જે.પી.નડ્ડાને મળ્યું એક્સટેન્શન, જૂન 2024 સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રહેશે યથાવત


  • Published By :
  • Published Date : 2023-01-17 16:53:24

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક હાલ નવી દિલ્હીમાં ચાલી રહી છે. આજે બીજા અને અંતિમ દિવસે પાર્ટીએ મહત્વનો નિર્ણય લઈને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ સુધી વધાર્યો છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. નડ્ડા હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાર્ટીના અગ્રણી નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડાના એક્સટેન્શનની જાહેરાત કરી હતી. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ પદે યથાવત રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર પાર્ટીના નેતાઓએ સર્વસંમતીથી મહોર લગાવી છે.


પાટીલ નહીં બને BJPના રાષ્ટ્રીય પ્રમુખ


ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષના પદની રેશમાં નડ્ડા ઉપરાંત ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ પણ હતા. જો કોઈ કારણસર જેપી નડ્ડાના નામ પર સર્વસંમતિ ન બને તો ભૂપેન્દ્ર યાદવનું નામ રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ સી.આર.પાટીલની ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે. હવે પાટીલને કેન્દ્રમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પૂરી શક્યતા છે.


PM મોદી પદાધિકારીઓને સંબોધશે 


નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદાધિકારીઓને સંબોધન આપશે. મોદીના ભાષણને માર્ગદર્શક નિવેદન કહેવામાં આવ્યું છે. આ પછી આ બે દિવસીય બેઠક સમાપ્ત થશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.