Janmashtami એટલે એવા ભગવાનનો જન્મદિવસ, જેમની છબી દરેક માતા પોતાના સંતાનમાં જોતી હોય.. કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શીખવા જેવી વાતો....


  • Published By :
  • Published Date : 2023-09-07 11:46:47

આજે જન્માષ્ટમીનો પાવન પર્વ. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. કૃષ્ણ એટલે આકર્ષણ... કૃષ્ણ એટલે એક એવા ભગવાન જેને જોઈ દરેક મનુષ્યને તેમના પ્રત્યે આકર્ષણ થાય... એટલે જ આપણા શાસ્ત્રમાં કહેવાયું છે 'કર્ષતિ ઇતિ કૃષ્ણ' એટલે જે ભક્તોના મનને પોતાની પ્રત્યે આકર્ષી લે છે તે કૃષ્ણ છે. દરેક માતા પોતાના સંતાનમાં કૃષ્ણનું સ્વરૂપ જોવે છે. પ્રેમથી અનેક માતાઓ પોતાના દીકરાને કૃષ્ણ અથવા તો કાન્હા કહીને પણ બોલાવતી હશે. આ એવા ભગવાન છે જેમની પૂજા બાલ્ય અવસ્થામાં બાળ ગોપાલ તરીકે કરવામાં આવે છે.  

Pin on A Hindu god B

મધરાત્રીએ કારાવાસમાં થયો હતો ભગવાનનો જન્મ 

કૃષ્ણ ભગવાનના જન્મ વિશે તો આપણે સૌ જાણીએ છીએ. શ્રાવણ વદ આઠમે રાત્રે 12 વાગ્યે કારાવાસમાં દેવકીજી અને વસુદેવજીને ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. ઈશ્વરનો જન્મ થયો ત્યારે બેડીઓ તૂટી ગઈ. ઈશ્વરીય આજ્ઞાથી વસુદેવજી ભગવાનને ગોકુળમાં નંદબાબા અને યશોદાજીને ત્યાં પધરાવી આવે છે. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. યમુનાજી પણ બંને કાંઠે વહી રહ્યા હતા. યમુનાજી ભગવાનના દર્શન કરવા આતુર હતા એટલે નદીના મોજા ઉંચા ઉછળી રહ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાનો એક પગ બહાર કાઢીને યમુનાજીને શાંત કર્યા. ભગવાનના ચરણસ્પર્શ થતા યમુનાજી શાંત થઈ ગયા. શેષનાગ ભગવાનને વરસાદથી રક્ષણ આપતા હતા. નંદબાબાને ત્યાં ભગવાનને પધરાવવામાં આવ્યા. અને દેવકીજીને ત્યાં જન્મેલી કન્યાને પોતાની સાથે લઈ આવ્યા. પછીની કથાઓ, દૈત્યોનો ઉદ્ધાર કર્યો તે વાત તો આપણે સૌ જાણીએ છીએ. 


કૃષ્ણ ભગવાનનું જીવન આજે પણ લોકો માટે છે આદર્શ  

ભગવાન શ્રીકૃષ્ણને નારાયણનો અવતાર માનવામાં આવે છે. 64 કળાઓના અધિષ્ઠાતા ભગવાન કૃષ્ણને ગણવામાં આવે છે. આજે વાત કૃષ્ણ ભગવાનના જન્મ વિશે તેમની લીલાઓ વિશે નહીં પરંતુ તેમણે આપેલા ઉપદેશ્યની કરવી છે. આ એક જ ભગવાન છે જેમને લોકો પ્રેક્ટિલ ભગવાન તેમના ભક્તો માને છે. તેમની નીતિનો પર, તેમને જીવેલા જીવન પરથી આજના  મોટિવેશલન સ્પીકરો લોકોને પ્રેક્ટિકલ થવાના ઉપદેશ્ય આપે છે. 

Pin by Rush D on Bold & Beautiful | Lord krishna images, Lord krishna,  Krishna art

એ ભગવાન જે વાંસળી પણ રાખે અને સુદર્શન ચક્ર પણ 

આ એ જ ભગવાન છે જે વાંસળી પણ વગાડી શકે અને જરૂર પડે ત્યારે સુદર્શન ચક્ર ઉપાડી કોઈનો વધ પણ કરી શકે. ગોપીઓના વસ્ત્રોને ચોરી પણ શકે તો દ્રૌપદીના ચીરને પૂરી પણ શકે. યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હોય પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પોતાની પ્રતિજ્ઞાને તોડી પણ દીધી છે. છપ્પન ભોગનો ત્યાગ કરી વિદુરજીને ત્યાં ભોજન પણ કરી શકે છે તો સુદામાના પૌઓ પણ ખાઈ શકે છે. જગતનો નાથ હોવા છતાંય અર્જુનના સારથી પણ બની શકે છે. મહાભારતનું યુદ્ધ એક ક્ષણમાં ભગવાન ધારતા તો પતાવી શક્તા હતા પરંતુ તેમણે દુનિયાને કર્મનો સિદ્ધાંત શીખવાડ્યો. કર્મ જાતે જ કરવું પડે છે તે ઉપદેશ્ય તેમણે જગતનો આપ્યો. ભગવાન હોવા છતાંય પોતે પણ કર્મથી મુક્ત નથી.  

Image

જમાવટ તરફથી આપ સૌને જન્માષ્ટમી પર્વની શુભકામના....

 ભગવાન શ્રી કૃષ્ણના જીવન પરથી આપણે સમજી શકીયે કે ભગવાન હોવા છતાં પણ તેમના જીવનમાં સંઘર્ષો હતા. નાની ઉંમરે પોતાનું ઘર છોડ્યું, પોતાના મા-બાપને છોડ્યા. ઈશ્વરનો અવતાર હોવા છતાંય મનુષ્ય અવતારમાં તેમને કષ્ટ ભોગવ્યું છે તો આપણે તો માણસ છીએ. ભગવાન રામને પણ કષ્ટ પડ્યું હતું, ભગવાન કૃષ્ણને પણ જીવનમાં સંઘર્ષ કરવું પડ્યું હતું તો આપણે તો મનુષ્યો છીએ. આપણાં જીવનમાં કષ્ટો આવવા સામાન્ય વાત ગણાય. મનુષ્ય રૂપે અવતરેલા ભગવાનોનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. શ્રી કૃષ્ણના આદર્શો આપણે આપણા જીવનમાં ઉતારીએ તેવી આશા. જન્માષ્ટમી પર્વની જમાવટ તરફથી આપ સૌને હાર્દિક શુભકામના...  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.