ગદર-2 ફિલ્મ પહેલા ગદર ફિલ્મને રિલીઝ કરવાનો કરાયો નિર્ણય, જાણો શા માટે લેવાયો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-12 16:46:43

થોડા સમય પહેલા સની દેઓલની આગામી ફિલ્મ ગદર-2નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મનો ફસ્ટલૂક પણ સામે આવ્યો હતો. આ બધા વચ્ચે સની દેઓલની ફિલ્મ ગદર-એક પ્રેમ કહાની 22 વર્ષ બાદ ફરી એક વખત રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની પ્રોડકશન કંપનીએ આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગદર-2 પહેલા ગદર ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. 


2001માં રિલીઝ થઈ હતી ફિલ્મ 

સની દેઓલની ફિલ્મ એક્શનથી ભરપૂર હોય છે. તેમની એક્શન લોકોને પસંદ પણ આવે છે. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરને લોકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે થોડા સમય બાદ ગદર-2 ફિલ્મ રિલીઝ થવા જવાની છે. પરંતુ ગદર-2 પહેલા ગદર ફિલ્મને ફરી એક વખત રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

गदर: एक प्रेम कथा

ગદર-2 પહેલા રિલીઝ થશે ગદર ફિલ્મ 

આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમીશા પટેલ પણ નજર આવશે. થોડા સમય પહેલા ગદર-2નો ફસ્ટ લુક પણ સામે આવ્યો હતો. જેમાં જૂના ફિલ્મની જેમ જ તેઓ નજરે પડી રહ્યા છે. દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે પરંતુ ટ્રેલર કયારે રિલીઝ થશે તે અંગે તારીખ જાહેર કરવામાં નથી આવી. ત્યારે મેકર્સે ગદર ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેને કારણે 22 વર્ષ બાદ ફરી એક વખત ગદર ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. 


મેકર્સે કરી આ અંગે જાહેરાત 

આ ફિલ્મને રિલીઝ કરવાનું કારણ એ છે કે લોકોને ગદર ફિલ્મની કહાની ફરી પાછી યાદ આવી જાય. કારણ કે ફિલ્મને  રિલીઝ થયે 22 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. ગદર-એક પ્રેમ કથા પણ એ જ તારીખે મોટા પડદા પર રિલીઝ થવાની છે જ્યારે પહેલી વખતે થઈ હતી. એટલે ગદર ફિલ્મ 15 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે.    

 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.