મોંઘીદાટ વિમાનની ટિકિટ મુદ્દે બુમરાળ મચાવતા લોકોને એવિયેશન મંત્રીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-20 20:18:10

હવાઈ મુસાફરી કરતા લોકો સતત મોંઘી ટિકિટોની બુમરાળ મચાવતા હોય છે. કેન્દ્ર સરકારમાં સિવિલ એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેનો ખુલાસો કર્યો છે. રાજ્ય સભામાં જણાવ્યું હતું કે પ્લેનની ટિકિટની કિંમતો મોસમ પર આધારીત છે. જો કે પેસેન્જર ઈચ્છે છે તો એડવાન્સ બુકિંગ કરી ઓછા ભાડામાં પ્લેનનું ટિકિટ ખરીદી શકે છે. 


ઉડ્ડયન સેક્ટર પર સરકારનું નિયંત્રણ નહીં 


ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા સિંધિયાએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન સેક્ટર પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ઉડ્ડયન કંપનીઓ પર આધાર રાખે છે. તહેવારોની મોસમ દરમિયાન પ્લેન ટિકિટના ભાવમાં વધારાના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું કે એ સમજવું જરૂરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર મોસમી ઉદ્યોગ છે. તેમણે કહ્યું કે તેની માંગમાં વધઘટ થતી રહે છે.


ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ઉંચી માંગ


જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તહેવારોની સીઝન ઓક્ટોબરમાં શરૂ થાય છે. ત્યારથી માંગ વધે છે. અને તે ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે. ત્યારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારે માંગ હોય છે. તે પછી માંગમાં થોડો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન માંગમાં ભારે ઘટાડો જોવા મળે છે.


કોરોનાકાળ સૌથી ખરાબ તબક્કો


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધ્યાન દોર્યું કે કોરોના રોગચાળા દરમિયાન, આ ક્ષેત્ર વિશ્વના કોઈ પણ ઉદ્યોગ માટે સંભવતઃ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયું છે. તેમણે કહ્યું કે એર ટર્બાઇન ઇંધણ ટિકિટની કિંમતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આના પર ઉડ્ડયન ઉદ્યોગનો ખર્ચ લગભગ 50 ટકા છે. તેમણે કહ્યું કે કોવિડ પહેલા તેની કિંમત 35,000 થી 40,000 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે હવે વધીને 1,17,000 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.