ISROની મોટી સિદ્ધિ, બ્રિટિશ કંપનીના કુલ વજન 5805 કિલો વજનના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા


  • Published By :
  • Published Date : 2023-03-26 13:39:12

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)એ રવિવારે નવો કિર્તિમાન પોતાના નામે કર્યો છે.આજે એટલે કે 26 માર્ચે ઈસરોએ બ્રિટનનાં 36 સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યાં છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલ બધાં જ સેટેલાઇટનું કુલ વજન 5805 કિલોગ્રામ છે. આ મિશનને LVM3-M3/વનવેબ ઇન્ડિયા-2 નામ આપવામાં આવ્યું છે.તેનું લોન્ચિંગ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાના સ્પેસપોર્ટથી સવારે 9.00 વાગ્યે કરવામાં આવ્યું છે.


LVM3 રોકેટની છઠ્ઠી સફળ ઉડાન  


જેમાં ISROના 43.5 મીટર લાંબા LVM3 રોકેટ (GSLV-MK III)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ISROનું સૌથી ભારે રોકેટ છે. જેણે અન્ય લોન્ચપેડથી ઉડાન ભરી. આ લોન્ચપેડથી ચંદ્રયાન-2 મિશન સહિત પાંચ સફળ લોન્ચિંગ થયાં છે. LVM3થી ચંદ્રયાન-2 મિશન સહિત સતત પાંચ સફળ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે. આ તેની છઠ્ઠી સફળ ઉડાન છે.


બ્રિટિશ કંપનીના 36 ઉપગ્રહ લોન્ચ


ISRO એ જણાવ્યું કે વર્તમાન મિશન LVM3-M3 એ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે, જે તેની ક્લાયન્ટ બ્રિટિશ કંપની M/s ​​નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (M/s OneWeb) માટે હાથ ધરવામાં આવ્યું છે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ યાન GSLVMK-3નું નવું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.


વનવેબ શું છે?


બ્રિટનની કંપની વનવેબ માટે ઈસરોનાના કોમર્શિયલ યુનિટ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું આ બીજું મિશન હતું. નેટવર્ક એક્સિસ એસોસિયેટેડ લિમિટેડ એટલે કે વનવેબ બ્રિટન સ્થિત કોમ્યુનિકેશન કંપની છે. તેની માલિકી બ્રિટિશ સરકાર, ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુજીસ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની ડિફેન્સ કંપની હનવ્હાની પાર્ટનરશિપ છે. તે સેટેલાઇટ આધારિત સેવા પૂરી પાડતી કોમ્યુનિકેશન કંપની છે. વનવેબ કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.