જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:58:41

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી રહી છે. કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 215 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક્ટ્રેસને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ કોર્ટમાં બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ ચાર્જશીટનું સંજ્ઞાન લઈને આજે જ સુનાવણી માટે અભિનેત્રીને સમન્સ મોકલ્યું હતું.


12 સપ્ટેમ્બરે દિલ્લી પોલીસ કરશે પૂછપરછ


આજે સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસ વતી કોર્ટમાં હાજર થયેલા વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે દિલ્લી પોલીસે પણ જેક્લિન ફર્નાન્ડિઝને 12 સપ્ટેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપ્યા છે. આ પહેલા પાઠવેલા સમન્સમાં તે હાજર રહી ન હતી. જેક્લીનના વકીલે પોલીસને આશ્વાસન આપ્યું હતું કે તે આગામી તારીખે થનારી પુછપરછમાં હાજર રહેશે.


ડોન ચંદ્રશેખર સાથે સંબંધના કારણે ફસાઈ જેક્લિન


ઈડીના જણાવ્યા પ્રમાણે મહાઠગ ચંદ્રશેખરે ખંડણી ઉઘરાવી ભેગા કરેલા કરોડો રૂપિયાની ગીફ્ટ આપી જેક્લિન આપી હતી. ચંદ્રશેખરે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટ આપી હતી. ED માને છે કે જેક્લિનને શરૂઆતમાં જ ખ્યાલ હતો કે આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ઠગ છે અને તે ખંડણી વસૂલે છે. જેક્લીનના ચંદ્રશેખર સાથેના સંબંધોના કારણે તે ઈડીના રડાર પર છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .