ACCના ચેરમેન તરીકે જય શાહનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવાયો, બાલીમાં યોજાયેલી મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-31 17:55:49

જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન તરીકે ચાલુ રહેશે. તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. બુધવારે મળેલી ACCની વાર્ષિક સામાન્ય સભામાં જય શાહનો કાર્યકાળ સર્વાનુમતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ કાલે એટલે કે મંગળવારથી ACCની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠક 2 દિવસની હતી. જય શાહે 2021માં બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું.


શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું સુચન


એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ત્રીજી વખત ACCના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જય શાહનો કાર્યકાળ લંબાવવાનું સૂચન શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું હતું. શમી સિલ્વાએ બાલીમાં આયોજિત એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, બધાની સહમતિથી તેને મંજૂરી આપવામાં આવી હતી.


2021માં પ્રથમ વખત બન્યા હતા ACCના પ્રમુખ  


જય શાહે જાન્યુઆરી 2021માં પ્રથમ વખત આ પદ પર કબજો કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનનું સ્થાન લીધું હતું. શાહના નેતૃત્વ હેઠળ, ACC એ 2022 માં T20 ફોર્મેટમાં એશિયા કપ અને 2023 માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.