વડાપાઉં સ્પર્ધામાં જાપાનના રાજદૂત પત્ની સામે હારી ગયા, PM મોદીએ આપ્યો આવો રમુજી જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:07:55

ભારત તેના ફાસ્ટ ફૂડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દરેક શહેરમાં તમને એક યા બીજી ખાસ વાનગી મળી જાય છે. આ ખાદ્યપદાર્થોનો ક્રેઝ હોલિવૂડ સેલિબ્રિટીથી લઈને વિદેશી નેતાઓમાં પણ જોવા મળે છે. જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ પૂણેમાં પોતાનો અને તેમની પત્નીનો વડાપાવ ખાતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની પત્ની સાથે વડાપાવ સ્પર્ધા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે તેમની પત્નીએ તેમને હરાવ્યા છે. એમ્બેસેડર હિરોશી સુઝુકીના આ વીડિયો પર વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપ્યો છે. PM મોદીએ કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે, જેને હારીને પણ તમે ખરાબ માની શકતા નથી.


પીએમ મોદીએ પણ  આપી પ્રતિક્રિયા 


જાપાનના રાજદૂત સુઝુકીએ પોતે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે મારી પત્નીએ મને હરાવ્યો છે. સુઝુકીના આ ટ્વીટ પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ એક એવી સ્પર્ધા છે જેને હારીને પણ તમે ખરાબ માની શકો નહીં શ્રીમાન રાજદુત. તમને ભારતીય ભોજનની વિવિધતા માણતા અને તેને આટલી નવીનતાથી રજૂ કરતા જોઈને આનંદ થયો. આવા વીડિયો આવતા રહે!


ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની કરી ભલામણ


આ પહેલા પણ સુઝુકીએ ટ્વિટર પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભારતીય સ્ટ્રીટ ફૂડની મજા માણવા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે મને ભારતનું સ્ટ્રીટ ફૂડ ગમે છે, પરંતુ કૃપા કરીને તેને થોડું ઓછું મસાલેદાર રાખો. સુઝુકીએ તેના ટ્વિટર ફોલોઅર્સની ભલામણ પર પૂણેના પ્રખ્યાત મિસલ પાવની પણ લિજ્જત માણઈ અને તેનો એક વીડિયો પોસ્ટ કર્યો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.