કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને ક્યારે આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-29 13:50:14

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી દીધી છે જે મુજબ 10 મેના રોજ મતદાન યોજાશે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 224 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. 

     

224 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પોલિટિકલ દ્રષ્ટિએ આ વર્ષને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાણકારી આપી હતી. 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે. 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે.


આ વખતે કોની બનશે સરકાર?  

મહત્વનું છે કે કર્ણાટકમાં ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. 2018ના પરિણામની વાત કરીએ તો ભાજપને 104 સીટો મળી હતી, કોંગ્રેસને 80 સીટો મળી હતી જ્યારે જેડીએસને 37 બેઠકો મળી હતી. બહુમતી ન હોવાને કારણે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી જેમાં સીએમ તરીકે બીએસ યેદિયુરપ્પા બન્યા હતા. પરંતુ માત્ર 6 દિવસમાં તેમણે રાજીનામું આપી દીધું હતું કારણ કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે બાદ બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.          



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.