વડાપાઉં સ્પર્ધામાં જાપાનના રાજદૂત પત્ની સામે હારી ગયા, PM મોદીએ આપ્યો આવો રમુજી જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:07:55

ભારત તેના ફાસ્ટ ફૂડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દરેક શહેરમાં તમને એક યા બીજી ખાસ વાનગી મળી જાય છે. આ ખાદ્યપદાર્થોનો ક્રેઝ હોલિવૂડ સેલિબ્રિટીથી લઈને વિદેશી નેતાઓમાં પણ જોવા મળે છે. જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ પૂણેમાં પોતાનો અને તેમની પત્નીનો વડાપાવ ખાતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની પત્ની સાથે વડાપાવ સ્પર્ધા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે તેમની પત્નીએ તેમને હરાવ્યા છે. એમ્બેસેડર હિરોશી સુઝુકીના આ વીડિયો પર વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપ્યો છે. PM મોદીએ કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે, જેને હારીને પણ તમે ખરાબ માની શકતા નથી.


પીએમ મોદીએ પણ  આપી પ્રતિક્રિયા 


જાપાનના રાજદૂત સુઝુકીએ પોતે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે મારી પત્નીએ મને હરાવ્યો છે. સુઝુકીના આ ટ્વીટ પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ એક એવી સ્પર્ધા છે જેને હારીને પણ તમે ખરાબ માની શકો નહીં શ્રીમાન રાજદુત. તમને ભારતીય ભોજનની વિવિધતા માણતા અને તેને આટલી નવીનતાથી રજૂ કરતા જોઈને આનંદ થયો. આવા વીડિયો આવતા રહે!


ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની કરી ભલામણ


આ પહેલા પણ સુઝુકીએ ટ્વિટર પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભારતીય સ્ટ્રીટ ફૂડની મજા માણવા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે મને ભારતનું સ્ટ્રીટ ફૂડ ગમે છે, પરંતુ કૃપા કરીને તેને થોડું ઓછું મસાલેદાર રાખો. સુઝુકીએ તેના ટ્વિટર ફોલોઅર્સની ભલામણ પર પૂણેના પ્રખ્યાત મિસલ પાવની પણ લિજ્જત માણઈ અને તેનો એક વીડિયો પોસ્ટ કર્યો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.