Janmashtami એટલે એવા ભગવાનનો જન્મદિવસ, જેમની છબી દરેક માતા પોતાના સંતાનમાં જોતી હોય.. કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શીખવા જેવી વાતો....


  • Published By :
  • Published Date : 2023-09-07 11:46:47

આજે જન્માષ્ટમીનો પાવન પર્વ. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. કૃષ્ણ એટલે આકર્ષણ... કૃષ્ણ એટલે એક એવા ભગવાન જેને જોઈ દરેક મનુષ્યને તેમના પ્રત્યે આકર્ષણ થાય... એટલે જ આપણા શાસ્ત્રમાં કહેવાયું છે 'કર્ષતિ ઇતિ કૃષ્ણ' એટલે જે ભક્તોના મનને પોતાની પ્રત્યે આકર્ષી લે છે તે કૃષ્ણ છે. દરેક માતા પોતાના સંતાનમાં કૃષ્ણનું સ્વરૂપ જોવે છે. પ્રેમથી અનેક માતાઓ પોતાના દીકરાને કૃષ્ણ અથવા તો કાન્હા કહીને પણ બોલાવતી હશે. આ એવા ભગવાન છે જેમની પૂજા બાલ્ય અવસ્થામાં બાળ ગોપાલ તરીકે કરવામાં આવે છે.  

Pin on A Hindu god B

મધરાત્રીએ કારાવાસમાં થયો હતો ભગવાનનો જન્મ 

કૃષ્ણ ભગવાનના જન્મ વિશે તો આપણે સૌ જાણીએ છીએ. શ્રાવણ વદ આઠમે રાત્રે 12 વાગ્યે કારાવાસમાં દેવકીજી અને વસુદેવજીને ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. ઈશ્વરનો જન્મ થયો ત્યારે બેડીઓ તૂટી ગઈ. ઈશ્વરીય આજ્ઞાથી વસુદેવજી ભગવાનને ગોકુળમાં નંદબાબા અને યશોદાજીને ત્યાં પધરાવી આવે છે. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. યમુનાજી પણ બંને કાંઠે વહી રહ્યા હતા. યમુનાજી ભગવાનના દર્શન કરવા આતુર હતા એટલે નદીના મોજા ઉંચા ઉછળી રહ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાનો એક પગ બહાર કાઢીને યમુનાજીને શાંત કર્યા. ભગવાનના ચરણસ્પર્શ થતા યમુનાજી શાંત થઈ ગયા. શેષનાગ ભગવાનને વરસાદથી રક્ષણ આપતા હતા. નંદબાબાને ત્યાં ભગવાનને પધરાવવામાં આવ્યા. અને દેવકીજીને ત્યાં જન્મેલી કન્યાને પોતાની સાથે લઈ આવ્યા. પછીની કથાઓ, દૈત્યોનો ઉદ્ધાર કર્યો તે વાત તો આપણે સૌ જાણીએ છીએ. 


કૃષ્ણ ભગવાનનું જીવન આજે પણ લોકો માટે છે આદર્શ  

ભગવાન શ્રીકૃષ્ણને નારાયણનો અવતાર માનવામાં આવે છે. 64 કળાઓના અધિષ્ઠાતા ભગવાન કૃષ્ણને ગણવામાં આવે છે. આજે વાત કૃષ્ણ ભગવાનના જન્મ વિશે તેમની લીલાઓ વિશે નહીં પરંતુ તેમણે આપેલા ઉપદેશ્યની કરવી છે. આ એક જ ભગવાન છે જેમને લોકો પ્રેક્ટિલ ભગવાન તેમના ભક્તો માને છે. તેમની નીતિનો પર, તેમને જીવેલા જીવન પરથી આજના  મોટિવેશલન સ્પીકરો લોકોને પ્રેક્ટિકલ થવાના ઉપદેશ્ય આપે છે. 

Pin by Rush D on Bold & Beautiful | Lord krishna images, Lord krishna,  Krishna art

એ ભગવાન જે વાંસળી પણ રાખે અને સુદર્શન ચક્ર પણ 

આ એ જ ભગવાન છે જે વાંસળી પણ વગાડી શકે અને જરૂર પડે ત્યારે સુદર્શન ચક્ર ઉપાડી કોઈનો વધ પણ કરી શકે. ગોપીઓના વસ્ત્રોને ચોરી પણ શકે તો દ્રૌપદીના ચીરને પૂરી પણ શકે. યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હોય પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પોતાની પ્રતિજ્ઞાને તોડી પણ દીધી છે. છપ્પન ભોગનો ત્યાગ કરી વિદુરજીને ત્યાં ભોજન પણ કરી શકે છે તો સુદામાના પૌઓ પણ ખાઈ શકે છે. જગતનો નાથ હોવા છતાંય અર્જુનના સારથી પણ બની શકે છે. મહાભારતનું યુદ્ધ એક ક્ષણમાં ભગવાન ધારતા તો પતાવી શક્તા હતા પરંતુ તેમણે દુનિયાને કર્મનો સિદ્ધાંત શીખવાડ્યો. કર્મ જાતે જ કરવું પડે છે તે ઉપદેશ્ય તેમણે જગતનો આપ્યો. ભગવાન હોવા છતાંય પોતે પણ કર્મથી મુક્ત નથી.  

Image

જમાવટ તરફથી આપ સૌને જન્માષ્ટમી પર્વની શુભકામના....

 ભગવાન શ્રી કૃષ્ણના જીવન પરથી આપણે સમજી શકીયે કે ભગવાન હોવા છતાં પણ તેમના જીવનમાં સંઘર્ષો હતા. નાની ઉંમરે પોતાનું ઘર છોડ્યું, પોતાના મા-બાપને છોડ્યા. ઈશ્વરનો અવતાર હોવા છતાંય મનુષ્ય અવતારમાં તેમને કષ્ટ ભોગવ્યું છે તો આપણે તો માણસ છીએ. ભગવાન રામને પણ કષ્ટ પડ્યું હતું, ભગવાન કૃષ્ણને પણ જીવનમાં સંઘર્ષ કરવું પડ્યું હતું તો આપણે તો મનુષ્યો છીએ. આપણાં જીવનમાં કષ્ટો આવવા સામાન્ય વાત ગણાય. મનુષ્ય રૂપે અવતરેલા ભગવાનોનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. શ્રી કૃષ્ણના આદર્શો આપણે આપણા જીવનમાં ઉતારીએ તેવી આશા. જન્માષ્ટમી પર્વની જમાવટ તરફથી આપ સૌને હાર્દિક શુભકામના...  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.