જે.પી.નડ્ડાને મળ્યું એક્સટેન્શન, જૂન 2024 સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રહેશે યથાવત


  • Published By :
  • Published Date : 2023-01-17 16:53:24

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક હાલ નવી દિલ્હીમાં ચાલી રહી છે. આજે બીજા અને અંતિમ દિવસે પાર્ટીએ મહત્વનો નિર્ણય લઈને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ સુધી વધાર્યો છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. નડ્ડા હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાર્ટીના અગ્રણી નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડાના એક્સટેન્શનની જાહેરાત કરી હતી. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ પદે યથાવત રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર પાર્ટીના નેતાઓએ સર્વસંમતીથી મહોર લગાવી છે.


પાટીલ નહીં બને BJPના રાષ્ટ્રીય પ્રમુખ


ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષના પદની રેશમાં નડ્ડા ઉપરાંત ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ પણ હતા. જો કોઈ કારણસર જેપી નડ્ડાના નામ પર સર્વસંમતિ ન બને તો ભૂપેન્દ્ર યાદવનું નામ રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ સી.આર.પાટીલની ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે. હવે પાટીલને કેન્દ્રમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પૂરી શક્યતા છે.


PM મોદી પદાધિકારીઓને સંબોધશે 


નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદાધિકારીઓને સંબોધન આપશે. મોદીના ભાષણને માર્ગદર્શક નિવેદન કહેવામાં આવ્યું છે. આ પછી આ બે દિવસીય બેઠક સમાપ્ત થશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.