જે.પી.નડ્ડાને મળ્યું એક્સટેન્શન, જૂન 2024 સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રહેશે યથાવત


  • Published By :
  • Published Date : 2023-01-17 16:53:24

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક હાલ નવી દિલ્હીમાં ચાલી રહી છે. આજે બીજા અને અંતિમ દિવસે પાર્ટીએ મહત્વનો નિર્ણય લઈને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ સુધી વધાર્યો છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. નડ્ડા હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાર્ટીના અગ્રણી નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડાના એક્સટેન્શનની જાહેરાત કરી હતી. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ પદે યથાવત રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર પાર્ટીના નેતાઓએ સર્વસંમતીથી મહોર લગાવી છે.


પાટીલ નહીં બને BJPના રાષ્ટ્રીય પ્રમુખ


ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષના પદની રેશમાં નડ્ડા ઉપરાંત ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ પણ હતા. જો કોઈ કારણસર જેપી નડ્ડાના નામ પર સર્વસંમતિ ન બને તો ભૂપેન્દ્ર યાદવનું નામ રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ સી.આર.પાટીલની ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે. હવે પાટીલને કેન્દ્રમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પૂરી શક્યતા છે.


PM મોદી પદાધિકારીઓને સંબોધશે 


નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદાધિકારીઓને સંબોધન આપશે. મોદીના ભાષણને માર્ગદર્શક નિવેદન કહેવામાં આવ્યું છે. આ પછી આ બે દિવસીય બેઠક સમાપ્ત થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.