કર્ણાટક સરકારે લીધો મહત્વનો નિર્ણય, સલામ આરતીની જગ્યાએ નમસ્કાર આરતી કરાશે


  • Published By :
  • Published Date : 2022-12-11 17:10:00

કર્ણાટક સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે સલામ આરતી હવેથી આરતી નમસ્કાર આરતી તરીકે ઓળખવામાં આવશે. 18મી શતાબ્દીથી સંધ્યા સમયે થતી આરતીને સલામ આરતી કહેવાતી હતી. ટીપુ સુલતાનના સમયથી આરતીને આ નામથી ઓળખવામાં આવતી. પરંતુ રાજ્ય સરકારે આ નામ બદલી દીધું છે.


સલામ આરતીના બદલે મંદિરોમાં થશે નમસ્કાર આરતી 

મંદિરોમાં રાત્રીના સમયે આરતી કરવામાં આવે છે. આપણે ત્યાં સંધ્યા આરતી અથવા તો માત્ર આરતી કહેવાય છે. પરંતુ કર્ણાટકના અમુક મંદિરોમાં આ આરતીને સલામ આરતી તરીકે ઓળખવામાં આવે છે. આ નામને બદલા હિંદુ સંગઠોને રજૂઆત કરી હતી. હિંદુ મંદિરોની દેખરેખ રાખતી સ્ટેટ ઓથોરિટી મુજરઈએ શનિવારે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. જે અંતર્ગત દીવતિગે સલામનું નામ બદલી દીવતિગે નમસ્કાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે સલામ આરતીનું નામ નમસ્કાર આરતી દેવામાં આવ્યું છે અને સલામ મંગળ આરતીનું નામ બદલી મંગળ આરતી નમસ્કાર આરતી કરી દેવાયું છે.


કર્ણાટક સરકારે બેઠક કર્યા બાદ લીધો નિર્ણય

મેલકોટમાં એક ઐતિહાસિક ચાલુવનારાયણ મંદિર આવેલું છે જ્યાં રોજે સાંજે 7 વાગે સલામ આરતી એટલે કે મસાલ આરતી કરવામાં આવે છે. આ પરંપરા હૈદર અલી અને ટીપુ સુલતાન સમયથી ચાલી આવી છે. ત્યારે અંદાજીત 300 વર્ષ જૂની પરંપરાને ભાજપ સરકારે તોડી છે. કર્ણાટક સરકારના મંત્રી શશિકલા જોલેએ આ વાતની જાણકારી આપી હતી. કર્ણાટક સરકારે રાજ્ય ધાર્મિક પરિષદની મીટિંગ યોજાઈ હતી જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.