કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની ટીમમાં થયો વધારો! 24 મંત્રીઓનો મંત્રી મંડળમાં થયો સમાવેશ! મંત્રીઓએ લીધા શપથ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:16:05

કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવી દીધી છે. ચૂંટણીનું પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા અનેક બેઠકો કરવામાં આવી હતી. અનેક ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યારે સરકાર બનવાના સાત દિવસ બાદ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 24 મંત્રીઓએ શપથ લીધી છે. મંત્રીઓને રાજ્યપાલ થાવરચંદ ગહલોતે શપથ લેવડાયા છે.

આ મંત્રીઓએ આજે ગ્રહણ કર્યા શપથ!

20મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથ લીધી હતી. ડે.સીએમ તરીકે ડી.કે.શિવકુમારે શપથ લીધા હતા. તેમની સાથે 8 મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે આજે 24 મંત્રીઓએ મંત્રી તરીકેના શપથ લીધા છે. એચકે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, ઈશ્વર ખંડ્રે, એન રાજન્ના, દિનેશ ગુંડુ રાવ, એસ દર્શનપુર, શિવાનંદ પાટીલ, રામપ્પા બલપ્પા, એસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગપ્પા, રુદ્રપ્પા પાટીલ, માંકલ વૈદ્ય, આર હેબાલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, એનએસ બોસેરાજુ, સુરેશ બીએસ, મધુ બંગરપ્પા, એમએસ સુધાકર, બી નાગેન્દ્રે શપથ ગ્રહણ કર્યા છે. આ મંત્રીઓના શપથ લીધા બાદ કર્ણાટકની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 34 પર પહોંચી છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.