અમેરિકામાં એક વ્યક્તિને કેન્સર થયું, જોન્સન એન્ડ જોન્સનએ ચૂકવવા પડશે 18.8 મિલિયન ડોલર


  • Published By :
  • Published Date : 2023-07-19 15:09:29

અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીએ કેલિફોર્નિયામાં એક વ્યક્તિને 18.8 મિલિયન ડોલર (રૂ.154 કરોડ) ચૂકવવા પડશે. વ્યક્તિએ દાવો કર્યો હતો કે કંપનીના બેબી પાવડરના કારણે તેને કેન્સર થયું છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ડિફોલ્ટ સ્ટેટ કોર્ટમાં ન્યાયાધીશોએ સંપૂર્ણ કેસની સુનાવણી કર્યા પછી, પીડિત, એમોરી હર્નાન્ડીઝ વલાડેઝની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, કંપનીને ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. વલાડેઝે ગયા વર્ષે કંપની સામે દાવો કર્યો હતો.


વ્યક્તિએ શું દાવો કર્યો હતો?


કોર્ટે 24 વર્ષીય પીડિત વલાડેઝએ જણાવ્યું કે બાળપણથી જ તે કંપનીનો બેબી પાઉડરનો ઉપયોગ કરવાથી તેને છાતી નજીક મેસોથેલિયોમા નામની  કેન્સરની બીમારી થઈ છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ચુકાદો આવ્યા બાદ કંપનીના ફરિયાદી મામલાના ઉપાધ્યક્ષ એરિક હાસે નિવેદનમાં જણાવ્યું કે કંપની આ ચુકાદા સામે અપીલ કરશે. તેમણે કહ્યું કે જોહન્સનનો બેબી પાઉડર સુરક્ષિત છે. તેમણે જાણકારી આપી કે પાઉડરમાં એસ્બેસ્ટસ નથી અને આ કેન્સરનું કારણ ન હોઈ શકે. 



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.