કન્હૈયા કુમારને કોંગ્રેસમાં મળી મોટી જવાબદારી, NSUIના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા, 2021માં પાર્ટીમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2023-07-06 20:18:30

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)એ JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના વિદ્યાર્થી પાંખના પ્રભારી જાહેર કર્યા છે. અગાઉ આ જવાબદારી રુચિ ગુપ્તા સંભાળી રહી હતી. તેમણે લગભગ અઢી વર્ષ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું હતું.


કનૈયાને મળી મોટી જવાબદારી


ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમને દિલ્હી અથવા બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીએ તેમને પોતાની વિદ્યાર્થી પાંખના અધ્યક્ષ બનાવ્યા છે. તેમને વિદ્યાર્થી નેતા તરીકે કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. કન્હૈયાને ઉત્તમ વક્તા માનવામાં આવે છે. જેએનયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેમની જીતનું કારણ પણ તેમનું ભાષણ માનવામાં આવે છે. રાજદ્રોહના આરોપનો સામનો કરનારા કન્હૈયા કુમાર ચૂંટણી પણ લડી ચુક્યા છે.


2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા


કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું કે, "કોંગ્રેસ પ્રમુખે માનનીય કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી NSUIના પ્રભારી તરીકે જાહેર કર્યા છે." કન્હૈયા કુમાર વર્ષ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જેએનયુમાં આપેલા ભાષણને કારણે તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.