આવા મંત્રી બધાને મળે:કર્ણાટકના મંત્રીએ કર્મચારીઓને આપી એવી દિવાળી ભેટ કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા


  • Published By :
  • Published Date : 2022-10-25 13:45:28

આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે.
કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે.
હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે.

 Karnataka Tourism Minister Anand Singh. (News18)

કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો.

q6

દિવાળીના તહેવાર પર લોકો એકબીજાને ગિફ્ટ આપે છે ત્યારે કર્ણાટક સરકાર (Karnataka Minister)ના એક મંત્રીએ મોંઘી દિવાળી ગિફ્ટ આપતા વિવાદ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે. કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે. હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે. રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ નગરપાલિકાના સભ્યો અને ગામ પંચાયતના સભ્યોમાં બે અલગ અલગ પ્રકારના ગિફ્ટ બોક્સની વહેંચણી કરી.


કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો. જ્યારે મંત્રીના એક સહયોગીએ જણાવ્યું કે તેઓ દરવર્ષે આ પ્રકારે ગિફ્ટ બોક્સ આપે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .