જેલમાં બંધ મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર, પત્ર લખીને PM મોદીના શિક્ષણ પર ઉઠાવ્યા પ્રશ્નો, લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-04-07 12:20:53

ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ આમ આદમી પાર્ટી મુદ્દો ઉઠાવી રહી છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મામલે જેલમાં બંધ મનીષ સિસોદિયાએ જેલમાંથી એક પત્ર લખ્યો છે જેમાં વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષિણ સામે સવાલો ઉઠાવ્યા છે. પોતાના પત્રમાં સિસોદિયાએ લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે.

 



તિહાડ જેલમાંથી મનિષ સિસોદિયાએ લખ્યો પત્ર

મનીષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ જેલમાંથી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતો એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં પીએમના ભણતરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીના શિક્ષિત હોવા પર સવાલ ઉઠાવ્યો હતો. પોતાના પત્રમાં તેમણે લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને શિક્ષિણનું મહત્વ નથી સમજતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ 60 હજાર શાળાઓ બંધ કરી લીધી છે. ભારતની પ્રગતિ માટે શિક્ષિત પીએમનું હોવું જરૂરી છે.


અરવિંદ કેજરીવાલે પીએમના ભણતરનો ઉઠાવ્યો હતો પ્રશ્ન 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદીને લઈ આમ આદમી પાર્ટી આક્રામક દેખાઈ રહી છે. પીએમની ડિગ્રીને લઈ અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો હતો. વડાપ્રધાનની ડિગ્રી અંગે અરજી દાખલ કરવા બદલ કોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ઓછું ભણેલું કે અભણ હોવું એ ગુનો કે પાપ નથી. મેં આ માહિતી કેમ માંગી? દેશે 75 વર્ષમાં જેટલી પ્રગતિ કરવી જોઈતી હતી તેટલી થઈ નથી. 21મી સદીના યુવાનો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આવી સ્થિતિમાં દેશના પીએમ માટે શિક્ષિત હોવું જરૂરી છે. ત્યારે ફરી એક વખત શિક્ષિત પીએમનો મુદ્દો ઉઠ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.