ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા! જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-25 18:27:31

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં દેશનું વાતાવરણ કેવું રહેશે તે માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે. દિલ્હીમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં પડશે વરસાદ!  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશ માટે પણ મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચંબા, રોહતાંગ અને જલોડી દર્રામાં હિમવર્ષા થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના હવામાનમાં થયેલા પરિવર્તનની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. અનેક રાજ્યોનું તાપમાન ઠંડું રહેશે. આગાહી પ્રમાણે 30 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ કડાકાભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતમાં ફરી આવશે માવઠું!

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત માટે પણ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગાહી પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ સૂકૂ વાતાવરણ રહેશે પરંતુ તે બાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29મીએ ફરી વાદળો જોવા મળી શકે છે. 28 માર્ચ દરમિયાન ફરી માવઠું આવવાની આગાહી કરવામાં આવી છે. 


એપ્રિલ મહિના બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો 

હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તરગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ એપ્રિલ મહિનામાં વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ વર્ષે ગરમીનો માર વધુ સહન કરવો પડશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.