ISROને મળી મોટી સફળતા, શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું PSLV-C54 રોકેટ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:50:14

છેલ્લા ઘણા સમયથી ભારત અવકાશ ક્ષેત્રે ઘણી સફળતા મેળવી રહ્યું છે. ત્યારે ISROએ આજે સવારે 11.56 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઓશનસેટ-3 સેટેલાઈટ લોન્ચ કર્યું છે. આ સેટેલાઈટમાં ભૂટાનના સેટેલાઈટની સાથે 8 નેનો સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

  

દરિયાઈ હવામાનની આગાહી કરી શકાશે

આ સેટેલાઈટથી મહાસાગરોમાં થતા ફેરફાર થતા તેમજ વાવાઝોડા પર નજર રાખી શકાશે. ઉપરાંત આ ઉપગ્રહથી દરિયાઈ હવામાનની આગાહી પણ કરી શકાશે. આ 8 સેટેલાઈટને પીએસએલવી-સી 54 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ઈસરોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાનો એક માનવામાં આવે છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટને સૌથી લાંબો ચાલનારું મિશન માની રહ્યા છે. ઓશનસેટ-3ને ધરતીથી 742 કિલોમીટર દુર લોન્ચ કરી દેવામાં આવશે. આને લોન્ચ કર્યા બાદ રોકેટ ફરી પાછી આવશે અને તે બાદ બાકી રહેલા ઉપગ્રહોને લોન્ચ કરશે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.