કન્હૈયા કુમારને કોંગ્રેસમાં મળી મોટી જવાબદારી, NSUIના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા, 2021માં પાર્ટીમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2023-07-06 20:18:30

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)એ JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના વિદ્યાર્થી પાંખના પ્રભારી જાહેર કર્યા છે. અગાઉ આ જવાબદારી રુચિ ગુપ્તા સંભાળી રહી હતી. તેમણે લગભગ અઢી વર્ષ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું હતું.


કનૈયાને મળી મોટી જવાબદારી


ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમને દિલ્હી અથવા બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીએ તેમને પોતાની વિદ્યાર્થી પાંખના અધ્યક્ષ બનાવ્યા છે. તેમને વિદ્યાર્થી નેતા તરીકે કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. કન્હૈયાને ઉત્તમ વક્તા માનવામાં આવે છે. જેએનયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેમની જીતનું કારણ પણ તેમનું ભાષણ માનવામાં આવે છે. રાજદ્રોહના આરોપનો સામનો કરનારા કન્હૈયા કુમાર ચૂંટણી પણ લડી ચુક્યા છે.


2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા


કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું કે, "કોંગ્રેસ પ્રમુખે માનનીય કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી NSUIના પ્રભારી તરીકે જાહેર કર્યા છે." કન્હૈયા કુમાર વર્ષ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જેએનયુમાં આપેલા ભાષણને કારણે તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા.



ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.