કર્ણાટક સરકારે લીધો મહત્વનો નિર્ણય, સલામ આરતીની જગ્યાએ નમસ્કાર આરતી કરાશે


  • Published By :
  • Published Date : 2022-12-11 17:10:00

કર્ણાટક સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે સલામ આરતી હવેથી આરતી નમસ્કાર આરતી તરીકે ઓળખવામાં આવશે. 18મી શતાબ્દીથી સંધ્યા સમયે થતી આરતીને સલામ આરતી કહેવાતી હતી. ટીપુ સુલતાનના સમયથી આરતીને આ નામથી ઓળખવામાં આવતી. પરંતુ રાજ્ય સરકારે આ નામ બદલી દીધું છે.


સલામ આરતીના બદલે મંદિરોમાં થશે નમસ્કાર આરતી 

મંદિરોમાં રાત્રીના સમયે આરતી કરવામાં આવે છે. આપણે ત્યાં સંધ્યા આરતી અથવા તો માત્ર આરતી કહેવાય છે. પરંતુ કર્ણાટકના અમુક મંદિરોમાં આ આરતીને સલામ આરતી તરીકે ઓળખવામાં આવે છે. આ નામને બદલા હિંદુ સંગઠોને રજૂઆત કરી હતી. હિંદુ મંદિરોની દેખરેખ રાખતી સ્ટેટ ઓથોરિટી મુજરઈએ શનિવારે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. જે અંતર્ગત દીવતિગે સલામનું નામ બદલી દીવતિગે નમસ્કાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે સલામ આરતીનું નામ નમસ્કાર આરતી દેવામાં આવ્યું છે અને સલામ મંગળ આરતીનું નામ બદલી મંગળ આરતી નમસ્કાર આરતી કરી દેવાયું છે.


કર્ણાટક સરકારે બેઠક કર્યા બાદ લીધો નિર્ણય

મેલકોટમાં એક ઐતિહાસિક ચાલુવનારાયણ મંદિર આવેલું છે જ્યાં રોજે સાંજે 7 વાગે સલામ આરતી એટલે કે મસાલ આરતી કરવામાં આવે છે. આ પરંપરા હૈદર અલી અને ટીપુ સુલતાન સમયથી ચાલી આવી છે. ત્યારે અંદાજીત 300 વર્ષ જૂની પરંપરાને ભાજપ સરકારે તોડી છે. કર્ણાટક સરકારના મંત્રી શશિકલા જોલેએ આ વાતની જાણકારી આપી હતી. કર્ણાટક સરકારે રાજ્ય ધાર્મિક પરિષદની મીટિંગ યોજાઈ હતી જે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.