અભિનેતા કાર્તિક આર્યને ફિલ્મી સ્ટાઈલમાં 4.5 કરોડની લક્ઝરી કાર પાર્ક કરી, મુંબઈ પોલીસે ફટકાર્યો દંડ


  • Published By :
  • Published Date : 2023-02-20 21:43:04

ટ્રાફિકના નિયમો દરેક માટે સમાન છે, પછી તે સામાન્ય માણસ હોય કે ફિલ્મ સ્ટાર. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શહેજાદા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની તેલુગુ હિટ ફિલ્મ 'અલા વૈકુંઠપુર્મુલૂ'ની હિન્દી રિમેક છે. આ દરમિયાન કાર્તિક આર્યન સમય કાઢીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. કાર્તિક આર્યન તેની લક્ઝરી એસયુવી લેમ્બોર્ગિની ઉરુસમાં પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન તેણે એક નાની ભૂલ કરી અને દંડની રસીદ કાપવામાં આવી. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનને દંડની બે રસીદ 500 અને 750 રૂપિયાની રસીદ ફટકારી હતી. આ રસીદ વિશે ખુદ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. ખાસ વાત એ છે કે મુંબઈ પોલીસે આ વિશે ખૂબ જ રમુજી રીતે ટ્વિટ કર્યું છે.


કાર્તિક આર્યન સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો


કાર્તિક આર્યન તેની ફિલ્મની રિલીઝ પહેલા જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયો હતો. અહીં એક્ટર પોતાના ખોટા પાર્કિંગને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. પોલીસે અભિનેતાને મંદિર નજીક નો-પાર્કિંગ ઝોનમાં તેની લક્ઝરી કાર પાર્ક કરવા બદલ ચલણ ફટકાર્યું હતું. તેની કારની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનના લેમ્બોર્ગિની ઉરુસની તસવીર સાથે ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પરના કેપ્શનમાં લખ્યું હતું કે, "સમસ્યા? સમસ્યા એ હતી કે કાર રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવી હતી! આવું ન કરો. 'શહેજાદા' ટ્રાફિકના નિયમોનો ભંગ કરી શકે છે તે વિચારવાનું 'ભૂલશો' નહીં."



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.