અમિત શાહને બોલવું ભારે પડ્યું, કોંગ્રેસે નોંધાવી FIR, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 19:29:25

કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કાઈક એવું કહ્યું કે જેને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. અમિત શાહે તેમના નિવેદનમાં કહ્યું હતું ક જો રાજ્યમાં  કોંગ્રેસની સરકાર બની તો રાજ્યમાં રમખાણો થશે. આ અંગે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે, અને અમિત શાહ સામે એફઆઈઆર નોંધાવી છે. તે સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. 


કોંગ્રેસે નોંધાવી FIR


કોંગ્રેસના નેતા અને  કર્ણાટક ચૂંટણી પ્રભારી રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર ગેરૂવારે બેંગલુરૂના ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપા નેતા અમિત શાહ, જે રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું તે રેલીના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લોકોમાં દુશ્મનાવટ ફેલાવવાનો અને વિપક્ષને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવ કુમારે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી કહે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો રમખાણો થશે. તે આવું કેવી રીતે કહીં શકે છે, અમે ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી છે.


અમિત શાહે શું કહ્યું હતું?


અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકના બેલગાવીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો રાજ્યનો વિકાસ રિવર્સ ગિયરમાં થશે, વંશવાદની રાજનિતી ચરમસીમા પર પહોંચશે અને કર્ણાટકમાં રમખાણોથી પિડીત રાજ્ય બનશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.