અમેરિકામાં એક વ્યક્તિને કેન્સર થયું, જોન્સન એન્ડ જોન્સનએ ચૂકવવા પડશે 18.8 મિલિયન ડોલર


  • Published By :
  • Published Date : 2023-07-19 15:09:29

અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીએ કેલિફોર્નિયામાં એક વ્યક્તિને 18.8 મિલિયન ડોલર (રૂ.154 કરોડ) ચૂકવવા પડશે. વ્યક્તિએ દાવો કર્યો હતો કે કંપનીના બેબી પાવડરના કારણે તેને કેન્સર થયું છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ડિફોલ્ટ સ્ટેટ કોર્ટમાં ન્યાયાધીશોએ સંપૂર્ણ કેસની સુનાવણી કર્યા પછી, પીડિત, એમોરી હર્નાન્ડીઝ વલાડેઝની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, કંપનીને ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. વલાડેઝે ગયા વર્ષે કંપની સામે દાવો કર્યો હતો.


વ્યક્તિએ શું દાવો કર્યો હતો?


કોર્ટે 24 વર્ષીય પીડિત વલાડેઝએ જણાવ્યું કે બાળપણથી જ તે કંપનીનો બેબી પાઉડરનો ઉપયોગ કરવાથી તેને છાતી નજીક મેસોથેલિયોમા નામની  કેન્સરની બીમારી થઈ છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ચુકાદો આવ્યા બાદ કંપનીના ફરિયાદી મામલાના ઉપાધ્યક્ષ એરિક હાસે નિવેદનમાં જણાવ્યું કે કંપની આ ચુકાદા સામે અપીલ કરશે. તેમણે કહ્યું કે જોહન્સનનો બેબી પાઉડર સુરક્ષિત છે. તેમણે જાણકારી આપી કે પાઉડરમાં એસ્બેસ્ટસ નથી અને આ કેન્સરનું કારણ ન હોઈ શકે. 



રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.