Jamnagar : જુઓ Anant Ambani-Radhika Merchant Pre Wedding Celebrationની સુંદર તસવીરો, Mukesh Ambani અને Nita Ambaniનો કપલ ડાન્સ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:21:22

ગુજરાત સામાન્ય રીતે આમ તો ચર્ચામાં રહેતું હોય છે પરંતુ હમણાં ગુજરાતનું Jamnagar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. Mukesh Ambani અને  Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે  Pre Weddingનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી ફન્ક્શન શરૂ થઈ ગયા છે. જામનગર ખાતે દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. અનેક ઉદ્યોપતિઓ, બોલિવુડ સ્ટાર તેમજ મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ઉજવણીની સુંદર તસવીરો પણ સામે આવી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો.

  

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


જામનગર માટે નીતા અંબાણીએ કહી આ વાત 

ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંબાણી પરિવાર પોતાની જાહોજલાલી માટે તો તે પ્રસિદ્ધ છે પરંતુ તેમના સાદગી પણ દિલ જીતી લે છે. થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અંબાણી પરિવારનું ગુજરાતીપણું છલકાઈને દેખાતું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણીએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા એક વીડિયો નીતા અંબાણી દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જામનગર વિશે વાત કરી હતી. તે ઉપરાંત અનંત અંબાણીએ પણ જામનગરને લઈ વાત કરી હતી.

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પિતાને યાદ કરી ભાવુક થયા મુકેશ અંબાણી!

અંબાણી પરિવાર હંમેશાથી પોતાની લાઈફસ્ટાઈલ, અંબાણી પરિવારમાં ઉજવાતા કાર્યક્રમો, અંબાણી પરિવારના સભ્યો દ્વારા પહેરવામાં આવતા કપડા ચર્ચામાં રહેતા હોય છે. નીતા અંબાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જામનગર ખાતે પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં એટલી ધામધૂમ કરવામાં આવી રહી છે તો લોકોને એ ઉત્સુક્તા છે કે લગ્નમાં કેટલી જાહોજલાલી હશે. મુકેશ અંબાણીએ સ્પીચ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અનંતમાં તેમને પોતાના પિતાની છબી દેખાય છે. તેમની સ્પીચ ઈમોશનલ કરી દે તેવી છે. આવતી કાલ સુધી આ પ્રીવેડિંગ કાર્યક્રમ ચાલવાનો છે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.