અભિનેતા કાર્તિક આર્યને ફિલ્મી સ્ટાઈલમાં 4.5 કરોડની લક્ઝરી કાર પાર્ક કરી, મુંબઈ પોલીસે ફટકાર્યો દંડ


  • Published By :
  • Published Date : 2023-02-20 21:43:04

ટ્રાફિકના નિયમો દરેક માટે સમાન છે, પછી તે સામાન્ય માણસ હોય કે ફિલ્મ સ્ટાર. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શહેજાદા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની તેલુગુ હિટ ફિલ્મ 'અલા વૈકુંઠપુર્મુલૂ'ની હિન્દી રિમેક છે. આ દરમિયાન કાર્તિક આર્યન સમય કાઢીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. કાર્તિક આર્યન તેની લક્ઝરી એસયુવી લેમ્બોર્ગિની ઉરુસમાં પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન તેણે એક નાની ભૂલ કરી અને દંડની રસીદ કાપવામાં આવી. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનને દંડની બે રસીદ 500 અને 750 રૂપિયાની રસીદ ફટકારી હતી. આ રસીદ વિશે ખુદ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. ખાસ વાત એ છે કે મુંબઈ પોલીસે આ વિશે ખૂબ જ રમુજી રીતે ટ્વિટ કર્યું છે.


કાર્તિક આર્યન સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો


કાર્તિક આર્યન તેની ફિલ્મની રિલીઝ પહેલા જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયો હતો. અહીં એક્ટર પોતાના ખોટા પાર્કિંગને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. પોલીસે અભિનેતાને મંદિર નજીક નો-પાર્કિંગ ઝોનમાં તેની લક્ઝરી કાર પાર્ક કરવા બદલ ચલણ ફટકાર્યું હતું. તેની કારની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનના લેમ્બોર્ગિની ઉરુસની તસવીર સાથે ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પરના કેપ્શનમાં લખ્યું હતું કે, "સમસ્યા? સમસ્યા એ હતી કે કાર રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવી હતી! આવું ન કરો. 'શહેજાદા' ટ્રાફિકના નિયમોનો ભંગ કરી શકે છે તે વિચારવાનું 'ભૂલશો' નહીં."



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .