કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને ક્યારે આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-29 13:50:14

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી દીધી છે જે મુજબ 10 મેના રોજ મતદાન યોજાશે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 224 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. 

     

224 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પોલિટિકલ દ્રષ્ટિએ આ વર્ષને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાણકારી આપી હતી. 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે. 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે.


આ વખતે કોની બનશે સરકાર?  

મહત્વનું છે કે કર્ણાટકમાં ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. 2018ના પરિણામની વાત કરીએ તો ભાજપને 104 સીટો મળી હતી, કોંગ્રેસને 80 સીટો મળી હતી જ્યારે જેડીએસને 37 બેઠકો મળી હતી. બહુમતી ન હોવાને કારણે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી જેમાં સીએમ તરીકે બીએસ યેદિયુરપ્પા બન્યા હતા. પરંતુ માત્ર 6 દિવસમાં તેમણે રાજીનામું આપી દીધું હતું કારણ કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે બાદ બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.          



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.