કન્હૈયા કુમારને કોંગ્રેસમાં મળી મોટી જવાબદારી, NSUIના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા, 2021માં પાર્ટીમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2023-07-06 20:18:30

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)એ JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના વિદ્યાર્થી પાંખના પ્રભારી જાહેર કર્યા છે. અગાઉ આ જવાબદારી રુચિ ગુપ્તા સંભાળી રહી હતી. તેમણે લગભગ અઢી વર્ષ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું હતું.


કનૈયાને મળી મોટી જવાબદારી


ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમને દિલ્હી અથવા બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીએ તેમને પોતાની વિદ્યાર્થી પાંખના અધ્યક્ષ બનાવ્યા છે. તેમને વિદ્યાર્થી નેતા તરીકે કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. કન્હૈયાને ઉત્તમ વક્તા માનવામાં આવે છે. જેએનયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેમની જીતનું કારણ પણ તેમનું ભાષણ માનવામાં આવે છે. રાજદ્રોહના આરોપનો સામનો કરનારા કન્હૈયા કુમાર ચૂંટણી પણ લડી ચુક્યા છે.


2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા


કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું કે, "કોંગ્રેસ પ્રમુખે માનનીય કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી NSUIના પ્રભારી તરીકે જાહેર કર્યા છે." કન્હૈયા કુમાર વર્ષ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જેએનયુમાં આપેલા ભાષણને કારણે તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા.



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.