અમેરિકાના 80 વર્ષીય પ્રમુખ જો બિડેને ફરી ચૂંટણી લડવાની કરી જાહેરાત, પ્રચાર અભિયાન વીડિયો લોન્ચ કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 18:55:54

અમેરિકાના પ્રમુખ જો બિડેને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યાના ત્રણ વર્ષથી ઓછા સમયમાં ફરી એકવાર અમેરિકાના ટોચના પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે.  80 વર્ષીય ડેમોક્રેટ બિડેનએ આ જાહેરાત એક પ્રચાર અભિયાન વીડિયોમાં કરી હતી. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી હતી. અમેરિકાના ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે.


લોકો પાસે વધુ 4 વર્ષ માંગ્યા


અમેરિકાના પ્રમુખ જો બિડેને મંગળવારે ઔપચારિક રીતે તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2024માં તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. તેમણે અમેરિકનોને લોકશાહી બચાવવા માટે તેમને ફરીથી ચૂંટવા માટે આહવાન કર્યું હતું. જો બિડેને અમેરિકના લોકોને કહ્યું છે કે તેમણે જે શરૂ કર્યું છે તે પૂર્ણ કરવા માટે તેમને વધુ ચાર વર્ષ આપવામાં આવે.


લોકોને આશ્ચર્ય થયું


જો બિડેનની ઉમેદવારી લોકો અને રાજકીય પંડિતો માટે આશ્ચર્યજનક છે, કારણ કે તેમની ખરાબ તબિયતના સમાચાર અવાર નવાર આવતા રહે છે. તે ઉપરાંત મીટિંગમાં સૂવું અને ઘણી બાબતો ભૂલી જવા સહિતની સમસ્યા પણ તેમની રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.