જાવેદ અખ્તરે લાહોરમાં જ પાકિસ્તાનની ઝાટકણી કાઢી, મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું, વીડિયો વાયરલ


  • Published By : Admin
  • Published Date : 2023-02-21 17:16:06

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તર પાકિસ્તાનના લાહોર શહેરમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવી મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું હતું. જાવેદ અખ્તરે કહ્યું-હજુ પણ  તમારા દેશમાં આતંકવાદીઓ ઘૂમી રહ્યા છે.


જાવેદ અખ્તરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી


ફૈઝ ફેસ્ટિવલ 2023માં જાવેદ અખ્તરે કહ્યું- અમે નુસરત અને મેહદી હસન માટે મોટા ફંક્શનનું આયોજન કર્યું છે. પરંતુ તમારા દેશમાં લતા મંગેશકરની યાદમાં કોઈ કાર્યક્રમ યોજાયો નથી. તો વાસ્તવિકતા એ છે કે, હવે આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, મહત્વની બાબત એ છે કે આ દિવસોમાં જે માહોલ ગરમાયો છે તે ઓછો થવો જોઈએ.અમે બોમ્બેના લોકો છીએ, અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો હતો. તે લોકો નોર્વેથી કે ઇજિપ્તથી આવ્યા નહોતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. તેથી જો આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.


ચાહકોએ ગીતકારની પ્રશંસા કરી


પાકિસ્તાનમાં આપવામાં આવેલા જાવેદ અખ્તરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા થઈ રહી છે. લોકોએ ગીતકારના નિવેદનના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું - જો અમને સંપૂર્ણ ઇન્ટરવ્યુ જોવા મળે તો ખુબ જ મજા આવી જાય. બીજાએ લખ્યું - ખૂબ જ સરસ. અન્ય એક વ્યક્તિએ લખ્યું- આને કહેવાય દેશભક્તિ. કોઈ યુઝરે તો વળી ગીતકારને ભારત રત્ન આપવાની માંગ કરી. તે વ્યક્તિએ કહ્યું, એટલા માટે જ મારા દિલમાં જાવેદ સાહેબ માટે હજુ પણ પ્રેમ છે. કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં તાળીઓ પાડતા ઈમોજી બનાવ્યા છે. તો કોઈએ કહ્યું કે તેમના દિલમાં જાવેદ અખ્તર માટે આદર વધુ વધી ગયો છે.


અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસીય ફૈઝ ફેસ્ટિવલ લાહોરમાં 17-19 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. ગીતકાર જાવેદ અખ્તરે ફેસ્ટિવલમાં આયોજીત મુશાયરામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમના નવા પુસ્તકનું પણ લોકાર્પણ થયું હતું.


કંગનાએ જાવેદ અખ્તરના વખાણ કર્યા 


કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું - જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળતી હતી ત્યારે મને લાગતું હતું કે કેવી રીતે માતા સરસ્વતીજીની તેમના પર આટલી કૃપા છે. પણ જુઓ, કાંઈક તો સત્ય છે આ માણસની વાતમાં.... જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા... હાહાહા. કંગના રનૌતને જાવેદ અખ્તરના વખાણ કરતી જોઈને ઘણાને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ જે રીતે પોતાના વિવાદ અને મતભેદોને ભૂલીને જાવેદ અખ્તરની પ્રશંસા કરી છે, યુઝર્સે તેના વખાણ કર્યા છે.




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.