કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને ક્યારે આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-29 13:50:14

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી દીધી છે જે મુજબ 10 મેના રોજ મતદાન યોજાશે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 224 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. 

     

224 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પોલિટિકલ દ્રષ્ટિએ આ વર્ષને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાણકારી આપી હતી. 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે. 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે.


આ વખતે કોની બનશે સરકાર?  

મહત્વનું છે કે કર્ણાટકમાં ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. 2018ના પરિણામની વાત કરીએ તો ભાજપને 104 સીટો મળી હતી, કોંગ્રેસને 80 સીટો મળી હતી જ્યારે જેડીએસને 37 બેઠકો મળી હતી. બહુમતી ન હોવાને કારણે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી જેમાં સીએમ તરીકે બીએસ યેદિયુરપ્પા બન્યા હતા. પરંતુ માત્ર 6 દિવસમાં તેમણે રાજીનામું આપી દીધું હતું કારણ કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે બાદ બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.