જોશીમઠમાં થઈ રહી છે હિમવર્ષા, રોકવી પડી ઘરો તોડવાની કામગીરી


  • Published By :
  • Published Date : 2023-01-20 14:25:36

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જમીન ધસવાને કારણે મકાનોમાં તિરાડ પડી ગઈ છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તેમજ ઈમારતોને પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે ઘર પાડવાની કામગીરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. 23 અને 24 જાન્યુઆરીએ પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ઘરોને તોડવાની થઈ રહી છે કામગીરી 

છેલ્લા ઘણા દિવસથી જોશીમઠમાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ થઈ રહી છે. જેને કારણે ઘરોમાં તિરાડો પમ પડી રહી છે. તિરાડો પડવાને કારણે ઘરને બદલે લોકો બહાર રહેવા મજબૂર બન્યા હતા. તિરાડો પડવાને કારણે લોકોને અલગ જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તે બાદ ઝરઝરીત અને ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોટલો તેમજ ઘરો તોડી પડાયા હતા.

जोशीमठ के सुभाई गांव में गुरुवार को पानी जम गया।


जोशीमठ में NTPC के तपोवन विष्णुगढ़ जलविद्युत संयंत्र की मौजूदा स्थिति।

હિમવર્ષાને કારણે રોકાઈ કામગીરી  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. જોશીમઠમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી જેને કારણે ઘરોને તોડવાની કામગીરી પર રોક લગાવામાં આવી હતી. શુક્રવારના દિવસે આ કામગીરીને રોકવી પડી હતી. ડિજાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે 3 દિવસોથી તિરાડો વધી નથી. જે એક રાહતની વાત ગણવામાં આવી છે. ત્યારે આવનાર બે-ત્રણ દિવસ પણ હિમવર્ષાને કારણે કામગીરી રોકવી પડશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     

    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.