જીયા ખાન આત્મહત્યા કેસનો કાલે આવશે ચુકાદો, અભિનેતા સુરજ પંચોલી છે મુખ્ય આરોપી


  • Published By :
  • Published Date : 2023-04-27 18:10:44

નિ:શબ્દ ફિલ્મથી પોતાની કરિયર શરુ કરનારી જીયા ખાને માત્ર પચીસ જ વરસની ઉંમરે આ દુનિયામાંથી ચૂપચાપ વિદાય લઇ લીધી હતી. બોલિવુડ અભિનેત્રી જીયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જીયા ખાનની આત્મહત્યા બાદ તેના ઘરમાંથી તેની સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. આ ઘટના બાદ બોલિવુડમાં ખળભળાટ મચી ગયો હતો. 


સૂરજ જિયા સાથે ગેરવર્તન કરતો હતો


તાજેતરમાં જ જિયા ખાનની માતાએ જ્યારે સીબીઆઈ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સૂરજ જિયાનું શારીરિક અને શાબ્દિક રીતે શોષણ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ અને સીબીઆઈ બંનેએ આ સાબિત કરવા માટે કોઈ પુરાવા એકત્ર કર્યા નથી.


સુરજ પંચોલી મુખ્ય આરોપી


જીયા ખાન આત્મહત્યા કેસમાં ફિલ્મ અભિનેતા અને જીયા ખાનના બોયફ્રેન્ડ સુરજ પંચોલી મુખ્ય આરોપી છે. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે જીયા ખાન મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ આવતી કાલે એટલે કે 28 એપ્રીલ સવારે 10.30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે.    


કોર્ટે માતા રાબિયાની અરજી ફગાવી હતી


દિવંગત અભિનેત્રી જીયા ખાનની માતા રાબિયા ખાને પણ આ કેસમાં સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, સૂરજ પંચોલીની 10 જૂન 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બે અઠવાડિયાથી વધુ કસ્ટડીમાં ગાળ્યા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જુલાઈ 2014માં મામલો સીબીઆઈ પાસે ગયો. જીયાની માતાએ પણ કહ્યું હતું કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા હતી. આ પછી, બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલે નવેસરથી તપાસની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી