ACCના ચેરમેન તરીકે જય શાહનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવાયો, બાલીમાં યોજાયેલી મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-31 17:55:49

જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન તરીકે ચાલુ રહેશે. તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. બુધવારે મળેલી ACCની વાર્ષિક સામાન્ય સભામાં જય શાહનો કાર્યકાળ સર્વાનુમતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ કાલે એટલે કે મંગળવારથી ACCની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠક 2 દિવસની હતી. જય શાહે 2021માં બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું.


શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું સુચન


એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ત્રીજી વખત ACCના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જય શાહનો કાર્યકાળ લંબાવવાનું સૂચન શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું હતું. શમી સિલ્વાએ બાલીમાં આયોજિત એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, બધાની સહમતિથી તેને મંજૂરી આપવામાં આવી હતી.


2021માં પ્રથમ વખત બન્યા હતા ACCના પ્રમુખ  


જય શાહે જાન્યુઆરી 2021માં પ્રથમ વખત આ પદ પર કબજો કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનનું સ્થાન લીધું હતું. શાહના નેતૃત્વ હેઠળ, ACC એ 2022 માં T20 ફોર્મેટમાં એશિયા કપ અને 2023 માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.