અમૃતસરમાં થયેલા હુમલાને લઇને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કહી વાત, જાણો શું લખ્યું આ વખતે


  • Published By :
  • Published Date : 2023-02-25 17:07:11

સોશિયલ  મીડિયા પર એક્ટિવ રહેતી તેમજ હંમેશા વિવાદોમાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પંજાબમાં ચાલી રહેલી હિંસાને લઈ ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર કંગનાએ પંજાબની પરિસ્થિતિને લઈને પોસ્ટ મૂકી છે જેમાં તેમણે કહ્યું કે પંજાબમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મેં બે વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં જે કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.

    

આની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી - કંગના  

કંગનાએ લખ્યું કે પંજાબમાં આજે થઈ રહ્યું છે તેની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે. તે ઉપરાંત કંગનાએ અમૃતપાલ સિંહના ચેલેન્જનો સ્વીકાર કરતા હોય તેવી પણ ટ્વિટ મૂકી હતી.


કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 

અજનાલા થાનામાં 23 ફેબ્રુઆરીના રોજ તલવાર તેમજ બંદૂક લઈને ખાલિસ્તાન સર્મથકોએ હુમલો કર્યો હતો. અમૃતસરના અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં વારિસ પંજાબ દે નામના સંગઠનના અધ્યક્ષ અમૃતપાલ સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ જ પોતાના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં હુમલો કર્યો હતો. પંજાબમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ સ્થિતિ પર કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. 

The Farmers' Movement and

ખેડૂત આંદોલન વિશે કંગનાએ કરી હતી ટિપ્પણી  

કંગના રનૌતે બે વર્ષ પહેલા દિલ્હી બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલનને લઈ ટિપ્પણી કરી હતી. એક મહિલા પર ટિપ્પણી કરતા કહ્યું કે પૈસા લઈને વૃદ્ધ મહિલા ધરણામાં સામેલ થાય છે. તે ઉપરાંત વિરોધ કરી રેહલા ખેડૂતોને કંગનાએ ખાલિસ્તાની ગણાવ્યા હતા. પંજાબમાં એન્ટ્રી કરતી વખતે ખેડૂતોએ કંગનાને ઘેરી લીધી હતી. કંગનાની ગાડી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો    






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.