બ્રિજભૂષણ શરણ મામલે પીએમ મોદી દ્વારા સેવાયેલા મૌન પર કપિલ સિબ્બલનો કટાક્ષ! ટ્વિટ કરી કહી આ વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 16:52:19

બ્રિજભૂષણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજો માગ કરી રહ્યા છે. પોતાના પદ ઉપરથી WFIના પ્રમુખની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પહેલવાનોના સમર્થનમાં અનેક રાજનેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પાર્ટી આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બિલે બ્રિજભૂષણ શરણ સિંહ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે પીએમ મોદીએ કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી તે અંગે સવાલ પૂછ્યા છે. પીએમ મોદી અને ભાજપના નેતાઓ દ્વારા સેવાતા મૌનને લઈ પ્રશ્ન પૂછ્યા છે. આ મામલે સિબ્બલે ટ્વિટ કરી છે.

    

કપિલ સિબ્બલનો સરકારને કટાક્ષ!

પહેલવાનો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈ દરેક જગ્યા પર ચર્ચા થઈ રહી છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા આવી છે પરંતુ આ મામલે ભાજપના નેતાઓની અને મુખ્યત્વે પીએમ મોદીની કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ વાતને લઈ કપિલ સિબ્બલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે કપિલ સિબ્બલે ટ્વિટ કરી લખ્યું કે મામલાની તપાસ કરવા માટે સબૂત પુરતા છે. લોકોમાં તેમના પ્રત્યે રોષ વધી રહ્યો છે. પરંતુ હજી સુધી તેમની ધરપકડ નથી થઈ અને પીએમ મોદી, અમિત શાહ, બીજેપી અને આરએસએસ ચૂપ છે. સરકાર બધાની સાથે નથી પરંતુ માત્ર બ્રિજભૂષણ શરણ સિંહની છે. 


ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું મળ્યું સમર્થન!

પહેલવાનોના સમર્થનમાં ખેલાડીઓ ધીમે ધીમે આવી રહ્યા છે. ગઈકાલે જ પહેલવાનોના સમર્થનમાં કપિલ દેવની વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ કરી છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ 5 જૂનના રોજ અયોધ્યામાં રેલી કરવાના હતા પરંતુ તેમના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે.  



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.