જે.પી.નડ્ડાને મળ્યું એક્સટેન્શન, જૂન 2024 સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રહેશે યથાવત


  • Published By :
  • Published Date : 2023-01-17 16:53:24

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક હાલ નવી દિલ્હીમાં ચાલી રહી છે. આજે બીજા અને અંતિમ દિવસે પાર્ટીએ મહત્વનો નિર્ણય લઈને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ સુધી વધાર્યો છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. નડ્ડા હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાર્ટીના અગ્રણી નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડાના એક્સટેન્શનની જાહેરાત કરી હતી. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ પદે યથાવત રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર પાર્ટીના નેતાઓએ સર્વસંમતીથી મહોર લગાવી છે.


પાટીલ નહીં બને BJPના રાષ્ટ્રીય પ્રમુખ


ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષના પદની રેશમાં નડ્ડા ઉપરાંત ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ પણ હતા. જો કોઈ કારણસર જેપી નડ્ડાના નામ પર સર્વસંમતિ ન બને તો ભૂપેન્દ્ર યાદવનું નામ રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ સી.આર.પાટીલની ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે. હવે પાટીલને કેન્દ્રમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પૂરી શક્યતા છે.


PM મોદી પદાધિકારીઓને સંબોધશે 


નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદાધિકારીઓને સંબોધન આપશે. મોદીના ભાષણને માર્ગદર્શક નિવેદન કહેવામાં આવ્યું છે. આ પછી આ બે દિવસીય બેઠક સમાપ્ત થશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.