કર્ણાટક સરકારે લીધો મહત્વનો નિર્ણય, સલામ આરતીની જગ્યાએ નમસ્કાર આરતી કરાશે


  • Published By :
  • Published Date : 2022-12-11 17:10:00

કર્ણાટક સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે સલામ આરતી હવેથી આરતી નમસ્કાર આરતી તરીકે ઓળખવામાં આવશે. 18મી શતાબ્દીથી સંધ્યા સમયે થતી આરતીને સલામ આરતી કહેવાતી હતી. ટીપુ સુલતાનના સમયથી આરતીને આ નામથી ઓળખવામાં આવતી. પરંતુ રાજ્ય સરકારે આ નામ બદલી દીધું છે.


સલામ આરતીના બદલે મંદિરોમાં થશે નમસ્કાર આરતી 

મંદિરોમાં રાત્રીના સમયે આરતી કરવામાં આવે છે. આપણે ત્યાં સંધ્યા આરતી અથવા તો માત્ર આરતી કહેવાય છે. પરંતુ કર્ણાટકના અમુક મંદિરોમાં આ આરતીને સલામ આરતી તરીકે ઓળખવામાં આવે છે. આ નામને બદલા હિંદુ સંગઠોને રજૂઆત કરી હતી. હિંદુ મંદિરોની દેખરેખ રાખતી સ્ટેટ ઓથોરિટી મુજરઈએ શનિવારે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. જે અંતર્ગત દીવતિગે સલામનું નામ બદલી દીવતિગે નમસ્કાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે સલામ આરતીનું નામ નમસ્કાર આરતી દેવામાં આવ્યું છે અને સલામ મંગળ આરતીનું નામ બદલી મંગળ આરતી નમસ્કાર આરતી કરી દેવાયું છે.


કર્ણાટક સરકારે બેઠક કર્યા બાદ લીધો નિર્ણય

મેલકોટમાં એક ઐતિહાસિક ચાલુવનારાયણ મંદિર આવેલું છે જ્યાં રોજે સાંજે 7 વાગે સલામ આરતી એટલે કે મસાલ આરતી કરવામાં આવે છે. આ પરંપરા હૈદર અલી અને ટીપુ સુલતાન સમયથી ચાલી આવી છે. ત્યારે અંદાજીત 300 વર્ષ જૂની પરંપરાને ભાજપ સરકારે તોડી છે. કર્ણાટક સરકારના મંત્રી શશિકલા જોલેએ આ વાતની જાણકારી આપી હતી. કર્ણાટક સરકારે રાજ્ય ધાર્મિક પરિષદની મીટિંગ યોજાઈ હતી જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.