વડાપાઉં સ્પર્ધામાં જાપાનના રાજદૂત પત્ની સામે હારી ગયા, PM મોદીએ આપ્યો આવો રમુજી જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:07:55

ભારત તેના ફાસ્ટ ફૂડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દરેક શહેરમાં તમને એક યા બીજી ખાસ વાનગી મળી જાય છે. આ ખાદ્યપદાર્થોનો ક્રેઝ હોલિવૂડ સેલિબ્રિટીથી લઈને વિદેશી નેતાઓમાં પણ જોવા મળે છે. જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ પૂણેમાં પોતાનો અને તેમની પત્નીનો વડાપાવ ખાતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની પત્ની સાથે વડાપાવ સ્પર્ધા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે તેમની પત્નીએ તેમને હરાવ્યા છે. એમ્બેસેડર હિરોશી સુઝુકીના આ વીડિયો પર વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપ્યો છે. PM મોદીએ કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે, જેને હારીને પણ તમે ખરાબ માની શકતા નથી.


પીએમ મોદીએ પણ  આપી પ્રતિક્રિયા 


જાપાનના રાજદૂત સુઝુકીએ પોતે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે મારી પત્નીએ મને હરાવ્યો છે. સુઝુકીના આ ટ્વીટ પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ એક એવી સ્પર્ધા છે જેને હારીને પણ તમે ખરાબ માની શકો નહીં શ્રીમાન રાજદુત. તમને ભારતીય ભોજનની વિવિધતા માણતા અને તેને આટલી નવીનતાથી રજૂ કરતા જોઈને આનંદ થયો. આવા વીડિયો આવતા રહે!


ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની કરી ભલામણ


આ પહેલા પણ સુઝુકીએ ટ્વિટર પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભારતીય સ્ટ્રીટ ફૂડની મજા માણવા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે મને ભારતનું સ્ટ્રીટ ફૂડ ગમે છે, પરંતુ કૃપા કરીને તેને થોડું ઓછું મસાલેદાર રાખો. સુઝુકીએ તેના ટ્વિટર ફોલોઅર્સની ભલામણ પર પૂણેના પ્રખ્યાત મિસલ પાવની પણ લિજ્જત માણઈ અને તેનો એક વીડિયો પોસ્ટ કર્યો.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.