અમૃતસરમાં થયેલા હુમલાને લઇને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કહી વાત, જાણો શું લખ્યું આ વખતે


  • Published By :
  • Published Date : 2023-02-25 17:07:11

સોશિયલ  મીડિયા પર એક્ટિવ રહેતી તેમજ હંમેશા વિવાદોમાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પંજાબમાં ચાલી રહેલી હિંસાને લઈ ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર કંગનાએ પંજાબની પરિસ્થિતિને લઈને પોસ્ટ મૂકી છે જેમાં તેમણે કહ્યું કે પંજાબમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મેં બે વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં જે કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.

    

આની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી - કંગના  

કંગનાએ લખ્યું કે પંજાબમાં આજે થઈ રહ્યું છે તેની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે. તે ઉપરાંત કંગનાએ અમૃતપાલ સિંહના ચેલેન્જનો સ્વીકાર કરતા હોય તેવી પણ ટ્વિટ મૂકી હતી.


કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 

અજનાલા થાનામાં 23 ફેબ્રુઆરીના રોજ તલવાર તેમજ બંદૂક લઈને ખાલિસ્તાન સર્મથકોએ હુમલો કર્યો હતો. અમૃતસરના અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં વારિસ પંજાબ દે નામના સંગઠનના અધ્યક્ષ અમૃતપાલ સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ જ પોતાના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં હુમલો કર્યો હતો. પંજાબમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ સ્થિતિ પર કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. 

The Farmers' Movement and

ખેડૂત આંદોલન વિશે કંગનાએ કરી હતી ટિપ્પણી  

કંગના રનૌતે બે વર્ષ પહેલા દિલ્હી બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલનને લઈ ટિપ્પણી કરી હતી. એક મહિલા પર ટિપ્પણી કરતા કહ્યું કે પૈસા લઈને વૃદ્ધ મહિલા ધરણામાં સામેલ થાય છે. તે ઉપરાંત વિરોધ કરી રેહલા ખેડૂતોને કંગનાએ ખાલિસ્તાની ગણાવ્યા હતા. પંજાબમાં એન્ટ્રી કરતી વખતે ખેડૂતોએ કંગનાને ઘેરી લીધી હતી. કંગનાની ગાડી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો    






અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.