અમેરિકાના 80 વર્ષીય પ્રમુખ જો બિડેને ફરી ચૂંટણી લડવાની કરી જાહેરાત, પ્રચાર અભિયાન વીડિયો લોન્ચ કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 18:55:54

અમેરિકાના પ્રમુખ જો બિડેને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યાના ત્રણ વર્ષથી ઓછા સમયમાં ફરી એકવાર અમેરિકાના ટોચના પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે.  80 વર્ષીય ડેમોક્રેટ બિડેનએ આ જાહેરાત એક પ્રચાર અભિયાન વીડિયોમાં કરી હતી. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી હતી. અમેરિકાના ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે.


લોકો પાસે વધુ 4 વર્ષ માંગ્યા


અમેરિકાના પ્રમુખ જો બિડેને મંગળવારે ઔપચારિક રીતે તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2024માં તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. તેમણે અમેરિકનોને લોકશાહી બચાવવા માટે તેમને ફરીથી ચૂંટવા માટે આહવાન કર્યું હતું. જો બિડેને અમેરિકના લોકોને કહ્યું છે કે તેમણે જે શરૂ કર્યું છે તે પૂર્ણ કરવા માટે તેમને વધુ ચાર વર્ષ આપવામાં આવે.


લોકોને આશ્ચર્ય થયું


જો બિડેનની ઉમેદવારી લોકો અને રાજકીય પંડિતો માટે આશ્ચર્યજનક છે, કારણ કે તેમની ખરાબ તબિયતના સમાચાર અવાર નવાર આવતા રહે છે. તે ઉપરાંત મીટિંગમાં સૂવું અને ઘણી બાબતો ભૂલી જવા સહિતની સમસ્યા પણ તેમની રહી છે.



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .