જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:58:41

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી રહી છે. કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 215 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક્ટ્રેસને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ કોર્ટમાં બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ ચાર્જશીટનું સંજ્ઞાન લઈને આજે જ સુનાવણી માટે અભિનેત્રીને સમન્સ મોકલ્યું હતું.


12 સપ્ટેમ્બરે દિલ્લી પોલીસ કરશે પૂછપરછ


આજે સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસ વતી કોર્ટમાં હાજર થયેલા વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે દિલ્લી પોલીસે પણ જેક્લિન ફર્નાન્ડિઝને 12 સપ્ટેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપ્યા છે. આ પહેલા પાઠવેલા સમન્સમાં તે હાજર રહી ન હતી. જેક્લીનના વકીલે પોલીસને આશ્વાસન આપ્યું હતું કે તે આગામી તારીખે થનારી પુછપરછમાં હાજર રહેશે.


ડોન ચંદ્રશેખર સાથે સંબંધના કારણે ફસાઈ જેક્લિન


ઈડીના જણાવ્યા પ્રમાણે મહાઠગ ચંદ્રશેખરે ખંડણી ઉઘરાવી ભેગા કરેલા કરોડો રૂપિયાની ગીફ્ટ આપી જેક્લિન આપી હતી. ચંદ્રશેખરે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટ આપી હતી. ED માને છે કે જેક્લિનને શરૂઆતમાં જ ખ્યાલ હતો કે આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ઠગ છે અને તે ખંડણી વસૂલે છે. જેક્લીનના ચંદ્રશેખર સાથેના સંબંધોના કારણે તે ઈડીના રડાર પર છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.