Jamnagar : જુઓ Anant Ambani-Radhika Merchant Pre Wedding Celebrationની સુંદર તસવીરો, Mukesh Ambani અને Nita Ambaniનો કપલ ડાન્સ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:21:22

ગુજરાત સામાન્ય રીતે આમ તો ચર્ચામાં રહેતું હોય છે પરંતુ હમણાં ગુજરાતનું Jamnagar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. Mukesh Ambani અને  Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે  Pre Weddingનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી ફન્ક્શન શરૂ થઈ ગયા છે. જામનગર ખાતે દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. અનેક ઉદ્યોપતિઓ, બોલિવુડ સ્ટાર તેમજ મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ઉજવણીની સુંદર તસવીરો પણ સામે આવી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો.

  

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


જામનગર માટે નીતા અંબાણીએ કહી આ વાત 

ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંબાણી પરિવાર પોતાની જાહોજલાલી માટે તો તે પ્રસિદ્ધ છે પરંતુ તેમના સાદગી પણ દિલ જીતી લે છે. થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અંબાણી પરિવારનું ગુજરાતીપણું છલકાઈને દેખાતું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણીએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા એક વીડિયો નીતા અંબાણી દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જામનગર વિશે વાત કરી હતી. તે ઉપરાંત અનંત અંબાણીએ પણ જામનગરને લઈ વાત કરી હતી.

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પિતાને યાદ કરી ભાવુક થયા મુકેશ અંબાણી!

અંબાણી પરિવાર હંમેશાથી પોતાની લાઈફસ્ટાઈલ, અંબાણી પરિવારમાં ઉજવાતા કાર્યક્રમો, અંબાણી પરિવારના સભ્યો દ્વારા પહેરવામાં આવતા કપડા ચર્ચામાં રહેતા હોય છે. નીતા અંબાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જામનગર ખાતે પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં એટલી ધામધૂમ કરવામાં આવી રહી છે તો લોકોને એ ઉત્સુક્તા છે કે લગ્નમાં કેટલી જાહોજલાલી હશે. મુકેશ અંબાણીએ સ્પીચ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અનંતમાં તેમને પોતાના પિતાની છબી દેખાય છે. તેમની સ્પીચ ઈમોશનલ કરી દે તેવી છે. આવતી કાલ સુધી આ પ્રીવેડિંગ કાર્યક્રમ ચાલવાનો છે.         



મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?