જૈકલીન ફર્નાંડીઝની અંતરિમ જામીન 10 નવેમ્બર સુધી વધારાઈ


  • Published By :
  • Published Date : 2022-10-22 17:34:34

ઠગ સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની છેતરપિંડી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં જૈકલીન ફર્નાંડીઝ સહ આરોપી છે. ત્યારે પટિયાલા કોર્ટે જૈકલીનની અંતરિમ જામીન આપી દીધા. ગઈ વખતની જેમ આજ વખતે પણ જૈકલીન વકીલના કપડા પહેરીને કોર્ટમાં પહોંચી હતી. 


શું છે ઠગાઈનો પૂરો મામલો?

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે 17 ઓગસ્ટે ચાર્જશીટ દાખલ કરીને જૈકલિન ફર્નાંડીઝને મની લોન્ડ્રીંગ કેસમાં આરોપી બનાવી હતી. કોર્ટે સમગ્ર મામલામાં જૈકલિન ફર્નાંડીઝને સમન મોકલ્યું હતું ત્યારબાદ જૈકલિન ફર્નાંડીઝના વકીલે તેમની જામીન અરજી મોકલી હતી. 


કેવી રીતે જૈકલિન ઠગ સુકેશના સંપર્કમાં આવી?

જૈકલિન ફર્નાંડીઝે જામીન અરજીમાં જણાવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે કરેલી ઠગાઈમાં તેનો કોઈ હાથ નથી. સુકેશે લોકોને કેવી રીતે ઠગ્યા તેમાં જૈકલિન ફર્નાંડીઝનો કોઈ રોલ નથી તેવું તેણે જણાવ્યું હતું. જૈકલિનના જણાવ્યા મુજબ તે પોતે એક શિકાર છે. જૈકલિનનું એવું કહેવું છે તે એક ઈવેન્ટમાં ઠગ સુકેશને મળી હતી જ્યાં સુકેશે તેને પોતાની ઓળખાણ છૂપાવીને મુલાકાત કરી હતી. 


કોણ છે સુકેશ ચંદ્રશેખર?

સુકેશ ચંદ્રશેખર ભારતનો મોટો ઠગ છે. તેણે ભારતમાં અનેક લોકોને ઠગ્યા છે. સુકેશ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે રૈનબેક્સીના પૂર્વ ચેરમેન શિવેંદ્ર સિંહની પત્ની અદિતી સિંહ પાસેથી 200 કરોડ રૂપિયાની વસૂલી કરી હતી. સુકેશ ચંદ્રશેખર પોતાને મંત્રાલયનો અધિકારી જણાવતો હતો અને લોકોને ઠગતો હતો. પ્રધાનમંત્રી મંત્રાલયમાં જેવા કાગળોથી કામગીરી કરવામાં આવે છે તેવા કોપી કાગળોથી સુકેશ લોકોને ઠગતો હતો. નવ-નવ મહિના તેણે દિલ્લીના જેલમાં રહીને અનેક લોકોને ઠગ્યા હતા. સમગ્ર મામલે વિવાદ વધ્યો અને સુકેશ ચંદ્રશેખર ખુલો પડી ગયો હતો ત્યારથી ઈડી સુકેશ પર કાર્યવાહી કરી રહી છે.





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી