ઈઝરાયેલની સેના હવે જમીન માર્ગે ગાઝામાં ઘુસવાની તૈયારીમાં, અમેરિકાએ મોકલ્યું બીજુ યુધ્ધ જહાજ


  • Published By :
  • Published Date : 2023-10-15 13:41:51

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાને હુમલાના આગામી તબક્કાની તૈયારી કરી લીધી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે સૈનિકોને કહ્યું કે 'યુધ્ધનો આગામી તબક્કો' શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાને શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં કિબુત્ઝ બીરી અને કેફર અજાની મુલાકાત લીધી હતી. હમાસે આ બે સ્થળોએ મોટો વિનાશ કર્યો હતો. પીએમ કાર્યાલયે જણાવ્યું હતું કે નેતન્યાહૂ સૈનિકોને મળ્યા હતા અને ગયા સપ્તાહના ભયાનક હુમલાનો ભોગ બનેલા ઘરોની મુલાકાત લીધી હતી.


લોકોને દક્ષિણ ગાઝામાં જવા અપીલ


ઈઝરાયેલની સેના ગાઝા શહેર પર 'ખૂબ જલ્દી' હુમલો કરવા જઈ રહી છે. ઈઝરાયેલના મુખ્ય સૈન્ય પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. શનિવારે રાત્રે રાષ્ટ્રીય ટેલિવિઝન સંબોધનમાં, રીઅર એડમિરલ ડેનિયલ હાગારીએ સ્થાનિકોને દક્ષિણ ગાઝા પટ્ટી વિસ્તારમાં જવા માટે ફરીથી અપીલ કરી છે. તેમણે કહ્યું, 'અમે ટૂંક સમયમાં ગાઝા સિટી પર જોરદાર હુમલો કરવા જઈ રહ્યા છીએ.' તેમણે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયેલે સંભવિત જમીની હુમલા પહેલા ગાઝાની લગભગ અડધી વસ્તીને તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 7 ઓક્ટોબરના રોજ હમાસ આતંકવાદી જૂથ દ્વારા ઘાતક સીમાપાર હુમલા બાદથી ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરી રહ્યું છે. હમાસના હુમલામાં 1,300થી વધુ ઈઝરાયેલના મોત થયા હતા.


અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ મોકલ્યું


ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અન્ય દેશોમાં ન ફેલાય તે માટે અમેરિકાએ તેનું બીજું એરક્રાફ્ટ કેરિયર પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને શનિવારે જણાવ્યું હતું કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ વિરુદ્ધ પ્રતિકૂળ કાર્યવાહી અથવા યુદ્ધને વધારવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે યુએસ બીજું એરક્રાફ્ટ કેરિયર મોકલી રહ્યું છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ અમેરિકાએ આ વિસ્તારમાં પહેલેથી જ એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરી દીધું છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.