જોશીમઠમાં થઈ રહી છે હિમવર્ષા, રોકવી પડી ઘરો તોડવાની કામગીરી


  • Published By :
  • Published Date : 2023-01-20 14:25:36

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જમીન ધસવાને કારણે મકાનોમાં તિરાડ પડી ગઈ છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તેમજ ઈમારતોને પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે ઘર પાડવાની કામગીરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. 23 અને 24 જાન્યુઆરીએ પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ઘરોને તોડવાની થઈ રહી છે કામગીરી 

છેલ્લા ઘણા દિવસથી જોશીમઠમાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ થઈ રહી છે. જેને કારણે ઘરોમાં તિરાડો પમ પડી રહી છે. તિરાડો પડવાને કારણે ઘરને બદલે લોકો બહાર રહેવા મજબૂર બન્યા હતા. તિરાડો પડવાને કારણે લોકોને અલગ જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તે બાદ ઝરઝરીત અને ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોટલો તેમજ ઘરો તોડી પડાયા હતા.

जोशीमठ के सुभाई गांव में गुरुवार को पानी जम गया।


जोशीमठ में NTPC के तपोवन विष्णुगढ़ जलविद्युत संयंत्र की मौजूदा स्थिति।

હિમવર્ષાને કારણે રોકાઈ કામગીરી  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. જોશીમઠમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી જેને કારણે ઘરોને તોડવાની કામગીરી પર રોક લગાવામાં આવી હતી. શુક્રવારના દિવસે આ કામગીરીને રોકવી પડી હતી. ડિજાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે 3 દિવસોથી તિરાડો વધી નથી. જે એક રાહતની વાત ગણવામાં આવી છે. ત્યારે આવનાર બે-ત્રણ દિવસ પણ હિમવર્ષાને કારણે કામગીરી રોકવી પડશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     

    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.