આવા મંત્રી બધાને મળે:કર્ણાટકના મંત્રીએ કર્મચારીઓને આપી એવી દિવાળી ભેટ કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા


  • Published By :
  • Published Date : 2022-10-25 13:45:28

આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે.
કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે.
હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે.

 Karnataka Tourism Minister Anand Singh. (News18)

કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો.

q6

દિવાળીના તહેવાર પર લોકો એકબીજાને ગિફ્ટ આપે છે ત્યારે કર્ણાટક સરકાર (Karnataka Minister)ના એક મંત્રીએ મોંઘી દિવાળી ગિફ્ટ આપતા વિવાદ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે. કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે. હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે. રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ નગરપાલિકાના સભ્યો અને ગામ પંચાયતના સભ્યોમાં બે અલગ અલગ પ્રકારના ગિફ્ટ બોક્સની વહેંચણી કરી.


કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો. જ્યારે મંત્રીના એક સહયોગીએ જણાવ્યું કે તેઓ દરવર્ષે આ પ્રકારે ગિફ્ટ બોક્સ આપે છે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.