ACCના ચેરમેન તરીકે જય શાહનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવાયો, બાલીમાં યોજાયેલી મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-31 17:55:49

જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન તરીકે ચાલુ રહેશે. તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. બુધવારે મળેલી ACCની વાર્ષિક સામાન્ય સભામાં જય શાહનો કાર્યકાળ સર્વાનુમતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ કાલે એટલે કે મંગળવારથી ACCની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠક 2 દિવસની હતી. જય શાહે 2021માં બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું.


શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું સુચન


એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ત્રીજી વખત ACCના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જય શાહનો કાર્યકાળ લંબાવવાનું સૂચન શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું હતું. શમી સિલ્વાએ બાલીમાં આયોજિત એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, બધાની સહમતિથી તેને મંજૂરી આપવામાં આવી હતી.


2021માં પ્રથમ વખત બન્યા હતા ACCના પ્રમુખ  


જય શાહે જાન્યુઆરી 2021માં પ્રથમ વખત આ પદ પર કબજો કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનનું સ્થાન લીધું હતું. શાહના નેતૃત્વ હેઠળ, ACC એ 2022 માં T20 ફોર્મેટમાં એશિયા કપ અને 2023 માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .