ઈઝરાયેલમાં લોકશાહીની રક્ષા માટે લોકો માર્ગો પર ઉતર્યા, PM નેતન્યાહુ સામે પ્રચંડ લોકજુવાળ


  • Published By :
  • Published Date : 2023-03-27 20:32:08

ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં રવિવાર રાતથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શનો ચાલી રહ્યા છે. નેતન્યાહુએ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટને હટાવી દીધા છે અને ત્યારથી લોકોમાં નારાજગી છે. તેઓએ ફરી એકવાર પીએમ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. નેતન્યાહુ દ્વારા બરતરફ કરાયેલા સંરક્ષણ પ્રધાન ન્યાયિક પ્રણાલીમાં સુધારાની વિરુદ્ધ હતા. લોકોના હાથમાં ઈઝરાયેલના ઝંડા હતા અને તેઓ 'લોકશાહી'ના નારા લગાવી રહ્યા હતા. દેખાવકારોએ આયલોન હાઇવે સહિત રસ્તાઓ અને પુલ બ્લોક કરી દીધા હતા.


રક્ષા મંત્રીએ નવા કાયદાનો કર્યો વિરોધ 

 

જેરુસલેમમાં પોલીસ અને સૈનિકોએ વિરોધ કરનારાઓ સામે પાણીની તોપોનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓ પીએમ નેતન્યાહુના ઘર પાસે પ્રદર્શન કરી રહ્યા છે. નવા પ્રસ્તાવિત કાયદાને લઈને એક સપ્તાહમાં અનેક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નેતન્યાહુ દ્વારા આયોજિત સુધારા હેઠળ, ન્યાયાધીશોની નિમણૂક કરતી સમિતિ પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આ પછી, કોર્ટ માટે એવા નેતાને હટાવવાનું મુશ્કેલ બનશે જે તેના પદ માટે યોગ્ય નથી. આ કારણે અનેક લોકો નારાજ થયા છે. પીએમ નેતન્યાહુ પર હાલ ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહ્યા છે.


'નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી'


ઘણા ઇઝરાયેલી વિરોધ પ્રદર્શકો ધ્વજ લહેરાવતા અને થાળી વગાડતા નેતન્યાહુના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ પછી, તે પોલીસ ફોર્સની સુરક્ષા હેઠળ ઇઝરાયેલની સંસદ નેસેટ પહોંચ્યા હતા. દેશના રાજકીય વિષ્લેષકોનું માનવું છે કે લોકતાંત્રિક દેશના પીએમ તરીકે નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી છે. વિરોધમાં સામેલ એક સરકારી કર્મચારીએ કહ્યું, 'અમે અમારી લોકશાહીના છેલ્લી દીવાલની સુરક્ષા કરી રહ્યા છીએ અને અમે આ રીતે સૂઈ શકીએ નહીં. આપણે આ ગાંડપણને રોકવું પડશે અને તો જ આપણે કંઈક કરી શકીશું.'



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .