અમિત શાહને બોલવું ભારે પડ્યું, કોંગ્રેસે નોંધાવી FIR, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 19:29:25

કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કાઈક એવું કહ્યું કે જેને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. અમિત શાહે તેમના નિવેદનમાં કહ્યું હતું ક જો રાજ્યમાં  કોંગ્રેસની સરકાર બની તો રાજ્યમાં રમખાણો થશે. આ અંગે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે, અને અમિત શાહ સામે એફઆઈઆર નોંધાવી છે. તે સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. 


કોંગ્રેસે નોંધાવી FIR


કોંગ્રેસના નેતા અને  કર્ણાટક ચૂંટણી પ્રભારી રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર ગેરૂવારે બેંગલુરૂના ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપા નેતા અમિત શાહ, જે રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું તે રેલીના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લોકોમાં દુશ્મનાવટ ફેલાવવાનો અને વિપક્ષને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવ કુમારે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી કહે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો રમખાણો થશે. તે આવું કેવી રીતે કહીં શકે છે, અમે ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી છે.


અમિત શાહે શું કહ્યું હતું?


અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકના બેલગાવીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો રાજ્યનો વિકાસ રિવર્સ ગિયરમાં થશે, વંશવાદની રાજનિતી ચરમસીમા પર પહોંચશે અને કર્ણાટકમાં રમખાણોથી પિડીત રાજ્ય બનશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.