ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા! જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-25 18:27:31

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં દેશનું વાતાવરણ કેવું રહેશે તે માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે. દિલ્હીમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં પડશે વરસાદ!  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશ માટે પણ મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચંબા, રોહતાંગ અને જલોડી દર્રામાં હિમવર્ષા થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના હવામાનમાં થયેલા પરિવર્તનની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. અનેક રાજ્યોનું તાપમાન ઠંડું રહેશે. આગાહી પ્રમાણે 30 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ કડાકાભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતમાં ફરી આવશે માવઠું!

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત માટે પણ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગાહી પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ સૂકૂ વાતાવરણ રહેશે પરંતુ તે બાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29મીએ ફરી વાદળો જોવા મળી શકે છે. 28 માર્ચ દરમિયાન ફરી માવઠું આવવાની આગાહી કરવામાં આવી છે. 


એપ્રિલ મહિના બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો 

હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તરગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ એપ્રિલ મહિનામાં વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ વર્ષે ગરમીનો માર વધુ સહન કરવો પડશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.        




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.