ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા! જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-25 18:27:31

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં દેશનું વાતાવરણ કેવું રહેશે તે માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે. દિલ્હીમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં પડશે વરસાદ!  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશ માટે પણ મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચંબા, રોહતાંગ અને જલોડી દર્રામાં હિમવર્ષા થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના હવામાનમાં થયેલા પરિવર્તનની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. અનેક રાજ્યોનું તાપમાન ઠંડું રહેશે. આગાહી પ્રમાણે 30 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ કડાકાભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતમાં ફરી આવશે માવઠું!

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત માટે પણ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગાહી પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ સૂકૂ વાતાવરણ રહેશે પરંતુ તે બાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29મીએ ફરી વાદળો જોવા મળી શકે છે. 28 માર્ચ દરમિયાન ફરી માવઠું આવવાની આગાહી કરવામાં આવી છે. 


એપ્રિલ મહિના બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો 

હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તરગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ એપ્રિલ મહિનામાં વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ વર્ષે ગરમીનો માર વધુ સહન કરવો પડશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.        




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.