અભિનેતા કાર્તિક આર્યને ફિલ્મી સ્ટાઈલમાં 4.5 કરોડની લક્ઝરી કાર પાર્ક કરી, મુંબઈ પોલીસે ફટકાર્યો દંડ


  • Published By :
  • Published Date : 2023-02-20 21:43:04

ટ્રાફિકના નિયમો દરેક માટે સમાન છે, પછી તે સામાન્ય માણસ હોય કે ફિલ્મ સ્ટાર. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શહેજાદા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની તેલુગુ હિટ ફિલ્મ 'અલા વૈકુંઠપુર્મુલૂ'ની હિન્દી રિમેક છે. આ દરમિયાન કાર્તિક આર્યન સમય કાઢીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. કાર્તિક આર્યન તેની લક્ઝરી એસયુવી લેમ્બોર્ગિની ઉરુસમાં પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન તેણે એક નાની ભૂલ કરી અને દંડની રસીદ કાપવામાં આવી. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનને દંડની બે રસીદ 500 અને 750 રૂપિયાની રસીદ ફટકારી હતી. આ રસીદ વિશે ખુદ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. ખાસ વાત એ છે કે મુંબઈ પોલીસે આ વિશે ખૂબ જ રમુજી રીતે ટ્વિટ કર્યું છે.


કાર્તિક આર્યન સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો


કાર્તિક આર્યન તેની ફિલ્મની રિલીઝ પહેલા જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયો હતો. અહીં એક્ટર પોતાના ખોટા પાર્કિંગને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. પોલીસે અભિનેતાને મંદિર નજીક નો-પાર્કિંગ ઝોનમાં તેની લક્ઝરી કાર પાર્ક કરવા બદલ ચલણ ફટકાર્યું હતું. તેની કારની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનના લેમ્બોર્ગિની ઉરુસની તસવીર સાથે ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પરના કેપ્શનમાં લખ્યું હતું કે, "સમસ્યા? સમસ્યા એ હતી કે કાર રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવી હતી! આવું ન કરો. 'શહેજાદા' ટ્રાફિકના નિયમોનો ભંગ કરી શકે છે તે વિચારવાનું 'ભૂલશો' નહીં."



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી