ગદર-2 ફિલ્મ પહેલા ગદર ફિલ્મને રિલીઝ કરવાનો કરાયો નિર્ણય, જાણો શા માટે લેવાયો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-12 16:46:43

થોડા સમય પહેલા સની દેઓલની આગામી ફિલ્મ ગદર-2નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મનો ફસ્ટલૂક પણ સામે આવ્યો હતો. આ બધા વચ્ચે સની દેઓલની ફિલ્મ ગદર-એક પ્રેમ કહાની 22 વર્ષ બાદ ફરી એક વખત રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની પ્રોડકશન કંપનીએ આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગદર-2 પહેલા ગદર ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. 


2001માં રિલીઝ થઈ હતી ફિલ્મ 

સની દેઓલની ફિલ્મ એક્શનથી ભરપૂર હોય છે. તેમની એક્શન લોકોને પસંદ પણ આવે છે. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરને લોકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે થોડા સમય બાદ ગદર-2 ફિલ્મ રિલીઝ થવા જવાની છે. પરંતુ ગદર-2 પહેલા ગદર ફિલ્મને ફરી એક વખત રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

गदर: एक प्रेम कथा

ગદર-2 પહેલા રિલીઝ થશે ગદર ફિલ્મ 

આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમીશા પટેલ પણ નજર આવશે. થોડા સમય પહેલા ગદર-2નો ફસ્ટ લુક પણ સામે આવ્યો હતો. જેમાં જૂના ફિલ્મની જેમ જ તેઓ નજરે પડી રહ્યા છે. દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે પરંતુ ટ્રેલર કયારે રિલીઝ થશે તે અંગે તારીખ જાહેર કરવામાં નથી આવી. ત્યારે મેકર્સે ગદર ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેને કારણે 22 વર્ષ બાદ ફરી એક વખત ગદર ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. 


મેકર્સે કરી આ અંગે જાહેરાત 

આ ફિલ્મને રિલીઝ કરવાનું કારણ એ છે કે લોકોને ગદર ફિલ્મની કહાની ફરી પાછી યાદ આવી જાય. કારણ કે ફિલ્મને  રિલીઝ થયે 22 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. ગદર-એક પ્રેમ કથા પણ એ જ તારીખે મોટા પડદા પર રિલીઝ થવાની છે જ્યારે પહેલી વખતે થઈ હતી. એટલે ગદર ફિલ્મ 15 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે.    

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.