જીયા ખાન આત્મહત્યા કેસનો કાલે આવશે ચુકાદો, અભિનેતા સુરજ પંચોલી છે મુખ્ય આરોપી


  • Published By :
  • Published Date : 2023-04-27 18:10:44

નિ:શબ્દ ફિલ્મથી પોતાની કરિયર શરુ કરનારી જીયા ખાને માત્ર પચીસ જ વરસની ઉંમરે આ દુનિયામાંથી ચૂપચાપ વિદાય લઇ લીધી હતી. બોલિવુડ અભિનેત્રી જીયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જીયા ખાનની આત્મહત્યા બાદ તેના ઘરમાંથી તેની સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. આ ઘટના બાદ બોલિવુડમાં ખળભળાટ મચી ગયો હતો. 


સૂરજ જિયા સાથે ગેરવર્તન કરતો હતો


તાજેતરમાં જ જિયા ખાનની માતાએ જ્યારે સીબીઆઈ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સૂરજ જિયાનું શારીરિક અને શાબ્દિક રીતે શોષણ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ અને સીબીઆઈ બંનેએ આ સાબિત કરવા માટે કોઈ પુરાવા એકત્ર કર્યા નથી.


સુરજ પંચોલી મુખ્ય આરોપી


જીયા ખાન આત્મહત્યા કેસમાં ફિલ્મ અભિનેતા અને જીયા ખાનના બોયફ્રેન્ડ સુરજ પંચોલી મુખ્ય આરોપી છે. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે જીયા ખાન મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ આવતી કાલે એટલે કે 28 એપ્રીલ સવારે 10.30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે.    


કોર્ટે માતા રાબિયાની અરજી ફગાવી હતી


દિવંગત અભિનેત્રી જીયા ખાનની માતા રાબિયા ખાને પણ આ કેસમાં સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, સૂરજ પંચોલીની 10 જૂન 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બે અઠવાડિયાથી વધુ કસ્ટડીમાં ગાળ્યા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જુલાઈ 2014માં મામલો સીબીઆઈ પાસે ગયો. જીયાની માતાએ પણ કહ્યું હતું કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા હતી. આ પછી, બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલે નવેસરથી તપાસની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .