જેલમાં બંધ મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર, પત્ર લખીને PM મોદીના શિક્ષણ પર ઉઠાવ્યા પ્રશ્નો, લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-04-07 12:20:53

ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ આમ આદમી પાર્ટી મુદ્દો ઉઠાવી રહી છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મામલે જેલમાં બંધ મનીષ સિસોદિયાએ જેલમાંથી એક પત્ર લખ્યો છે જેમાં વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષિણ સામે સવાલો ઉઠાવ્યા છે. પોતાના પત્રમાં સિસોદિયાએ લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે.

 



તિહાડ જેલમાંથી મનિષ સિસોદિયાએ લખ્યો પત્ર

મનીષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ જેલમાંથી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતો એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં પીએમના ભણતરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીના શિક્ષિત હોવા પર સવાલ ઉઠાવ્યો હતો. પોતાના પત્રમાં તેમણે લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને શિક્ષિણનું મહત્વ નથી સમજતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ 60 હજાર શાળાઓ બંધ કરી લીધી છે. ભારતની પ્રગતિ માટે શિક્ષિત પીએમનું હોવું જરૂરી છે.


અરવિંદ કેજરીવાલે પીએમના ભણતરનો ઉઠાવ્યો હતો પ્રશ્ન 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદીને લઈ આમ આદમી પાર્ટી આક્રામક દેખાઈ રહી છે. પીએમની ડિગ્રીને લઈ અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો હતો. વડાપ્રધાનની ડિગ્રી અંગે અરજી દાખલ કરવા બદલ કોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ઓછું ભણેલું કે અભણ હોવું એ ગુનો કે પાપ નથી. મેં આ માહિતી કેમ માંગી? દેશે 75 વર્ષમાં જેટલી પ્રગતિ કરવી જોઈતી હતી તેટલી થઈ નથી. 21મી સદીના યુવાનો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આવી સ્થિતિમાં દેશના પીએમ માટે શિક્ષિત હોવું જરૂરી છે. ત્યારે ફરી એક વખત શિક્ષિત પીએમનો મુદ્દો ઉઠ્યો છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.