ISROની મોટી સિદ્ધિ, બ્રિટિશ કંપનીના કુલ વજન 5805 કિલો વજનના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા


  • Published By :
  • Published Date : 2023-03-26 13:39:12

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)એ રવિવારે નવો કિર્તિમાન પોતાના નામે કર્યો છે.આજે એટલે કે 26 માર્ચે ઈસરોએ બ્રિટનનાં 36 સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યાં છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલ બધાં જ સેટેલાઇટનું કુલ વજન 5805 કિલોગ્રામ છે. આ મિશનને LVM3-M3/વનવેબ ઇન્ડિયા-2 નામ આપવામાં આવ્યું છે.તેનું લોન્ચિંગ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાના સ્પેસપોર્ટથી સવારે 9.00 વાગ્યે કરવામાં આવ્યું છે.


LVM3 રોકેટની છઠ્ઠી સફળ ઉડાન  


જેમાં ISROના 43.5 મીટર લાંબા LVM3 રોકેટ (GSLV-MK III)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ISROનું સૌથી ભારે રોકેટ છે. જેણે અન્ય લોન્ચપેડથી ઉડાન ભરી. આ લોન્ચપેડથી ચંદ્રયાન-2 મિશન સહિત પાંચ સફળ લોન્ચિંગ થયાં છે. LVM3થી ચંદ્રયાન-2 મિશન સહિત સતત પાંચ સફળ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે. આ તેની છઠ્ઠી સફળ ઉડાન છે.


બ્રિટિશ કંપનીના 36 ઉપગ્રહ લોન્ચ


ISRO એ જણાવ્યું કે વર્તમાન મિશન LVM3-M3 એ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે, જે તેની ક્લાયન્ટ બ્રિટિશ કંપની M/s ​​નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (M/s OneWeb) માટે હાથ ધરવામાં આવ્યું છે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ યાન GSLVMK-3નું નવું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.


વનવેબ શું છે?


બ્રિટનની કંપની વનવેબ માટે ઈસરોનાના કોમર્શિયલ યુનિટ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું આ બીજું મિશન હતું. નેટવર્ક એક્સિસ એસોસિયેટેડ લિમિટેડ એટલે કે વનવેબ બ્રિટન સ્થિત કોમ્યુનિકેશન કંપની છે. તેની માલિકી બ્રિટિશ સરકાર, ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુજીસ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની ડિફેન્સ કંપની હનવ્હાની પાર્ટનરશિપ છે. તે સેટેલાઇટ આધારિત સેવા પૂરી પાડતી કોમ્યુનિકેશન કંપની છે. વનવેબ કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.