Jamnagar : જુઓ Anant Ambani-Radhika Merchant Pre Wedding Celebrationની સુંદર તસવીરો, Mukesh Ambani અને Nita Ambaniનો કપલ ડાન્સ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:21:22

ગુજરાત સામાન્ય રીતે આમ તો ચર્ચામાં રહેતું હોય છે પરંતુ હમણાં ગુજરાતનું Jamnagar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. Mukesh Ambani અને  Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે  Pre Weddingનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી ફન્ક્શન શરૂ થઈ ગયા છે. જામનગર ખાતે દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. અનેક ઉદ્યોપતિઓ, બોલિવુડ સ્ટાર તેમજ મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ઉજવણીની સુંદર તસવીરો પણ સામે આવી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો.

  

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


જામનગર માટે નીતા અંબાણીએ કહી આ વાત 

ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંબાણી પરિવાર પોતાની જાહોજલાલી માટે તો તે પ્રસિદ્ધ છે પરંતુ તેમના સાદગી પણ દિલ જીતી લે છે. થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અંબાણી પરિવારનું ગુજરાતીપણું છલકાઈને દેખાતું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણીએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા એક વીડિયો નીતા અંબાણી દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જામનગર વિશે વાત કરી હતી. તે ઉપરાંત અનંત અંબાણીએ પણ જામનગરને લઈ વાત કરી હતી.

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પિતાને યાદ કરી ભાવુક થયા મુકેશ અંબાણી!

અંબાણી પરિવાર હંમેશાથી પોતાની લાઈફસ્ટાઈલ, અંબાણી પરિવારમાં ઉજવાતા કાર્યક્રમો, અંબાણી પરિવારના સભ્યો દ્વારા પહેરવામાં આવતા કપડા ચર્ચામાં રહેતા હોય છે. નીતા અંબાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જામનગર ખાતે પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં એટલી ધામધૂમ કરવામાં આવી રહી છે તો લોકોને એ ઉત્સુક્તા છે કે લગ્નમાં કેટલી જાહોજલાલી હશે. મુકેશ અંબાણીએ સ્પીચ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અનંતમાં તેમને પોતાના પિતાની છબી દેખાય છે. તેમની સ્પીચ ઈમોશનલ કરી દે તેવી છે. આવતી કાલ સુધી આ પ્રીવેડિંગ કાર્યક્રમ ચાલવાનો છે.         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.