BCCIના સેક્રેટરી જય શાહ ICCના ફાયનાન્સ એન્ડ કોમર્સિયલ એફેર્સ કમિટીના હેડ બન્યા


  • Published By :
  • Published Date : 2022-11-12 16:52:06

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની અત્યંત પ્રભાવશાળી નાણા અને વાણિજ્યિક બાબતોની સમિતિના પ્રુમખ બનાવવામાં આવ્યા છે. આ સમિતિ ICC ના આયોજનો માટે બજેટની ફાળવણી અને સભ્ય દેશોને નાણાની વહેંચણીની કામગીરી નિભાવે છે. દેશના ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને BCCIના સેક્રેટરી જય શાહની ICCના ફાયનાન્સ એન્ડ કોમર્સિયલ એફેર્સ કમિટીના હેડ તરીકે પસંદગી કરવામાં આવી છે. 


ICCના તમામ સભ્યોએ કરી પસંદગી


ICCના તમામ સભ્યોએ જય શાહને ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે ચૂંટ્યા હતા. આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. આ સમિતિના વડા ICC બોર્ડના સભ્ય છે. એટલે કે જય શાહની ચૂંટણી સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ ICC બોર્ડમાં BCCIનું પ્રતિનિધિત્વ કરશે. જય શાહ ક્રિકેટ આયર્લેન્ડના પૂર્વ અધ્યક્ષ રોસ મૈકુલમનું સ્થાન લેશે, તે થોડા દિવસમાં જ નિવૃત થવાના છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.