ઈઝરાયેલની સેના હવે જમીન માર્ગે ગાઝામાં ઘુસવાની તૈયારીમાં, અમેરિકાએ મોકલ્યું બીજુ યુધ્ધ જહાજ


  • Published By :
  • Published Date : 2023-10-15 13:41:51

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાને હુમલાના આગામી તબક્કાની તૈયારી કરી લીધી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે સૈનિકોને કહ્યું કે 'યુધ્ધનો આગામી તબક્કો' શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાને શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં કિબુત્ઝ બીરી અને કેફર અજાની મુલાકાત લીધી હતી. હમાસે આ બે સ્થળોએ મોટો વિનાશ કર્યો હતો. પીએમ કાર્યાલયે જણાવ્યું હતું કે નેતન્યાહૂ સૈનિકોને મળ્યા હતા અને ગયા સપ્તાહના ભયાનક હુમલાનો ભોગ બનેલા ઘરોની મુલાકાત લીધી હતી.


લોકોને દક્ષિણ ગાઝામાં જવા અપીલ


ઈઝરાયેલની સેના ગાઝા શહેર પર 'ખૂબ જલ્દી' હુમલો કરવા જઈ રહી છે. ઈઝરાયેલના મુખ્ય સૈન્ય પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. શનિવારે રાત્રે રાષ્ટ્રીય ટેલિવિઝન સંબોધનમાં, રીઅર એડમિરલ ડેનિયલ હાગારીએ સ્થાનિકોને દક્ષિણ ગાઝા પટ્ટી વિસ્તારમાં જવા માટે ફરીથી અપીલ કરી છે. તેમણે કહ્યું, 'અમે ટૂંક સમયમાં ગાઝા સિટી પર જોરદાર હુમલો કરવા જઈ રહ્યા છીએ.' તેમણે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયેલે સંભવિત જમીની હુમલા પહેલા ગાઝાની લગભગ અડધી વસ્તીને તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 7 ઓક્ટોબરના રોજ હમાસ આતંકવાદી જૂથ દ્વારા ઘાતક સીમાપાર હુમલા બાદથી ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરી રહ્યું છે. હમાસના હુમલામાં 1,300થી વધુ ઈઝરાયેલના મોત થયા હતા.


અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ મોકલ્યું


ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અન્ય દેશોમાં ન ફેલાય તે માટે અમેરિકાએ તેનું બીજું એરક્રાફ્ટ કેરિયર પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને શનિવારે જણાવ્યું હતું કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ વિરુદ્ધ પ્રતિકૂળ કાર્યવાહી અથવા યુદ્ધને વધારવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે યુએસ બીજું એરક્રાફ્ટ કેરિયર મોકલી રહ્યું છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ અમેરિકાએ આ વિસ્તારમાં પહેલેથી જ એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરી દીધું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.