જામા મસ્જિદે એકલી યુવતીઓની નો-એન્ટ્રીની નોટિસ પર મસ્જિદ મેનેજમેન્ટે કર્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:58:26

જામા મસ્જિદમાં એકલી મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. મસ્જિદના ત્રણેય દરવાજા પર એક નોટિસ લગાવી દેવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જામા મસ્જિદમાં છોકરીઓને એકલા પ્રવેશ કરવાની મનાઈ ફરવામાં આવી દીધી છે. જેને કારણે આ મામલો ગરમાયો છે. અનેક લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે તો અનેક લોકો આ વાતનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ નિર્ણયને દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે. 

No man, no entry': Delhi's Jama Masjid bans entry of women unaccompanied by  men


સ્વાતિ માલવાલે કરી ટ્વિટ

પ્રતિક્રિયા આપતા સ્વાતિ માલવાલે કહ્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને રોકવાનો નિર્ણય તદ્દન ખોટો છે. ઈબાદત કરવાનો હક જેટલો પૂરુષોનો છે એટલો જ હક મહિલાઓનો પણ છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ ફટકારૂ છું. આવી રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઈને નથી.

      

ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે - મસ્જિદ મેનેજમેન્ટ 

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં આવી છે. મસ્જિદ મેનેજમેન્ટે મસ્જિદમાં એકલી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનેજમેન્ટના કહેવા સ્વાતિ માલિવાલે નોટીસ ફટકારી છે. જેનો જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે પ્રમાણે યુવતીના એકલા પ્રવેશ પર એટલા માટે પ્રતિબંધ મૂવામાં આવ્યો છે કારણ કે ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે અને વીડિયો શૂટ કરે છે. 

VHP holds trishul deeksha of 300 activists in Ayodhya | Lucknow News -  Times of India

VHPએ આપી પ્રતિક્રિયા

જામા મસ્જિદમાં મહિલાઓ માટે લગાવેલા પ્રતિબંધો પર VHPએ પોતાની પ્રક્રિયા આપી છે. વીએચપીના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ધરાવતા મુસ્લિમ કટ્ટરપાર્ટીઓએ ઈરાનમાં બનેલી બોધપાઠ લેવો જોઈએ. સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ કટ્ટર માનસિકતા ધરાવતા લોકો તેમના પવિત્ર સ્થાનમાં જ તેમનો પ્રવેશ અટકાવી રહી છે.    


માત્ર સિંગલ યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ - મસ્જિદ મેનેજમેન્ટ

મેનેજમેન્ટના મતે પરિવારનું કોઈ પણ સદસ્ય તેમની જોડે આવશે તો તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવશે. પરિવારો અથવા પરિણીત યુગલો પર કોઈ નિયંત્રણ લાદવામાં નથી આવ્યા. આ દલીલને અને મસ્જિદ મેનેજમેન્ટના નિર્ણય પર દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે.  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .