ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા! જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-25 18:27:31

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં દેશનું વાતાવરણ કેવું રહેશે તે માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે. દિલ્હીમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં પડશે વરસાદ!  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશ માટે પણ મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચંબા, રોહતાંગ અને જલોડી દર્રામાં હિમવર્ષા થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના હવામાનમાં થયેલા પરિવર્તનની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. અનેક રાજ્યોનું તાપમાન ઠંડું રહેશે. આગાહી પ્રમાણે 30 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ કડાકાભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતમાં ફરી આવશે માવઠું!

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત માટે પણ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગાહી પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ સૂકૂ વાતાવરણ રહેશે પરંતુ તે બાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29મીએ ફરી વાદળો જોવા મળી શકે છે. 28 માર્ચ દરમિયાન ફરી માવઠું આવવાની આગાહી કરવામાં આવી છે. 


એપ્રિલ મહિના બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો 

હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તરગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ એપ્રિલ મહિનામાં વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ વર્ષે ગરમીનો માર વધુ સહન કરવો પડશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.        




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.