દારૂબંધીના ધજાગરા LIVE! દારૂના ભઠ્ઠાની વિડિયો જમાવટે રિલીઝ કરી અને...


  • Published By :
  • Published Date : 2023-10-23 15:14:30

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને રાજ્યમાં દારૂની રેલમછેલ આવા શબ્દો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. ગુજરાતમાં દારૂ પીનારાઓ અને દારૂ વેચનારાઓની ચર્ચાઓ પણ દરરોજ થાય છે. પણ દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણે આવા ઝેરી દારૂથી લોકોને મરતા જોઈએ છીએ. આવા દારૂથી આપણે કેટલાય લોકોને લઠ્ઠાકાંડમાં મરતા જોયા છે. કેટલાય પરિવારો નોંધારા બનતા જોયા છે. જ્યારે જ્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાય છે ત્યારે ત્યારે તમે ગુજરાત દારૂબંધી કડક થઇ જાય છે પણ, પછી શું જેમનું તેમ ?


દેશી દારૂની ભઠ્ઠી પર અમે LIVE રેડ કેમ કરી ?

આમ તો, સામાન્ય રીતે દારૂના અડ્ડા અને દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ કરતી હોય છે. પરંતુ અનેક વખત પત્રકાર તરીકે સામાજિક જવાબદારી નિભાવવી એ પણ આપણી ફરજ બની જાય છે. અમે એક સ્ટોરી બનાવી મહેસાણાના લાખવડ ગામ પાસેથી પસાર થઈ થયા હતા. જે દરમ્યાન મને જાણવા મળ્યું હતું કે આ ગામમાં દારૂની ભઠ્ઠીઓ છે જ્યાં દેશી દારૂનું ઉત્પાદન થાય છે. એ સાંભળી મને થયું કે પોલીસને જાણ કરું, પણ મારા મિત્રએ મને કહ્યું કે પોલીસને જાણ કરશો તો બધું બંધ થઈ જશે! તો પછી મે વિચાર્યુ કે ચલો તો પછી આપણે જ જઈએ. અને ત્યાં બહાર ગાડી મૂકી અમે અંદર ચાલતા ગયા જ્યાં એક વાડામાં (વાડ કરેલી જગ્યા) મે જોયુ એક ભાઈ ત્યાં બેઠા હતા અને ત્યાં આ દેશી દારૂ બની રહ્યો હતો. ત્યાં ઘણા બધા કેરબા અને દારૂ બનાવવાની સામગ્રી હતી અને ચૂલો સળગી રહ્યો હતો. આ જોઈ મે ત્યાં હાજર વ્યક્તિ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો અને એ વ્યક્તિનું Interview કર્યું હતું જેમાં ત્યાં હાજર એ ભાઈએ અમને બતાવ્યું હતું કે દેશી દારૂ કેવી રીતે બને છે

દેશી દારૂ કેવી રીતે બને ?

અમે આ દારૂની ભઠ્ઠી પર હાજર વ્યક્તિ પાસેથી જાણ્યું કે, દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણીવાર આ દેશી દારૂમાં કેમિકલ પણ નાખવામાં આવતું હોય છે. જેના કારણે આ દારૂમાં નશાનું પ્રમાણ વધી જતું હોય છે. આ ગોળ, ફટકડી અને કેમિકલને એક પીપડામાં ભરી મિક્ષ થાય સુધી મૂકી રાખવામાં આવે છે અને પછી માટલા આકારનના વાસણમાં આ પ્રવાહીને ભરી પેક કરી ચૂલા પર મૂકવામાં આવે છે. જેમાંથી ગરમ વરાળ નીકળતી હોય છે જેને પાઇપના દ્વારા બીજી બરણીમાં ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે એટલે કે વરાળમાંથી બાષ્પીભવન થઈ આ દેશી દારૂ બનતો હોય છે. ( વિડિયો જોઈ વધુ સમજી શકશો ) આમ તો આ દારૂ સ્વીટ પોઈઝનની જેમ હોય છે ધીરે ધીરે શરીરને ખતમ કરે છે. ઘણીવાર આ કેમિકલ યુક્ત દારૂ ઝેરી બની જતો હોય છે જેના કારણે કેટલાયના મોત થઈ જતાં હોય છે

વીડિયોના બે જ કલાકમાં પોલીસે કાર્યવાહી કરી હતી !

મહેસાણાના લાખવડ ગામની સીમમાં જ્યાં આ દારૂની ભઠ્ઠી ચાલતી હતી. ત્યાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ લાગે છે. આ વિડિઓ રિલીઝ થયા બાદ મહેસાણા તાલુકા પોલીસ દોડતી થઈ હતી. અને લાખવડ ગામની આ ભઠ્ઠીને તોડી નાખવામાં આવી હતી. અને આ ભઠ્ઠી પરથી પોલીસને 300 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે તે જ દિવસે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા ત્રણ દેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. 

https://youtu.be/MImYeOnWkaw?si=sVjlo4jcDUjyp_3O

શું વિડિયો જોયા બાદ પોલીસે કાર્યવાહી કરી ?

મહેસાણામાં અનેક જગ્યાએ આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચાય છે ! જે સૌ કોઈને ખબર છે. પણ ઘણી વાર પોલીસની રહેમનજર હેઠળ પણ આ દારૂની હાટડીઓ ખુલ્લેઆમ ચાલતી હોય છે ! મહેસાણામાં આવો અને નાના છોકરાને પણ પૂછો ને તો એને પણ ખબર હોય કે દારૂ ક્યાં વેચાય છે. તો પછી પોલીસ ને ખબર ના હોય ? આ વિડિઓ રિલીઝ થયા બાદ મહેસાણા તાલુકા પોલીસના કેટલાક કર્મચારીઓનો ઇગો પણ હર્ટ થયો હતો ! અમે દારૂના અડ્ડા પર રેડ કરતા આ પોલીસના કર્મચારીઓ પાસે આ રેડની વિગતો માંગવાનો પ્રયાસ કર્યો હતો. પણ એમાંથી અમુક કર્મચારીઓ તો જાણે કે એમના ઘરે જઈને મે વિડિયો ઉતારી હોય તેવા ગુસ્સામાં હતા. આ ગુસ્સો કદાચ એટલા માટે પણ આવ્યો હોય કે, તેમનું સેટિંગ બગડી ગયું હોય ?



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.