બ્રિજભૂષણ શરણ મામલે પીએમ મોદી દ્વારા સેવાયેલા મૌન પર કપિલ સિબ્બલનો કટાક્ષ! ટ્વિટ કરી કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-03 16:52:19

બ્રિજભૂષણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજો માગ કરી રહ્યા છે. પોતાના પદ ઉપરથી WFIના પ્રમુખની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પહેલવાનોના સમર્થનમાં અનેક રાજનેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પાર્ટી આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બિલે બ્રિજભૂષણ શરણ સિંહ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે પીએમ મોદીએ કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી તે અંગે સવાલ પૂછ્યા છે. પીએમ મોદી અને ભાજપના નેતાઓ દ્વારા સેવાતા મૌનને લઈ પ્રશ્ન પૂછ્યા છે. આ મામલે સિબ્બલે ટ્વિટ કરી છે.

    

કપિલ સિબ્બલનો સરકારને કટાક્ષ!

પહેલવાનો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈ દરેક જગ્યા પર ચર્ચા થઈ રહી છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા આવી છે પરંતુ આ મામલે ભાજપના નેતાઓની અને મુખ્યત્વે પીએમ મોદીની કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ વાતને લઈ કપિલ સિબ્બલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે કપિલ સિબ્બલે ટ્વિટ કરી લખ્યું કે મામલાની તપાસ કરવા માટે સબૂત પુરતા છે. લોકોમાં તેમના પ્રત્યે રોષ વધી રહ્યો છે. પરંતુ હજી સુધી તેમની ધરપકડ નથી થઈ અને પીએમ મોદી, અમિત શાહ, બીજેપી અને આરએસએસ ચૂપ છે. સરકાર બધાની સાથે નથી પરંતુ માત્ર બ્રિજભૂષણ શરણ સિંહની છે. 


ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું મળ્યું સમર્થન!

પહેલવાનોના સમર્થનમાં ખેલાડીઓ ધીમે ધીમે આવી રહ્યા છે. ગઈકાલે જ પહેલવાનોના સમર્થનમાં કપિલ દેવની વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ કરી છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ 5 જૂનના રોજ અયોધ્યામાં રેલી કરવાના હતા પરંતુ તેમના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.