જામા મસ્જિદે એકલી યુવતીઓની નો-એન્ટ્રીની નોટિસ પર મસ્જિદ મેનેજમેન્ટે કર્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:58:26

જામા મસ્જિદમાં એકલી મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. મસ્જિદના ત્રણેય દરવાજા પર એક નોટિસ લગાવી દેવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જામા મસ્જિદમાં છોકરીઓને એકલા પ્રવેશ કરવાની મનાઈ ફરવામાં આવી દીધી છે. જેને કારણે આ મામલો ગરમાયો છે. અનેક લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે તો અનેક લોકો આ વાતનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ નિર્ણયને દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે. 

No man, no entry': Delhi's Jama Masjid bans entry of women unaccompanied by  men


સ્વાતિ માલવાલે કરી ટ્વિટ

પ્રતિક્રિયા આપતા સ્વાતિ માલવાલે કહ્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને રોકવાનો નિર્ણય તદ્દન ખોટો છે. ઈબાદત કરવાનો હક જેટલો પૂરુષોનો છે એટલો જ હક મહિલાઓનો પણ છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ ફટકારૂ છું. આવી રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઈને નથી.

      

ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે - મસ્જિદ મેનેજમેન્ટ 

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં આવી છે. મસ્જિદ મેનેજમેન્ટે મસ્જિદમાં એકલી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનેજમેન્ટના કહેવા સ્વાતિ માલિવાલે નોટીસ ફટકારી છે. જેનો જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે પ્રમાણે યુવતીના એકલા પ્રવેશ પર એટલા માટે પ્રતિબંધ મૂવામાં આવ્યો છે કારણ કે ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે અને વીડિયો શૂટ કરે છે. 

VHP holds trishul deeksha of 300 activists in Ayodhya | Lucknow News -  Times of India

VHPએ આપી પ્રતિક્રિયા

જામા મસ્જિદમાં મહિલાઓ માટે લગાવેલા પ્રતિબંધો પર VHPએ પોતાની પ્રક્રિયા આપી છે. વીએચપીના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ધરાવતા મુસ્લિમ કટ્ટરપાર્ટીઓએ ઈરાનમાં બનેલી બોધપાઠ લેવો જોઈએ. સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ કટ્ટર માનસિકતા ધરાવતા લોકો તેમના પવિત્ર સ્થાનમાં જ તેમનો પ્રવેશ અટકાવી રહી છે.    


માત્ર સિંગલ યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ - મસ્જિદ મેનેજમેન્ટ

મેનેજમેન્ટના મતે પરિવારનું કોઈ પણ સદસ્ય તેમની જોડે આવશે તો તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવશે. પરિવારો અથવા પરિણીત યુગલો પર કોઈ નિયંત્રણ લાદવામાં નથી આવ્યા. આ દલીલને અને મસ્જિદ મેનેજમેન્ટના નિર્ણય પર દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.