ઈઝરાયેલમાં મોતનું તાંડવ, ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા, અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 18:13:30

ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ફરી એક વખત યુધ્ધ છેડાયું છે. શનિવારે ઈઝરાયેલમાં રજાનો દિવસ હતો તે તકનો લાભ લઈને હમાસે ગાઝા પટ્ટીમાંથી નજીકના શહેરોમાં જોરદાર રોકેટ હુમલો કર્યો હતો. હમાસે તેના આતંકવાદીઓને પણ ઈઝરાયેલમાં ઘુસાડ્યા છે. હાલ બંને વચ્ચે લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. આ યુધ્ધના 24 કલાકમાં જ 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ પર હમાસનો આ અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો મનાય છે. 


ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા


ઈઝરાયેલી વિસ્તારોના માર્ગો પર નાગરિકો અને હમાસના આતંકવાદીઓના શબ જોવા મળ્યા હતા. એક મહિલા માટરસાયકલ પર બે આતંકવાદીઓ વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. ઈઝરાયેલી નાગરિકોને હમાસે સૈનિકો અને નાગરિકોનું અપહરણ કરીને મોટર સાયકલો પર અને ગાઝા વિસ્તારમાં લાવતા જોવા મળી રહ્યા છે.  હમાસના લડવૈયાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વિડિયોમાં, એક ઇઝરાયલી સૈનિકના મૃતદેહને ગાઝાની અંદર પેલેસ્ટિનિયનોનું ગુસ્સે ભરેલું ટોળું ખેંચી જતું જોઈ શકાય છે. આ હુમલો મોટા સંઘર્ષમાં ફેરવાઈ જવાનો ભય છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના અગાઉના સંઘર્ષો ગાઝામાં મોટા પાયે મૃત્યુ અને વિનાશમાં પરિણમ્યા હતા.


કઈ રીતે ઘુસ્યા આતંકવાદીઓ?


હમાસે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી સમગ્ર દુનિયાને દંગ કરી દીધી છે. હમાસે લાંબા સમયથી સમસ્યારૂપ બનેલી ભુમુધ્ય સાગર નજીકના વિસ્તારને ઘેરતી સરહદી વાડને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. તેમણે મોટરસાયકલો, પિકઅપ ટ્રક, પેરાગ્લાઈડર અને ઝડપી નૌકાઓની મદદથી ઘુસણખોરી કરી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .