Jamnagar : જુઓ Anant Ambani-Radhika Merchant Pre Wedding Celebrationની સુંદર તસવીરો, Mukesh Ambani અને Nita Ambaniનો કપલ ડાન્સ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:21:22

ગુજરાત સામાન્ય રીતે આમ તો ચર્ચામાં રહેતું હોય છે પરંતુ હમણાં ગુજરાતનું Jamnagar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. Mukesh Ambani અને  Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે  Pre Weddingનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી ફન્ક્શન શરૂ થઈ ગયા છે. જામનગર ખાતે દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. અનેક ઉદ્યોપતિઓ, બોલિવુડ સ્ટાર તેમજ મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ઉજવણીની સુંદર તસવીરો પણ સામે આવી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો.

  

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


જામનગર માટે નીતા અંબાણીએ કહી આ વાત 

ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંબાણી પરિવાર પોતાની જાહોજલાલી માટે તો તે પ્રસિદ્ધ છે પરંતુ તેમના સાદગી પણ દિલ જીતી લે છે. થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અંબાણી પરિવારનું ગુજરાતીપણું છલકાઈને દેખાતું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણીએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા એક વીડિયો નીતા અંબાણી દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જામનગર વિશે વાત કરી હતી. તે ઉપરાંત અનંત અંબાણીએ પણ જામનગરને લઈ વાત કરી હતી.

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પિતાને યાદ કરી ભાવુક થયા મુકેશ અંબાણી!

અંબાણી પરિવાર હંમેશાથી પોતાની લાઈફસ્ટાઈલ, અંબાણી પરિવારમાં ઉજવાતા કાર્યક્રમો, અંબાણી પરિવારના સભ્યો દ્વારા પહેરવામાં આવતા કપડા ચર્ચામાં રહેતા હોય છે. નીતા અંબાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જામનગર ખાતે પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં એટલી ધામધૂમ કરવામાં આવી રહી છે તો લોકોને એ ઉત્સુક્તા છે કે લગ્નમાં કેટલી જાહોજલાલી હશે. મુકેશ અંબાણીએ સ્પીચ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અનંતમાં તેમને પોતાના પિતાની છબી દેખાય છે. તેમની સ્પીચ ઈમોશનલ કરી દે તેવી છે. આવતી કાલ સુધી આ પ્રીવેડિંગ કાર્યક્રમ ચાલવાનો છે.         



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે