ઈઝરાયેલમાં લોકશાહીની રક્ષા માટે લોકો માર્ગો પર ઉતર્યા, PM નેતન્યાહુ સામે પ્રચંડ લોકજુવાળ


  • Published By :
  • Published Date : 2023-03-27 20:32:08

ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં રવિવાર રાતથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શનો ચાલી રહ્યા છે. નેતન્યાહુએ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટને હટાવી દીધા છે અને ત્યારથી લોકોમાં નારાજગી છે. તેઓએ ફરી એકવાર પીએમ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. નેતન્યાહુ દ્વારા બરતરફ કરાયેલા સંરક્ષણ પ્રધાન ન્યાયિક પ્રણાલીમાં સુધારાની વિરુદ્ધ હતા. લોકોના હાથમાં ઈઝરાયેલના ઝંડા હતા અને તેઓ 'લોકશાહી'ના નારા લગાવી રહ્યા હતા. દેખાવકારોએ આયલોન હાઇવે સહિત રસ્તાઓ અને પુલ બ્લોક કરી દીધા હતા.


રક્ષા મંત્રીએ નવા કાયદાનો કર્યો વિરોધ 

 

જેરુસલેમમાં પોલીસ અને સૈનિકોએ વિરોધ કરનારાઓ સામે પાણીની તોપોનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓ પીએમ નેતન્યાહુના ઘર પાસે પ્રદર્શન કરી રહ્યા છે. નવા પ્રસ્તાવિત કાયદાને લઈને એક સપ્તાહમાં અનેક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નેતન્યાહુ દ્વારા આયોજિત સુધારા હેઠળ, ન્યાયાધીશોની નિમણૂક કરતી સમિતિ પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આ પછી, કોર્ટ માટે એવા નેતાને હટાવવાનું મુશ્કેલ બનશે જે તેના પદ માટે યોગ્ય નથી. આ કારણે અનેક લોકો નારાજ થયા છે. પીએમ નેતન્યાહુ પર હાલ ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહ્યા છે.


'નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી'


ઘણા ઇઝરાયેલી વિરોધ પ્રદર્શકો ધ્વજ લહેરાવતા અને થાળી વગાડતા નેતન્યાહુના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ પછી, તે પોલીસ ફોર્સની સુરક્ષા હેઠળ ઇઝરાયેલની સંસદ નેસેટ પહોંચ્યા હતા. દેશના રાજકીય વિષ્લેષકોનું માનવું છે કે લોકતાંત્રિક દેશના પીએમ તરીકે નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી છે. વિરોધમાં સામેલ એક સરકારી કર્મચારીએ કહ્યું, 'અમે અમારી લોકશાહીના છેલ્લી દીવાલની સુરક્ષા કરી રહ્યા છીએ અને અમે આ રીતે સૂઈ શકીએ નહીં. આપણે આ ગાંડપણને રોકવું પડશે અને તો જ આપણે કંઈક કરી શકીશું.'



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .