ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ CM જગદીશ શેટ્ટરે આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-04-16 18:04:41

કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને બાય બાય કરી દીધું છે. ભાજપે તેમને ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે આ નિર્ણય લીધો, જેના પછી તરત જ વિપક્ષ કોંગ્રેસે તેમને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.


ભાજપથી હતા નારાજ


ભાજપના રાજ્ય એકમના પૂર્વ પ્રમુખ અને છ વખતના ધારાસભ્ય  67 વર્ષીય શેટ્ટરે શનિવારે કહ્યું હતું કે તેઓ ત્રણ દાયકા સુધી ભાજપ સાથે રહ્યા બાદ વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે અને પાર્ટી સાથે અલગ થઈ જશે. શેટ્ટરે પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે આગામી વિધાનસભા ચૂંટણી લડશે, દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રકાશે કહ્યું કે જો શેટ્ટર તેમની પાર્ટીમાં જોડાવા માંગતા હોય, તો પાર્ટી તેમનું સ્વાગત કરશે.


વિધાનસભા અધ્યક્ષને આપ્યું રાજીનામું


હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટના ધારાસભ્ય, શેટ્ટર ઉત્તરા કન્નડ જિલ્લાના સિરસી પહોંચ્યા અને વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સિરસીમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ જગદીશ શેટ્ટરે કહ્યું કે, હું માત્ર હુબલી-ધારવાડ-સેન્ટ્રલ માટે ધારાસભ્યની બેઠક ઇચ્છતો હતો... મેં રાજ્યમાં પાર્ટીના વિકાસમાં યોગદાન આપ્યું છે.


મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ


કર્ણાટકના ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ સહિત પક્ષના અગ્રણી નેતાઓએ શનિવારે મોડી રાત સુધી શેટ્ટરને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો અને તેમણે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.