આવા મંત્રી બધાને મળે:કર્ણાટકના મંત્રીએ કર્મચારીઓને આપી એવી દિવાળી ભેટ કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા


  • Published By :
  • Published Date : 2022-10-25 13:45:28

આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે.
કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે.
હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે.

 Karnataka Tourism Minister Anand Singh. (News18)

કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો.

q6

દિવાળીના તહેવાર પર લોકો એકબીજાને ગિફ્ટ આપે છે ત્યારે કર્ણાટક સરકાર (Karnataka Minister)ના એક મંત્રીએ મોંઘી દિવાળી ગિફ્ટ આપતા વિવાદ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે. કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે. હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે. રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ નગરપાલિકાના સભ્યો અને ગામ પંચાયતના સભ્યોમાં બે અલગ અલગ પ્રકારના ગિફ્ટ બોક્સની વહેંચણી કરી.


કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો. જ્યારે મંત્રીના એક સહયોગીએ જણાવ્યું કે તેઓ દરવર્ષે આ પ્રકારે ગિફ્ટ બોક્સ આપે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.