અમેરિકામાં એક વ્યક્તિને કેન્સર થયું, જોન્સન એન્ડ જોન્સનએ ચૂકવવા પડશે 18.8 મિલિયન ડોલર


  • Published By :
  • Published Date : 2023-07-19 15:09:29

અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીએ કેલિફોર્નિયામાં એક વ્યક્તિને 18.8 મિલિયન ડોલર (રૂ.154 કરોડ) ચૂકવવા પડશે. વ્યક્તિએ દાવો કર્યો હતો કે કંપનીના બેબી પાવડરના કારણે તેને કેન્સર થયું છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ડિફોલ્ટ સ્ટેટ કોર્ટમાં ન્યાયાધીશોએ સંપૂર્ણ કેસની સુનાવણી કર્યા પછી, પીડિત, એમોરી હર્નાન્ડીઝ વલાડેઝની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, કંપનીને ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. વલાડેઝે ગયા વર્ષે કંપની સામે દાવો કર્યો હતો.


વ્યક્તિએ શું દાવો કર્યો હતો?


કોર્ટે 24 વર્ષીય પીડિત વલાડેઝએ જણાવ્યું કે બાળપણથી જ તે કંપનીનો બેબી પાઉડરનો ઉપયોગ કરવાથી તેને છાતી નજીક મેસોથેલિયોમા નામની  કેન્સરની બીમારી થઈ છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ચુકાદો આવ્યા બાદ કંપનીના ફરિયાદી મામલાના ઉપાધ્યક્ષ એરિક હાસે નિવેદનમાં જણાવ્યું કે કંપની આ ચુકાદા સામે અપીલ કરશે. તેમણે કહ્યું કે જોહન્સનનો બેબી પાઉડર સુરક્ષિત છે. તેમણે જાણકારી આપી કે પાઉડરમાં એસ્બેસ્ટસ નથી અને આ કેન્સરનું કારણ ન હોઈ શકે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.