જોશીમઠમાં થઈ રહી છે હિમવર્ષા, રોકવી પડી ઘરો તોડવાની કામગીરી


  • Published By :
  • Published Date : 2023-01-20 14:25:36

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જમીન ધસવાને કારણે મકાનોમાં તિરાડ પડી ગઈ છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તેમજ ઈમારતોને પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે ઘર પાડવાની કામગીરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. 23 અને 24 જાન્યુઆરીએ પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ઘરોને તોડવાની થઈ રહી છે કામગીરી 

છેલ્લા ઘણા દિવસથી જોશીમઠમાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ થઈ રહી છે. જેને કારણે ઘરોમાં તિરાડો પમ પડી રહી છે. તિરાડો પડવાને કારણે ઘરને બદલે લોકો બહાર રહેવા મજબૂર બન્યા હતા. તિરાડો પડવાને કારણે લોકોને અલગ જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તે બાદ ઝરઝરીત અને ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોટલો તેમજ ઘરો તોડી પડાયા હતા.

जोशीमठ के सुभाई गांव में गुरुवार को पानी जम गया।


जोशीमठ में NTPC के तपोवन विष्णुगढ़ जलविद्युत संयंत्र की मौजूदा स्थिति।

હિમવર્ષાને કારણે રોકાઈ કામગીરી  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. જોશીમઠમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી જેને કારણે ઘરોને તોડવાની કામગીરી પર રોક લગાવામાં આવી હતી. શુક્રવારના દિવસે આ કામગીરીને રોકવી પડી હતી. ડિજાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે 3 દિવસોથી તિરાડો વધી નથી. જે એક રાહતની વાત ગણવામાં આવી છે. ત્યારે આવનાર બે-ત્રણ દિવસ પણ હિમવર્ષાને કારણે કામગીરી રોકવી પડશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     

    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.