વડાપાઉં સ્પર્ધામાં જાપાનના રાજદૂત પત્ની સામે હારી ગયા, PM મોદીએ આપ્યો આવો રમુજી જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:07:55

ભારત તેના ફાસ્ટ ફૂડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દરેક શહેરમાં તમને એક યા બીજી ખાસ વાનગી મળી જાય છે. આ ખાદ્યપદાર્થોનો ક્રેઝ હોલિવૂડ સેલિબ્રિટીથી લઈને વિદેશી નેતાઓમાં પણ જોવા મળે છે. જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ પૂણેમાં પોતાનો અને તેમની પત્નીનો વડાપાવ ખાતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની પત્ની સાથે વડાપાવ સ્પર્ધા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે તેમની પત્નીએ તેમને હરાવ્યા છે. એમ્બેસેડર હિરોશી સુઝુકીના આ વીડિયો પર વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપ્યો છે. PM મોદીએ કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે, જેને હારીને પણ તમે ખરાબ માની શકતા નથી.


પીએમ મોદીએ પણ  આપી પ્રતિક્રિયા 


જાપાનના રાજદૂત સુઝુકીએ પોતે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે મારી પત્નીએ મને હરાવ્યો છે. સુઝુકીના આ ટ્વીટ પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ એક એવી સ્પર્ધા છે જેને હારીને પણ તમે ખરાબ માની શકો નહીં શ્રીમાન રાજદુત. તમને ભારતીય ભોજનની વિવિધતા માણતા અને તેને આટલી નવીનતાથી રજૂ કરતા જોઈને આનંદ થયો. આવા વીડિયો આવતા રહે!


ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની કરી ભલામણ


આ પહેલા પણ સુઝુકીએ ટ્વિટર પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભારતીય સ્ટ્રીટ ફૂડની મજા માણવા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે મને ભારતનું સ્ટ્રીટ ફૂડ ગમે છે, પરંતુ કૃપા કરીને તેને થોડું ઓછું મસાલેદાર રાખો. સુઝુકીએ તેના ટ્વિટર ફોલોઅર્સની ભલામણ પર પૂણેના પ્રખ્યાત મિસલ પાવની પણ લિજ્જત માણઈ અને તેનો એક વીડિયો પોસ્ટ કર્યો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.