ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ CM જગદીશ શેટ્ટરે આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-04-16 18:04:41

કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને બાય બાય કરી દીધું છે. ભાજપે તેમને ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે આ નિર્ણય લીધો, જેના પછી તરત જ વિપક્ષ કોંગ્રેસે તેમને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.


ભાજપથી હતા નારાજ


ભાજપના રાજ્ય એકમના પૂર્વ પ્રમુખ અને છ વખતના ધારાસભ્ય  67 વર્ષીય શેટ્ટરે શનિવારે કહ્યું હતું કે તેઓ ત્રણ દાયકા સુધી ભાજપ સાથે રહ્યા બાદ વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે અને પાર્ટી સાથે અલગ થઈ જશે. શેટ્ટરે પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે આગામી વિધાનસભા ચૂંટણી લડશે, દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રકાશે કહ્યું કે જો શેટ્ટર તેમની પાર્ટીમાં જોડાવા માંગતા હોય, તો પાર્ટી તેમનું સ્વાગત કરશે.


વિધાનસભા અધ્યક્ષને આપ્યું રાજીનામું


હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટના ધારાસભ્ય, શેટ્ટર ઉત્તરા કન્નડ જિલ્લાના સિરસી પહોંચ્યા અને વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સિરસીમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ જગદીશ શેટ્ટરે કહ્યું કે, હું માત્ર હુબલી-ધારવાડ-સેન્ટ્રલ માટે ધારાસભ્યની બેઠક ઇચ્છતો હતો... મેં રાજ્યમાં પાર્ટીના વિકાસમાં યોગદાન આપ્યું છે.


મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ


કર્ણાટકના ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ સહિત પક્ષના અગ્રણી નેતાઓએ શનિવારે મોડી રાત સુધી શેટ્ટરને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો અને તેમણે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.