ગદર-2 ફિલ્મ પહેલા ગદર ફિલ્મને રિલીઝ કરવાનો કરાયો નિર્ણય, જાણો શા માટે લેવાયો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-12 16:46:43

થોડા સમય પહેલા સની દેઓલની આગામી ફિલ્મ ગદર-2નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મનો ફસ્ટલૂક પણ સામે આવ્યો હતો. આ બધા વચ્ચે સની દેઓલની ફિલ્મ ગદર-એક પ્રેમ કહાની 22 વર્ષ બાદ ફરી એક વખત રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની પ્રોડકશન કંપનીએ આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગદર-2 પહેલા ગદર ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. 


2001માં રિલીઝ થઈ હતી ફિલ્મ 

સની દેઓલની ફિલ્મ એક્શનથી ભરપૂર હોય છે. તેમની એક્શન લોકોને પસંદ પણ આવે છે. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરને લોકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે થોડા સમય બાદ ગદર-2 ફિલ્મ રિલીઝ થવા જવાની છે. પરંતુ ગદર-2 પહેલા ગદર ફિલ્મને ફરી એક વખત રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

गदर: एक प्रेम कथा

ગદર-2 પહેલા રિલીઝ થશે ગદર ફિલ્મ 

આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમીશા પટેલ પણ નજર આવશે. થોડા સમય પહેલા ગદર-2નો ફસ્ટ લુક પણ સામે આવ્યો હતો. જેમાં જૂના ફિલ્મની જેમ જ તેઓ નજરે પડી રહ્યા છે. દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે પરંતુ ટ્રેલર કયારે રિલીઝ થશે તે અંગે તારીખ જાહેર કરવામાં નથી આવી. ત્યારે મેકર્સે ગદર ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેને કારણે 22 વર્ષ બાદ ફરી એક વખત ગદર ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. 


મેકર્સે કરી આ અંગે જાહેરાત 

આ ફિલ્મને રિલીઝ કરવાનું કારણ એ છે કે લોકોને ગદર ફિલ્મની કહાની ફરી પાછી યાદ આવી જાય. કારણ કે ફિલ્મને  રિલીઝ થયે 22 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. ગદર-એક પ્રેમ કથા પણ એ જ તારીખે મોટા પડદા પર રિલીઝ થવાની છે જ્યારે પહેલી વખતે થઈ હતી. એટલે ગદર ફિલ્મ 15 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે.    

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .