જાવેદ અખ્તરે લાહોરમાં જ પાકિસ્તાનની ઝાટકણી કાઢી, મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું, વીડિયો વાયરલ


  • Published By : Admin
  • Published Date : 2023-02-21 17:16:06

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તર પાકિસ્તાનના લાહોર શહેરમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવી મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું હતું. જાવેદ અખ્તરે કહ્યું-હજુ પણ  તમારા દેશમાં આતંકવાદીઓ ઘૂમી રહ્યા છે.


જાવેદ અખ્તરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી


ફૈઝ ફેસ્ટિવલ 2023માં જાવેદ અખ્તરે કહ્યું- અમે નુસરત અને મેહદી હસન માટે મોટા ફંક્શનનું આયોજન કર્યું છે. પરંતુ તમારા દેશમાં લતા મંગેશકરની યાદમાં કોઈ કાર્યક્રમ યોજાયો નથી. તો વાસ્તવિકતા એ છે કે, હવે આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, મહત્વની બાબત એ છે કે આ દિવસોમાં જે માહોલ ગરમાયો છે તે ઓછો થવો જોઈએ.અમે બોમ્બેના લોકો છીએ, અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો હતો. તે લોકો નોર્વેથી કે ઇજિપ્તથી આવ્યા નહોતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. તેથી જો આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.


ચાહકોએ ગીતકારની પ્રશંસા કરી


પાકિસ્તાનમાં આપવામાં આવેલા જાવેદ અખ્તરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા થઈ રહી છે. લોકોએ ગીતકારના નિવેદનના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું - જો અમને સંપૂર્ણ ઇન્ટરવ્યુ જોવા મળે તો ખુબ જ મજા આવી જાય. બીજાએ લખ્યું - ખૂબ જ સરસ. અન્ય એક વ્યક્તિએ લખ્યું- આને કહેવાય દેશભક્તિ. કોઈ યુઝરે તો વળી ગીતકારને ભારત રત્ન આપવાની માંગ કરી. તે વ્યક્તિએ કહ્યું, એટલા માટે જ મારા દિલમાં જાવેદ સાહેબ માટે હજુ પણ પ્રેમ છે. કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં તાળીઓ પાડતા ઈમોજી બનાવ્યા છે. તો કોઈએ કહ્યું કે તેમના દિલમાં જાવેદ અખ્તર માટે આદર વધુ વધી ગયો છે.


અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસીય ફૈઝ ફેસ્ટિવલ લાહોરમાં 17-19 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. ગીતકાર જાવેદ અખ્તરે ફેસ્ટિવલમાં આયોજીત મુશાયરામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમના નવા પુસ્તકનું પણ લોકાર્પણ થયું હતું.


કંગનાએ જાવેદ અખ્તરના વખાણ કર્યા 


કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું - જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળતી હતી ત્યારે મને લાગતું હતું કે કેવી રીતે માતા સરસ્વતીજીની તેમના પર આટલી કૃપા છે. પણ જુઓ, કાંઈક તો સત્ય છે આ માણસની વાતમાં.... જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા... હાહાહા. કંગના રનૌતને જાવેદ અખ્તરના વખાણ કરતી જોઈને ઘણાને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ જે રીતે પોતાના વિવાદ અને મતભેદોને ભૂલીને જાવેદ અખ્તરની પ્રશંસા કરી છે, યુઝર્સે તેના વખાણ કર્યા છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.