જમ્મુ-કાશ્મીરમાં મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ પુલવામામાં 6 કિલો IED કર્યું જપ્ત


  • Published By :
  • Published Date : 2023-05-07 16:35:04

કાશ્મીર ખીણના પુલવામામાં એક મોટા આતંકવાદી ષડયંત્રને પોલીસ અને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે અહીં એક આતંકવાદીની ધરપકડ કરી છે, આ સાથે જ લગભગ છ કિલો IED પણ જપ્ત કર્યું છે. આ મામલે પોલીસ અને સુરક્ષા દળો વધુ તપાસ ચલાવી રહ્યા છે.


મોટું આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ


મળતી માહિતી અનુસાર, પુલવામા પોલીસે આતંકવાદી સુત્રધાર ઈશફાક અહેમદ વાનીની ધરપકડ કરી છે. તે પુલવામાના અરીગામ વિસ્તારનો રહેવાસી છે. તેના ખુલાસા પર, પોલીસે લગભગ પાંચથી છ કિલો વજનનો IED જપ્ત કર્યું હતું. જેના કારણે પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.


સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર


સતત ત્રણ એન્કાઉન્ટર બાદ ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ એન્કાઉન્ટરમાં સંયુક્ત સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વધારાના સુરક્ષા કર્મચારીઓને જમીન પર તૈનાત કરવામાં આવ્યા છે, હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓ અથવા વિસ્ફોટકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ હિલચાલ અટકાવવા માટે ઉભા કરાયેલા વિવિધ ચેક પોઈન્ટ પર સ્નિફર ડોગ્સ સુરક્ષા કર્મચારીઓને વાહનોની તપાસમાં મદદ કરી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.