ACCના ચેરમેન તરીકે જય શાહનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવાયો, બાલીમાં યોજાયેલી મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-31 17:55:49

જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન તરીકે ચાલુ રહેશે. તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. બુધવારે મળેલી ACCની વાર્ષિક સામાન્ય સભામાં જય શાહનો કાર્યકાળ સર્વાનુમતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ કાલે એટલે કે મંગળવારથી ACCની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠક 2 દિવસની હતી. જય શાહે 2021માં બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું.


શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું સુચન


એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ત્રીજી વખત ACCના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જય શાહનો કાર્યકાળ લંબાવવાનું સૂચન શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું હતું. શમી સિલ્વાએ બાલીમાં આયોજિત એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, બધાની સહમતિથી તેને મંજૂરી આપવામાં આવી હતી.


2021માં પ્રથમ વખત બન્યા હતા ACCના પ્રમુખ  


જય શાહે જાન્યુઆરી 2021માં પ્રથમ વખત આ પદ પર કબજો કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનનું સ્થાન લીધું હતું. શાહના નેતૃત્વ હેઠળ, ACC એ 2022 માં T20 ફોર્મેટમાં એશિયા કપ અને 2023 માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.



આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .