાન્ડ સેન્ટર તરીકે હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવા માટે કરવામાં આવતો હતો."


બાતમી મળ્યા બાદ હુમલો


એક સંયુક્ત નિવેદનમાં, ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે IDFએ ગુપ્ત માહિતી મળ્યા પછી જ આ પ્રકારનો હુમલો કર્યો. જો કે આ હુમલાના કાવતરા અંગે ઈઝરાયેલ દ્વારા કોઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, પેલેસ્ટિનિયન ડૉક્ટરોએ કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે  કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના સમયમાં પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો હવાઈ હુમલો છે.




મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?