જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:58:41

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી રહી છે. કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 215 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક્ટ્રેસને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ કોર્ટમાં બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ ચાર્જશીટનું સંજ્ઞાન લઈને આજે જ સુનાવણી માટે અભિનેત્રીને સમન્સ મોકલ્યું હતું.


12 સપ્ટેમ્બરે દિલ્લી પોલીસ કરશે પૂછપરછ


આજે સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસ વતી કોર્ટમાં હાજર થયેલા વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે દિલ્લી પોલીસે પણ જેક્લિન ફર્નાન્ડિઝને 12 સપ્ટેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપ્યા છે. આ પહેલા પાઠવેલા સમન્સમાં તે હાજર રહી ન હતી. જેક્લીનના વકીલે પોલીસને આશ્વાસન આપ્યું હતું કે તે આગામી તારીખે થનારી પુછપરછમાં હાજર રહેશે.


ડોન ચંદ્રશેખર સાથે સંબંધના કારણે ફસાઈ જેક્લિન


ઈડીના જણાવ્યા પ્રમાણે મહાઠગ ચંદ્રશેખરે ખંડણી ઉઘરાવી ભેગા કરેલા કરોડો રૂપિયાની ગીફ્ટ આપી જેક્લિન આપી હતી. ચંદ્રશેખરે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટ આપી હતી. ED માને છે કે જેક્લિનને શરૂઆતમાં જ ખ્યાલ હતો કે આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ઠગ છે અને તે ખંડણી વસૂલે છે. જેક્લીનના ચંદ્રશેખર સાથેના સંબંધોના કારણે તે ઈડીના રડાર પર છે.



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.