ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ CM જગદીશ શેટ્ટરે આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-04-16 18:04:41

કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને બાય બાય કરી દીધું છે. ભાજપે તેમને ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે આ નિર્ણય લીધો, જેના પછી તરત જ વિપક્ષ કોંગ્રેસે તેમને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.


ભાજપથી હતા નારાજ


ભાજપના રાજ્ય એકમના પૂર્વ પ્રમુખ અને છ વખતના ધારાસભ્ય  67 વર્ષીય શેટ્ટરે શનિવારે કહ્યું હતું કે તેઓ ત્રણ દાયકા સુધી ભાજપ સાથે રહ્યા બાદ વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે અને પાર્ટી સાથે અલગ થઈ જશે. શેટ્ટરે પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે આગામી વિધાનસભા ચૂંટણી લડશે, દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રકાશે કહ્યું કે જો શેટ્ટર તેમની પાર્ટીમાં જોડાવા માંગતા હોય, તો પાર્ટી તેમનું સ્વાગત કરશે.


વિધાનસભા અધ્યક્ષને આપ્યું રાજીનામું


હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટના ધારાસભ્ય, શેટ્ટર ઉત્તરા કન્નડ જિલ્લાના સિરસી પહોંચ્યા અને વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સિરસીમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ જગદીશ શેટ્ટરે કહ્યું કે, હું માત્ર હુબલી-ધારવાડ-સેન્ટ્રલ માટે ધારાસભ્યની બેઠક ઇચ્છતો હતો... મેં રાજ્યમાં પાર્ટીના વિકાસમાં યોગદાન આપ્યું છે.


મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ


કર્ણાટકના ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ સહિત પક્ષના અગ્રણી નેતાઓએ શનિવારે મોડી રાત સુધી શેટ્ટરને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો અને તેમણે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.