જોશીમઠમાં થઈ રહી છે હિમવર્ષા, રોકવી પડી ઘરો તોડવાની કામગીરી


  • Published By :
  • Published Date : 2023-01-20 14:25:36

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જમીન ધસવાને કારણે મકાનોમાં તિરાડ પડી ગઈ છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તેમજ ઈમારતોને પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે ઘર પાડવાની કામગીરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. 23 અને 24 જાન્યુઆરીએ પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ઘરોને તોડવાની થઈ રહી છે કામગીરી 

છેલ્લા ઘણા દિવસથી જોશીમઠમાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ થઈ રહી છે. જેને કારણે ઘરોમાં તિરાડો પમ પડી રહી છે. તિરાડો પડવાને કારણે ઘરને બદલે લોકો બહાર રહેવા મજબૂર બન્યા હતા. તિરાડો પડવાને કારણે લોકોને અલગ જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તે બાદ ઝરઝરીત અને ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોટલો તેમજ ઘરો તોડી પડાયા હતા.

जोशीमठ के सुभाई गांव में गुरुवार को पानी जम गया।


जोशीमठ में NTPC के तपोवन विष्णुगढ़ जलविद्युत संयंत्र की मौजूदा स्थिति।

હિમવર્ષાને કારણે રોકાઈ કામગીરી  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. જોશીમઠમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી જેને કારણે ઘરોને તોડવાની કામગીરી પર રોક લગાવામાં આવી હતી. શુક્રવારના દિવસે આ કામગીરીને રોકવી પડી હતી. ડિજાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે 3 દિવસોથી તિરાડો વધી નથી. જે એક રાહતની વાત ગણવામાં આવી છે. ત્યારે આવનાર બે-ત્રણ દિવસ પણ હિમવર્ષાને કારણે કામગીરી રોકવી પડશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     

    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.