ગદર-2 ફિલ્મ પહેલા ગદર ફિલ્મને રિલીઝ કરવાનો કરાયો નિર્ણય, જાણો શા માટે લેવાયો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-12 16:46:43

થોડા સમય પહેલા સની દેઓલની આગામી ફિલ્મ ગદર-2નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મનો ફસ્ટલૂક પણ સામે આવ્યો હતો. આ બધા વચ્ચે સની દેઓલની ફિલ્મ ગદર-એક પ્રેમ કહાની 22 વર્ષ બાદ ફરી એક વખત રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની પ્રોડકશન કંપનીએ આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગદર-2 પહેલા ગદર ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. 


2001માં રિલીઝ થઈ હતી ફિલ્મ 

સની દેઓલની ફિલ્મ એક્શનથી ભરપૂર હોય છે. તેમની એક્શન લોકોને પસંદ પણ આવે છે. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરને લોકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે થોડા સમય બાદ ગદર-2 ફિલ્મ રિલીઝ થવા જવાની છે. પરંતુ ગદર-2 પહેલા ગદર ફિલ્મને ફરી એક વખત રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

गदर: एक प्रेम कथा

ગદર-2 પહેલા રિલીઝ થશે ગદર ફિલ્મ 

આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમીશા પટેલ પણ નજર આવશે. થોડા સમય પહેલા ગદર-2નો ફસ્ટ લુક પણ સામે આવ્યો હતો. જેમાં જૂના ફિલ્મની જેમ જ તેઓ નજરે પડી રહ્યા છે. દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે પરંતુ ટ્રેલર કયારે રિલીઝ થશે તે અંગે તારીખ જાહેર કરવામાં નથી આવી. ત્યારે મેકર્સે ગદર ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેને કારણે 22 વર્ષ બાદ ફરી એક વખત ગદર ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. 


મેકર્સે કરી આ અંગે જાહેરાત 

આ ફિલ્મને રિલીઝ કરવાનું કારણ એ છે કે લોકોને ગદર ફિલ્મની કહાની ફરી પાછી યાદ આવી જાય. કારણ કે ફિલ્મને  રિલીઝ થયે 22 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. ગદર-એક પ્રેમ કથા પણ એ જ તારીખે મોટા પડદા પર રિલીઝ થવાની છે જ્યારે પહેલી વખતે થઈ હતી. એટલે ગદર ફિલ્મ 15 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે.    

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી