મોંઘીદાટ વિમાનની ટિકિટ મુદ્દે બુમરાળ મચાવતા લોકોને એવિયેશન મંત્રીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-20 20:18:10

હવાઈ મુસાફરી કરતા લોકો સતત મોંઘી ટિકિટોની બુમરાળ મચાવતા હોય છે. કેન્દ્ર સરકારમાં સિવિલ એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેનો ખુલાસો કર્યો છે. રાજ્ય સભામાં જણાવ્યું હતું કે પ્લેનની ટિકિટની કિંમતો મોસમ પર આધારીત છે. જો કે પેસેન્જર ઈચ્છે છે તો એડવાન્સ બુકિંગ કરી ઓછા ભાડામાં પ્લેનનું ટિકિટ ખરીદી શકે છે. 


ઉડ્ડયન સેક્ટર પર સરકારનું નિયંત્રણ નહીં 


ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા સિંધિયાએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન સેક્ટર પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ઉડ્ડયન કંપનીઓ પર આધાર રાખે છે. તહેવારોની મોસમ દરમિયાન પ્લેન ટિકિટના ભાવમાં વધારાના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું કે એ સમજવું જરૂરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર મોસમી ઉદ્યોગ છે. તેમણે કહ્યું કે તેની માંગમાં વધઘટ થતી રહે છે.


ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ઉંચી માંગ


જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તહેવારોની સીઝન ઓક્ટોબરમાં શરૂ થાય છે. ત્યારથી માંગ વધે છે. અને તે ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે. ત્યારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારે માંગ હોય છે. તે પછી માંગમાં થોડો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન માંગમાં ભારે ઘટાડો જોવા મળે છે.


કોરોનાકાળ સૌથી ખરાબ તબક્કો


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધ્યાન દોર્યું કે કોરોના રોગચાળા દરમિયાન, આ ક્ષેત્ર વિશ્વના કોઈ પણ ઉદ્યોગ માટે સંભવતઃ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયું છે. તેમણે કહ્યું કે એર ટર્બાઇન ઇંધણ ટિકિટની કિંમતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આના પર ઉડ્ડયન ઉદ્યોગનો ખર્ચ લગભગ 50 ટકા છે. તેમણે કહ્યું કે કોવિડ પહેલા તેની કિંમત 35,000 થી 40,000 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે હવે વધીને 1,17,000 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.