કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની ટીમમાં થયો વધારો! 24 મંત્રીઓનો મંત્રી મંડળમાં થયો સમાવેશ! મંત્રીઓએ લીધા શપથ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:16:05

કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવી દીધી છે. ચૂંટણીનું પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા અનેક બેઠકો કરવામાં આવી હતી. અનેક ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યારે સરકાર બનવાના સાત દિવસ બાદ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 24 મંત્રીઓએ શપથ લીધી છે. મંત્રીઓને રાજ્યપાલ થાવરચંદ ગહલોતે શપથ લેવડાયા છે.

આ મંત્રીઓએ આજે ગ્રહણ કર્યા શપથ!

20મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથ લીધી હતી. ડે.સીએમ તરીકે ડી.કે.શિવકુમારે શપથ લીધા હતા. તેમની સાથે 8 મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે આજે 24 મંત્રીઓએ મંત્રી તરીકેના શપથ લીધા છે. એચકે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, ઈશ્વર ખંડ્રે, એન રાજન્ના, દિનેશ ગુંડુ રાવ, એસ દર્શનપુર, શિવાનંદ પાટીલ, રામપ્પા બલપ્પા, એસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગપ્પા, રુદ્રપ્પા પાટીલ, માંકલ વૈદ્ય, આર હેબાલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, એનએસ બોસેરાજુ, સુરેશ બીએસ, મધુ બંગરપ્પા, એમએસ સુધાકર, બી નાગેન્દ્રે શપથ ગ્રહણ કર્યા છે. આ મંત્રીઓના શપથ લીધા બાદ કર્ણાટકની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 34 પર પહોંચી છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.