ઈઝરાયેલની એરફોર્સે ગાઝામાં કર્યા ભીષણ હવાઈ હુમલા, અલ અંસાર મસ્જિદને બનાવી નિશાન


  • Published By :
  • Published Date : 2023-10-22 12:14:03

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ દિનપ્રતિદિન લોહિયાળ બની રહ્યું છે. હવે ઇઝરાયલે ગાઝામાં હુમલાઓ તીવ્ર કર્યા છે, આ દરમિયાન ઈઝરાયેલે હમાસના ગઢ મનાતા પશ્ચિમ કાંઠાના વિસ્તાર પર રવિવારે હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે આજે સવારે એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે અલ અંસાર મસ્જિદમાં હમાસના લડવૈયાઓ અહીં છુપાયેલા હતા અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું છે કે હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. એવું કહેવાય છે કે પશ્ચિમ કાંઠે તાજેતરના સમયમાં આ સૌથી મોટો હુમલો છે.


IDF અને ISA એ હુમલો કર્યો


"IDF અને ISA (ઇઝરાયેલ સિક્યોરિટી ઓથોરિટી) એ આ હુમલો કર્યો હતો," IDF એ જણાવ્યું હતું. IDFએ જેનિનમાં અલ-અંસાર મસ્જિદમાં ભૂગર્ભમાં આવેલા આતંકવાદી કમ્પાઉન્ડને નિશાન બનાવીને આ હવાઈ હુમલો કર્યો હતો. "હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ મસ્જિદમાં રહેતા હતા અને તેનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે કરતા હતા." IDF એ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, "આતંકવાદીઓ દ્વારા મસ્જિદનો ઉપયોગ કમાન્ડ સેન્ટર તરીકે હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવા માટે કરવામાં આવતો હતો."


બાતમી મળ્યા બાદ હુમલો


એક સંયુક્ત નિવેદનમાં, ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે IDFએ ગુપ્ત માહિતી મળ્યા પછી જ આ પ્રકારનો હુમલો કર્યો. જો કે આ હુમલાના કાવતરા અંગે ઈઝરાયેલ દ્વારા કોઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, પેલેસ્ટિનિયન ડૉક્ટરોએ કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે  કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. તાજેતરના સમયમાં પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો હવાઈ હુમલો છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.