અમેરિકાના 80 વર્ષીય પ્રમુખ જો બિડેને ફરી ચૂંટણી લડવાની કરી જાહેરાત, પ્રચાર અભિયાન વીડિયો લોન્ચ કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 18:55:54

અમેરિકાના પ્રમુખ જો બિડેને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યાના ત્રણ વર્ષથી ઓછા સમયમાં ફરી એકવાર અમેરિકાના ટોચના પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે.  80 વર્ષીય ડેમોક્રેટ બિડેનએ આ જાહેરાત એક પ્રચાર અભિયાન વીડિયોમાં કરી હતી. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી હતી. અમેરિકાના ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે.


લોકો પાસે વધુ 4 વર્ષ માંગ્યા


અમેરિકાના પ્રમુખ જો બિડેને મંગળવારે ઔપચારિક રીતે તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2024માં તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. તેમણે અમેરિકનોને લોકશાહી બચાવવા માટે તેમને ફરીથી ચૂંટવા માટે આહવાન કર્યું હતું. જો બિડેને અમેરિકના લોકોને કહ્યું છે કે તેમણે જે શરૂ કર્યું છે તે પૂર્ણ કરવા માટે તેમને વધુ ચાર વર્ષ આપવામાં આવે.


લોકોને આશ્ચર્ય થયું


જો બિડેનની ઉમેદવારી લોકો અને રાજકીય પંડિતો માટે આશ્ચર્યજનક છે, કારણ કે તેમની ખરાબ તબિયતના સમાચાર અવાર નવાર આવતા રહે છે. તે ઉપરાંત મીટિંગમાં સૂવું અને ઘણી બાબતો ભૂલી જવા સહિતની સમસ્યા પણ તેમની રહી છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?