કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને ક્યારે આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-29 13:50:14

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી દીધી છે જે મુજબ 10 મેના રોજ મતદાન યોજાશે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 224 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. 

     

224 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પોલિટિકલ દ્રષ્ટિએ આ વર્ષને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાણકારી આપી હતી. 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે. 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે.


આ વખતે કોની બનશે સરકાર?  

મહત્વનું છે કે કર્ણાટકમાં ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. 2018ના પરિણામની વાત કરીએ તો ભાજપને 104 સીટો મળી હતી, કોંગ્રેસને 80 સીટો મળી હતી જ્યારે જેડીએસને 37 બેઠકો મળી હતી. બહુમતી ન હોવાને કારણે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી જેમાં સીએમ તરીકે બીએસ યેદિયુરપ્પા બન્યા હતા. પરંતુ માત્ર 6 દિવસમાં તેમણે રાજીનામું આપી દીધું હતું કારણ કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે બાદ બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.