કર્ણાટક સરકારે લીધો મહત્વનો નિર્ણય, સલામ આરતીની જગ્યાએ નમસ્કાર આરતી કરાશે


  • Published By :
  • Published Date : 2022-12-11 17:10:00

કર્ણાટક સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે સલામ આરતી હવેથી આરતી નમસ્કાર આરતી તરીકે ઓળખવામાં આવશે. 18મી શતાબ્દીથી સંધ્યા સમયે થતી આરતીને સલામ આરતી કહેવાતી હતી. ટીપુ સુલતાનના સમયથી આરતીને આ નામથી ઓળખવામાં આવતી. પરંતુ રાજ્ય સરકારે આ નામ બદલી દીધું છે.


સલામ આરતીના બદલે મંદિરોમાં થશે નમસ્કાર આરતી 

મંદિરોમાં રાત્રીના સમયે આરતી કરવામાં આવે છે. આપણે ત્યાં સંધ્યા આરતી અથવા તો માત્ર આરતી કહેવાય છે. પરંતુ કર્ણાટકના અમુક મંદિરોમાં આ આરતીને સલામ આરતી તરીકે ઓળખવામાં આવે છે. આ નામને બદલા હિંદુ સંગઠોને રજૂઆત કરી હતી. હિંદુ મંદિરોની દેખરેખ રાખતી સ્ટેટ ઓથોરિટી મુજરઈએ શનિવારે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. જે અંતર્ગત દીવતિગે સલામનું નામ બદલી દીવતિગે નમસ્કાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે સલામ આરતીનું નામ નમસ્કાર આરતી દેવામાં આવ્યું છે અને સલામ મંગળ આરતીનું નામ બદલી મંગળ આરતી નમસ્કાર આરતી કરી દેવાયું છે.


કર્ણાટક સરકારે બેઠક કર્યા બાદ લીધો નિર્ણય

મેલકોટમાં એક ઐતિહાસિક ચાલુવનારાયણ મંદિર આવેલું છે જ્યાં રોજે સાંજે 7 વાગે સલામ આરતી એટલે કે મસાલ આરતી કરવામાં આવે છે. આ પરંપરા હૈદર અલી અને ટીપુ સુલતાન સમયથી ચાલી આવી છે. ત્યારે અંદાજીત 300 વર્ષ જૂની પરંપરાને ભાજપ સરકારે તોડી છે. કર્ણાટક સરકારના મંત્રી શશિકલા જોલેએ આ વાતની જાણકારી આપી હતી. કર્ણાટક સરકારે રાજ્ય ધાર્મિક પરિષદની મીટિંગ યોજાઈ હતી જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.