ઈઝરાયેલમાં મોતનું તાંડવ, ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા, અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 18:13:30

ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ફરી એક વખત યુધ્ધ છેડાયું છે. શનિવારે ઈઝરાયેલમાં રજાનો દિવસ હતો તે તકનો લાભ લઈને હમાસે ગાઝા પટ્ટીમાંથી નજીકના શહેરોમાં જોરદાર રોકેટ હુમલો કર્યો હતો. હમાસે તેના આતંકવાદીઓને પણ ઈઝરાયેલમાં ઘુસાડ્યા છે. હાલ બંને વચ્ચે લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. આ યુધ્ધના 24 કલાકમાં જ 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ પર હમાસનો આ અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો મનાય છે. 


ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા


ઈઝરાયેલી વિસ્તારોના માર્ગો પર નાગરિકો અને હમાસના આતંકવાદીઓના શબ જોવા મળ્યા હતા. એક મહિલા માટરસાયકલ પર બે આતંકવાદીઓ વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. ઈઝરાયેલી નાગરિકોને હમાસે સૈનિકો અને નાગરિકોનું અપહરણ કરીને મોટર સાયકલો પર અને ગાઝા વિસ્તારમાં લાવતા જોવા મળી રહ્યા છે.  હમાસના લડવૈયાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વિડિયોમાં, એક ઇઝરાયલી સૈનિકના મૃતદેહને ગાઝાની અંદર પેલેસ્ટિનિયનોનું ગુસ્સે ભરેલું ટોળું ખેંચી જતું જોઈ શકાય છે. આ હુમલો મોટા સંઘર્ષમાં ફેરવાઈ જવાનો ભય છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના અગાઉના સંઘર્ષો ગાઝામાં મોટા પાયે મૃત્યુ અને વિનાશમાં પરિણમ્યા હતા.


કઈ રીતે ઘુસ્યા આતંકવાદીઓ?


હમાસે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી સમગ્ર દુનિયાને દંગ કરી દીધી છે. હમાસે લાંબા સમયથી સમસ્યારૂપ બનેલી ભુમુધ્ય સાગર નજીકના વિસ્તારને ઘેરતી સરહદી વાડને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. તેમણે મોટરસાયકલો, પિકઅપ ટ્રક, પેરાગ્લાઈડર અને ઝડપી નૌકાઓની મદદથી ઘુસણખોરી કરી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.