કાજલ હિન્દુસ્થાની સામે નોંધાઈ વધુ એક FIR, મુંબઈમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-29 13:44:40

હિંદુવાદી કાર્યકર કાજલ હિન્દુસ્થાની વિરુદ્ધ ફરી એક FIR નોંધવામાં આવી છે. તેમની સામે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કાજલ વિરુદ્ધ મુંબઈમાં આવેલા મીરા રોડ વિસ્તારમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. 


મુંબઈમાં નોંધાઈ FIR


મળતી વિગતો મુજબ 12 માર્ચના રોજ મુંબઈમાં સકલ હિંદુ સમાજ દ્વારા હિંદુ આક્રોશ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્થાનીએ ભાષણ આપ્યું હતું જે લોકોને ભડકાવનારું હતું,જેના કારણે તેમના ઉપર પોલીસે FIR નોંધી છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ પોલીસે કલમ 153A અને 505(2) હેઠળ કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ કાજલ આવા ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં આવી ચૂક્યા છે.


ગીર સોમનાથમાં પણ નોંધાઈ હતી ફરિયાદ 


અગાઉ રામ નવમીના દિવસે ગીર સોમનાથના ઉના શહેરમાં કાજલ હિન્દુસ્થાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગદીલી સર્જાઈ હતી.આ મામલે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ થઈ હતી.


કોણ છે કે કાજલ હિન્દુસ્થાની?


કાજલ હિન્દુસ્થાનીનું સાચું નામ કાજલ સિંગાળા છે. વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બન્યા હતા. કાજલ હિન્દુસ્થાની રાજસ્થાનના બ્રાહ્મણ પરિવારના છે. તેણીએ ગુજરાતના સિંગલા પરિવારમાં લગ્ન કર્યા હતા. કાજલ પોતાનો પરિચય એક હિંદુવાદી કાર્યકર તરીકે આપે છે. તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ફોલો કરવામાં આવે છે. જ્યારે તેણીને તેમની અટક માટે નિશાન બનાવવામાં આવી હતી, ત્યારે તેણીએ તેમનું નામ કાજલ સિંગાળાથી બદલીને કાજલ હિન્દુસ્થાની કરી દીધું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.