કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની ટીમમાં થયો વધારો! 24 મંત્રીઓનો મંત્રી મંડળમાં થયો સમાવેશ! મંત્રીઓએ લીધા શપથ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:16:05

કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવી દીધી છે. ચૂંટણીનું પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા અનેક બેઠકો કરવામાં આવી હતી. અનેક ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યારે સરકાર બનવાના સાત દિવસ બાદ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 24 મંત્રીઓએ શપથ લીધી છે. મંત્રીઓને રાજ્યપાલ થાવરચંદ ગહલોતે શપથ લેવડાયા છે.

આ મંત્રીઓએ આજે ગ્રહણ કર્યા શપથ!

20મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથ લીધી હતી. ડે.સીએમ તરીકે ડી.કે.શિવકુમારે શપથ લીધા હતા. તેમની સાથે 8 મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે આજે 24 મંત્રીઓએ મંત્રી તરીકેના શપથ લીધા છે. એચકે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, ઈશ્વર ખંડ્રે, એન રાજન્ના, દિનેશ ગુંડુ રાવ, એસ દર્શનપુર, શિવાનંદ પાટીલ, રામપ્પા બલપ્પા, એસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગપ્પા, રુદ્રપ્પા પાટીલ, માંકલ વૈદ્ય, આર હેબાલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, એનએસ બોસેરાજુ, સુરેશ બીએસ, મધુ બંગરપ્પા, એમએસ સુધાકર, બી નાગેન્દ્રે શપથ ગ્રહણ કર્યા છે. આ મંત્રીઓના શપથ લીધા બાદ કર્ણાટકની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 34 પર પહોંચી છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.