ISROને મળી મોટી સફળતા, શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું PSLV-C54 રોકેટ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:50:14

છેલ્લા ઘણા સમયથી ભારત અવકાશ ક્ષેત્રે ઘણી સફળતા મેળવી રહ્યું છે. ત્યારે ISROએ આજે સવારે 11.56 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઓશનસેટ-3 સેટેલાઈટ લોન્ચ કર્યું છે. આ સેટેલાઈટમાં ભૂટાનના સેટેલાઈટની સાથે 8 નેનો સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

  

દરિયાઈ હવામાનની આગાહી કરી શકાશે

આ સેટેલાઈટથી મહાસાગરોમાં થતા ફેરફાર થતા તેમજ વાવાઝોડા પર નજર રાખી શકાશે. ઉપરાંત આ ઉપગ્રહથી દરિયાઈ હવામાનની આગાહી પણ કરી શકાશે. આ 8 સેટેલાઈટને પીએસએલવી-સી 54 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ઈસરોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાનો એક માનવામાં આવે છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટને સૌથી લાંબો ચાલનારું મિશન માની રહ્યા છે. ઓશનસેટ-3ને ધરતીથી 742 કિલોમીટર દુર લોન્ચ કરી દેવામાં આવશે. આને લોન્ચ કર્યા બાદ રોકેટ ફરી પાછી આવશે અને તે બાદ બાકી રહેલા ઉપગ્રહોને લોન્ચ કરશે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.