કર્ણાટક અને મહારાષ્ટ્રનો સરહદ વિવાદ વધુ ઉગ્ર બન્યો, બંને રાજ્યોના CM સાથેની અમિત શાહની બેઠક નિષ્ફળ


  • Published By :
  • Published Date : 2022-12-15 19:15:05

દેશમાં આસામ અને મિઝોરમ વચ્ચેનો વિવાદ હજુ  સળગી જ રહ્યો છે ત્યાં બે ભાજપ શાસિત રાજ્યો કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનો વિવાદ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ પરિણામ આવી શક્યું નથી પરંતું બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ વિવાદ અંગેના તેમના દાવા પર સુપ્રીમ કોર્ટમાંથી કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી વિવાદાસ્પદ નિવેદનો નહીં આપવા પર સંમત થઈ ગયા હતા.


મહારાષ્ટ્ર સરકારે ફટકારી નોટિસ


અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટિંગ કરી તે પહેલા જ કર્ણાટકમાં વિલયના પ્રસ્તાવ પાસ કરનારી 11માંથી 10 ગ્રામ પંયાયતોને તેમનો પ્રસ્તાવ રદ્દ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોલાપુર જિલ્લાના અક્કલકોટની 11 ગ્રામ પંચાયતોને કારણ દર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાંએ પૂછવામાં આવ્યો છે કે તે જણાવો કે તેમણે કર્ણાટકમાં વિલયનો પ્રસ્તાવ શા માટે પાસ કર્યો હતો. જો કે 11માંથી 10 ગામોએ રાજ્ય સરકારને જણાવ્યું કે તેમણે પ્રસ્તાવ રદ્દ કર્યો છે અને તે મહારાષ્ટ્ર સાથે જ રહેવા માગે છે.  


કન્નડ રક્ષક વેદિકાએ કર્યું પ્રદર્શન


બંને રાજ્યો વચ્ચેનો વિવાદ એ હદે વકર્યો છે કે કેટલાક દિવસો પહેલા મહારાષ્ટ્રથી કર્ણાટક આવી રહેલી ટ્રકોને બેલગાવીમાં રોકી દેવામાં આવી અને તેના પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. કર્ણાટક રક્ષક વૈદિકે નામના સંગઠનના કાર્યકર્તાઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને રાજ્યોની સરહદ પર કન્નડ રક્ષક વેદિકાના કાર્યકરોએ મહારાષ્ટ્રથી આવતી ટ્રેનોને નુકસાન પહોંચાડ્યું હતું. બેંગ્લોર હાઈવે પરથી પસાર થતી ટ્રેનોને પણ નુકસાન કર્યું અને બીજા અનેક વાહનો પર પથ્થરમારો પણ કર્યો અને કાચ તોડી નાખ્યા હતા.


મહારાષ્ટ્ર સરકાર પર વિપક્ષોનું દબાણ


મહારાષ્ટ્ર સરકારનો જોરદાર વિરોધ છે તેમ છતા તેના વિસ્તારના ગામો કર્ણાટકમાં જોડાવા માંગે છે, જો કે આ મુદ્દે ઉધ્ધવ ઠાકરે ગ્રુપ ઉપરાંત કોંગ્રેસ અને એનસીપીએ પણ બિજેપી-એકનાથ શિંદે સરકાર વિરૂધ્ધ મોરયો ખોલ્યો છે. આ મુદ્દે 17 ડિસેમ્બરે મુંબઈમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન પણ આયોજીત કરવામાં આવ્યું છે.


કર્ણાટકના મુંખ્યમંત્રી દાવોને લઈ મક્કમ


મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભાજપનું શાસન છે પણ કર્ણાટકમાં આગામી થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી કર્ણાટકના મુંખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ નમતુ જોખવા તૈયાર નથી.  કેમ કે જો આ મુદ્દે કડક વલણ ન અપનાવે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન ભોગવવું પડે તેવી શક્યતા છે.


વિવાદ શા માટે?


મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો આ વિવાદ વર્ષ 1957થી શરૂ થયો છે. ભાષાના આધારે બે રાજ્યોની પુનઃરચના થઈ તે પહેલા આ બંને રાજ્યો બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતા. બેલાગવી સહિતના મરાઠી-ભાષી વિસ્તારોને કર્ણાટકમાં સમાવી લેવાથી મહારાષ્ટ્રના લોકો નારાજ હતા. મહારાષ્ટ્ર સરકારે 814 મરાઠી-ભાષી ગામો પર પણ દાવો કર્યો હતો જે હાલમાં કર્ણાટકનો ભાગ છે.


તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે પણ વિવાદ


મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ હજુ શમ્યો નથી અને તે દરમિયાન, તેલંગાણાને અડીને આવેલા રાજ્યના કેટલાક ગામોમાંથી માંગ ઉઠી છે કે તેમને અલગ કરવામાં આવે. તેવી માગ કરવામાં આવી છે. તેલંગાણાને અડીને આવેલા મહારાષ્ટ્રના 14 ગામોના લોકોએ માંગ ઉઠાવી છે કે તેમને તેલંગાણામાં ભેળવી દેવામાં આવે. જે ગામો વતી આ માંગ કરવામાં આવી છે તેમાં મહારાજગુડા, નેકે વાડા જેવા ગામોના નામ સામેલ છે. મહારાષ્ટ્ર કરતા તેલંગાણામાં સારી સુવિધાઓ મળતી હોવાથી આ 14 ગામોના લોકોએ  તેલંગાણા રાજ્ય સાથે જોડાવા માટે તલપાપડ બન્યા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .