ઈઝરાયેલમાં મોતનું તાંડવ, ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા, અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 18:13:30

ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ફરી એક વખત યુધ્ધ છેડાયું છે. શનિવારે ઈઝરાયેલમાં રજાનો દિવસ હતો તે તકનો લાભ લઈને હમાસે ગાઝા પટ્ટીમાંથી નજીકના શહેરોમાં જોરદાર રોકેટ હુમલો કર્યો હતો. હમાસે તેના આતંકવાદીઓને પણ ઈઝરાયેલમાં ઘુસાડ્યા છે. હાલ બંને વચ્ચે લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. આ યુધ્ધના 24 કલાકમાં જ 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ પર હમાસનો આ અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો મનાય છે. 


ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા


ઈઝરાયેલી વિસ્તારોના માર્ગો પર નાગરિકો અને હમાસના આતંકવાદીઓના શબ જોવા મળ્યા હતા. એક મહિલા માટરસાયકલ પર બે આતંકવાદીઓ વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. ઈઝરાયેલી નાગરિકોને હમાસે સૈનિકો અને નાગરિકોનું અપહરણ કરીને મોટર સાયકલો પર અને ગાઝા વિસ્તારમાં લાવતા જોવા મળી રહ્યા છે.  હમાસના લડવૈયાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વિડિયોમાં, એક ઇઝરાયલી સૈનિકના મૃતદેહને ગાઝાની અંદર પેલેસ્ટિનિયનોનું ગુસ્સે ભરેલું ટોળું ખેંચી જતું જોઈ શકાય છે. આ હુમલો મોટા સંઘર્ષમાં ફેરવાઈ જવાનો ભય છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના અગાઉના સંઘર્ષો ગાઝામાં મોટા પાયે મૃત્યુ અને વિનાશમાં પરિણમ્યા હતા.


કઈ રીતે ઘુસ્યા આતંકવાદીઓ?


હમાસે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી સમગ્ર દુનિયાને દંગ કરી દીધી છે. હમાસે લાંબા સમયથી સમસ્યારૂપ બનેલી ભુમુધ્ય સાગર નજીકના વિસ્તારને ઘેરતી સરહદી વાડને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. તેમણે મોટરસાયકલો, પિકઅપ ટ્રક, પેરાગ્લાઈડર અને ઝડપી નૌકાઓની મદદથી ઘુસણખોરી કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.