દારૂબંધીના ધજાગરા LIVE! દારૂના ભઠ્ઠાની વિડિયો જમાવટે રિલીઝ કરી અને...


  • Published By :
  • Published Date : 2023-10-23 15:14:30

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને રાજ્યમાં દારૂની રેલમછેલ આવા શબ્દો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. ગુજરાતમાં દારૂ પીનારાઓ અને દારૂ વેચનારાઓની ચર્ચાઓ પણ દરરોજ થાય છે. પણ દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણે આવા ઝેરી દારૂથી લોકોને મરતા જોઈએ છીએ. આવા દારૂથી આપણે કેટલાય લોકોને લઠ્ઠાકાંડમાં મરતા જોયા છે. કેટલાય પરિવારો નોંધારા બનતા જોયા છે. જ્યારે જ્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાય છે ત્યારે ત્યારે તમે ગુજરાત દારૂબંધી કડક થઇ જાય છે પણ, પછી શું જેમનું તેમ ?


દેશી દારૂની ભઠ્ઠી પર અમે LIVE રેડ કેમ કરી ?

આમ તો, સામાન્ય રીતે દારૂના અડ્ડા અને દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ કરતી હોય છે. પરંતુ અનેક વખત પત્રકાર તરીકે સામાજિક જવાબદારી નિભાવવી એ પણ આપણી ફરજ બની જાય છે. અમે એક સ્ટોરી બનાવી મહેસાણાના લાખવડ ગામ પાસેથી પસાર થઈ થયા હતા. જે દરમ્યાન મને જાણવા મળ્યું હતું કે આ ગામમાં દારૂની ભઠ્ઠીઓ છે જ્યાં દેશી દારૂનું ઉત્પાદન થાય છે. એ સાંભળી મને થયું કે પોલીસને જાણ કરું, પણ મારા મિત્રએ મને કહ્યું કે પોલીસને જાણ કરશો તો બધું બંધ થઈ જશે! તો પછી મે વિચાર્યુ કે ચલો તો પછી આપણે જ જઈએ. અને ત્યાં બહાર ગાડી મૂકી અમે અંદર ચાલતા ગયા જ્યાં એક વાડામાં (વાડ કરેલી જગ્યા) મે જોયુ એક ભાઈ ત્યાં બેઠા હતા અને ત્યાં આ દેશી દારૂ બની રહ્યો હતો. ત્યાં ઘણા બધા કેરબા અને દારૂ બનાવવાની સામગ્રી હતી અને ચૂલો સળગી રહ્યો હતો. આ જોઈ મે ત્યાં હાજર વ્યક્તિ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો અને એ વ્યક્તિનું Interview કર્યું હતું જેમાં ત્યાં હાજર એ ભાઈએ અમને બતાવ્યું હતું કે દેશી દારૂ કેવી રીતે બને છે

દેશી દારૂ કેવી રીતે બને ?

અમે આ દારૂની ભઠ્ઠી પર હાજર વ્યક્તિ પાસેથી જાણ્યું કે, દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણીવાર આ દેશી દારૂમાં કેમિકલ પણ નાખવામાં આવતું હોય છે. જેના કારણે આ દારૂમાં નશાનું પ્રમાણ વધી જતું હોય છે. આ ગોળ, ફટકડી અને કેમિકલને એક પીપડામાં ભરી મિક્ષ થાય સુધી મૂકી રાખવામાં આવે છે અને પછી માટલા આકારનના વાસણમાં આ પ્રવાહીને ભરી પેક કરી ચૂલા પર મૂકવામાં આવે છે. જેમાંથી ગરમ વરાળ નીકળતી હોય છે જેને પાઇપના દ્વારા બીજી બરણીમાં ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે એટલે કે વરાળમાંથી બાષ્પીભવન થઈ આ દેશી દારૂ બનતો હોય છે. ( વિડિયો જોઈ વધુ સમજી શકશો ) આમ તો આ દારૂ સ્વીટ પોઈઝનની જેમ હોય છે ધીરે ધીરે શરીરને ખતમ કરે છે. ઘણીવાર આ કેમિકલ યુક્ત દારૂ ઝેરી બની જતો હોય છે જેના કારણે કેટલાયના મોત થઈ જતાં હોય છે

વીડિયોના બે જ કલાકમાં પોલીસે કાર્યવાહી કરી હતી !

મહેસાણાના લાખવડ ગામની સીમમાં જ્યાં આ દારૂની ભઠ્ઠી ચાલતી હતી. ત્યાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ લાગે છે. આ વિડિઓ રિલીઝ થયા બાદ મહેસાણા તાલુકા પોલીસ દોડતી થઈ હતી. અને લાખવડ ગામની આ ભઠ્ઠીને તોડી નાખવામાં આવી હતી. અને આ ભઠ્ઠી પરથી પોલીસને 300 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે તે જ દિવસે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા ત્રણ દેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. 

https://youtu.be/MImYeOnWkaw?si=sVjlo4jcDUjyp_3O

શું વિડિયો જોયા બાદ પોલીસે કાર્યવાહી કરી ?

મહેસાણામાં અનેક જગ્યાએ આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચાય છે ! જે સૌ કોઈને ખબર છે. પણ ઘણી વાર પોલીસની રહેમનજર હેઠળ પણ આ દારૂની હાટડીઓ ખુલ્લેઆમ ચાલતી હોય છે ! મહેસાણામાં આવો અને નાના છોકરાને પણ પૂછો ને તો એને પણ ખબર હોય કે દારૂ ક્યાં વેચાય છે. તો પછી પોલીસ ને ખબર ના હોય ? આ વિડિઓ રિલીઝ થયા બાદ મહેસાણા તાલુકા પોલીસના કેટલાક કર્મચારીઓનો ઇગો પણ હર્ટ થયો હતો ! અમે દારૂના અડ્ડા પર રેડ કરતા આ પોલીસના કર્મચારીઓ પાસે આ રેડની વિગતો માંગવાનો પ્રયાસ કર્યો હતો. પણ એમાંથી અમુક કર્મચારીઓ તો જાણે કે એમના ઘરે જઈને મે વિડિયો ઉતારી હોય તેવા ગુસ્સામાં હતા. આ ગુસ્સો કદાચ એટલા માટે પણ આવ્યો હોય કે, તેમનું સેટિંગ બગડી ગયું હોય ?



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.