ISROની મોટી સિદ્ધિ, બ્રિટિશ કંપનીના કુલ વજન 5805 કિલો વજનના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા


  • Published By :
  • Published Date : 2023-03-26 13:39:12

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)એ રવિવારે નવો કિર્તિમાન પોતાના નામે કર્યો છે.આજે એટલે કે 26 માર્ચે ઈસરોએ બ્રિટનનાં 36 સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યાં છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલ બધાં જ સેટેલાઇટનું કુલ વજન 5805 કિલોગ્રામ છે. આ મિશનને LVM3-M3/વનવેબ ઇન્ડિયા-2 નામ આપવામાં આવ્યું છે.તેનું લોન્ચિંગ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાના સ્પેસપોર્ટથી સવારે 9.00 વાગ્યે કરવામાં આવ્યું છે.


LVM3 રોકેટની છઠ્ઠી સફળ ઉડાન  


જેમાં ISROના 43.5 મીટર લાંબા LVM3 રોકેટ (GSLV-MK III)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ISROનું સૌથી ભારે રોકેટ છે. જેણે અન્ય લોન્ચપેડથી ઉડાન ભરી. આ લોન્ચપેડથી ચંદ્રયાન-2 મિશન સહિત પાંચ સફળ લોન્ચિંગ થયાં છે. LVM3થી ચંદ્રયાન-2 મિશન સહિત સતત પાંચ સફળ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે. આ તેની છઠ્ઠી સફળ ઉડાન છે.


બ્રિટિશ કંપનીના 36 ઉપગ્રહ લોન્ચ


ISRO એ જણાવ્યું કે વર્તમાન મિશન LVM3-M3 એ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે, જે તેની ક્લાયન્ટ બ્રિટિશ કંપની M/s ​​નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (M/s OneWeb) માટે હાથ ધરવામાં આવ્યું છે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ યાન GSLVMK-3નું નવું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.


વનવેબ શું છે?


બ્રિટનની કંપની વનવેબ માટે ઈસરોનાના કોમર્શિયલ યુનિટ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું આ બીજું મિશન હતું. નેટવર્ક એક્સિસ એસોસિયેટેડ લિમિટેડ એટલે કે વનવેબ બ્રિટન સ્થિત કોમ્યુનિકેશન કંપની છે. તેની માલિકી બ્રિટિશ સરકાર, ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુજીસ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની ડિફેન્સ કંપની હનવ્હાની પાર્ટનરશિપ છે. તે સેટેલાઇટ આધારિત સેવા પૂરી પાડતી કોમ્યુનિકેશન કંપની છે. વનવેબ કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.