ઈઝરાયેલમાં લોકશાહીની રક્ષા માટે લોકો માર્ગો પર ઉતર્યા, PM નેતન્યાહુ સામે પ્રચંડ લોકજુવાળ


  • Published By :
  • Published Date : 2023-03-27 20:32:08

ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં રવિવાર રાતથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શનો ચાલી રહ્યા છે. નેતન્યાહુએ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટને હટાવી દીધા છે અને ત્યારથી લોકોમાં નારાજગી છે. તેઓએ ફરી એકવાર પીએમ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. નેતન્યાહુ દ્વારા બરતરફ કરાયેલા સંરક્ષણ પ્રધાન ન્યાયિક પ્રણાલીમાં સુધારાની વિરુદ્ધ હતા. લોકોના હાથમાં ઈઝરાયેલના ઝંડા હતા અને તેઓ 'લોકશાહી'ના નારા લગાવી રહ્યા હતા. દેખાવકારોએ આયલોન હાઇવે સહિત રસ્તાઓ અને પુલ બ્લોક કરી દીધા હતા.


રક્ષા મંત્રીએ નવા કાયદાનો કર્યો વિરોધ 

 

જેરુસલેમમાં પોલીસ અને સૈનિકોએ વિરોધ કરનારાઓ સામે પાણીની તોપોનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓ પીએમ નેતન્યાહુના ઘર પાસે પ્રદર્શન કરી રહ્યા છે. નવા પ્રસ્તાવિત કાયદાને લઈને એક સપ્તાહમાં અનેક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નેતન્યાહુ દ્વારા આયોજિત સુધારા હેઠળ, ન્યાયાધીશોની નિમણૂક કરતી સમિતિ પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આ પછી, કોર્ટ માટે એવા નેતાને હટાવવાનું મુશ્કેલ બનશે જે તેના પદ માટે યોગ્ય નથી. આ કારણે અનેક લોકો નારાજ થયા છે. પીએમ નેતન્યાહુ પર હાલ ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહ્યા છે.


'નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી'


ઘણા ઇઝરાયેલી વિરોધ પ્રદર્શકો ધ્વજ લહેરાવતા અને થાળી વગાડતા નેતન્યાહુના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ પછી, તે પોલીસ ફોર્સની સુરક્ષા હેઠળ ઇઝરાયેલની સંસદ નેસેટ પહોંચ્યા હતા. દેશના રાજકીય વિષ્લેષકોનું માનવું છે કે લોકતાંત્રિક દેશના પીએમ તરીકે નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી છે. વિરોધમાં સામેલ એક સરકારી કર્મચારીએ કહ્યું, 'અમે અમારી લોકશાહીના છેલ્લી દીવાલની સુરક્ષા કરી રહ્યા છીએ અને અમે આ રીતે સૂઈ શકીએ નહીં. આપણે આ ગાંડપણને રોકવું પડશે અને તો જ આપણે કંઈક કરી શકીશું.'



મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?