જેલમાં બંધ મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર, પત્ર લખીને PM મોદીના શિક્ષણ પર ઉઠાવ્યા પ્રશ્નો, લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-04-07 12:20:53

ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ આમ આદમી પાર્ટી મુદ્દો ઉઠાવી રહી છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મામલે જેલમાં બંધ મનીષ સિસોદિયાએ જેલમાંથી એક પત્ર લખ્યો છે જેમાં વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષિણ સામે સવાલો ઉઠાવ્યા છે. પોતાના પત્રમાં સિસોદિયાએ લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે.

 



તિહાડ જેલમાંથી મનિષ સિસોદિયાએ લખ્યો પત્ર

મનીષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ જેલમાંથી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતો એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં પીએમના ભણતરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીના શિક્ષિત હોવા પર સવાલ ઉઠાવ્યો હતો. પોતાના પત્રમાં તેમણે લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને શિક્ષિણનું મહત્વ નથી સમજતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ 60 હજાર શાળાઓ બંધ કરી લીધી છે. ભારતની પ્રગતિ માટે શિક્ષિત પીએમનું હોવું જરૂરી છે.


અરવિંદ કેજરીવાલે પીએમના ભણતરનો ઉઠાવ્યો હતો પ્રશ્ન 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદીને લઈ આમ આદમી પાર્ટી આક્રામક દેખાઈ રહી છે. પીએમની ડિગ્રીને લઈ અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો હતો. વડાપ્રધાનની ડિગ્રી અંગે અરજી દાખલ કરવા બદલ કોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ઓછું ભણેલું કે અભણ હોવું એ ગુનો કે પાપ નથી. મેં આ માહિતી કેમ માંગી? દેશે 75 વર્ષમાં જેટલી પ્રગતિ કરવી જોઈતી હતી તેટલી થઈ નથી. 21મી સદીના યુવાનો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આવી સ્થિતિમાં દેશના પીએમ માટે શિક્ષિત હોવું જરૂરી છે. ત્યારે ફરી એક વખત શિક્ષિત પીએમનો મુદ્દો ઉઠ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.