ઈઝરાયેલની સેના હવે જમીન માર્ગે ગાઝામાં ઘુસવાની તૈયારીમાં, અમેરિકાએ મોકલ્યું બીજુ યુધ્ધ જહાજ


  • Published By :
  • Published Date : 2023-10-15 13:41:51

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાને હુમલાના આગામી તબક્કાની તૈયારી કરી લીધી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે સૈનિકોને કહ્યું કે 'યુધ્ધનો આગામી તબક્કો' શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાને શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં કિબુત્ઝ બીરી અને કેફર અજાની મુલાકાત લીધી હતી. હમાસે આ બે સ્થળોએ મોટો વિનાશ કર્યો હતો. પીએમ કાર્યાલયે જણાવ્યું હતું કે નેતન્યાહૂ સૈનિકોને મળ્યા હતા અને ગયા સપ્તાહના ભયાનક હુમલાનો ભોગ બનેલા ઘરોની મુલાકાત લીધી હતી.


લોકોને દક્ષિણ ગાઝામાં જવા અપીલ


ઈઝરાયેલની સેના ગાઝા શહેર પર 'ખૂબ જલ્દી' હુમલો કરવા જઈ રહી છે. ઈઝરાયેલના મુખ્ય સૈન્ય પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. શનિવારે રાત્રે રાષ્ટ્રીય ટેલિવિઝન સંબોધનમાં, રીઅર એડમિરલ ડેનિયલ હાગારીએ સ્થાનિકોને દક્ષિણ ગાઝા પટ્ટી વિસ્તારમાં જવા માટે ફરીથી અપીલ કરી છે. તેમણે કહ્યું, 'અમે ટૂંક સમયમાં ગાઝા સિટી પર જોરદાર હુમલો કરવા જઈ રહ્યા છીએ.' તેમણે હમાસ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયેલે સંભવિત જમીની હુમલા પહેલા ગાઝાની લગભગ અડધી વસ્તીને તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 7 ઓક્ટોબરના રોજ હમાસ આતંકવાદી જૂથ દ્વારા ઘાતક સીમાપાર હુમલા બાદથી ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરી રહ્યું છે. હમાસના હુમલામાં 1,300થી વધુ ઈઝરાયેલના મોત થયા હતા.


અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ મોકલ્યું


ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અન્ય દેશોમાં ન ફેલાય તે માટે અમેરિકાએ તેનું બીજું એરક્રાફ્ટ કેરિયર પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને શનિવારે જણાવ્યું હતું કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ વિરુદ્ધ પ્રતિકૂળ કાર્યવાહી અથવા યુદ્ધને વધારવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે યુએસ બીજું એરક્રાફ્ટ કેરિયર મોકલી રહ્યું છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ અમેરિકાએ આ વિસ્તારમાં પહેલેથી જ એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરી દીધું છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?