અભિનેતા કાર્તિક આર્યને ફિલ્મી સ્ટાઈલમાં 4.5 કરોડની લક્ઝરી કાર પાર્ક કરી, મુંબઈ પોલીસે ફટકાર્યો દંડ


  • Published By :
  • Published Date : 2023-02-20 21:43:04

ટ્રાફિકના નિયમો દરેક માટે સમાન છે, પછી તે સામાન્ય માણસ હોય કે ફિલ્મ સ્ટાર. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શહેજાદા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની તેલુગુ હિટ ફિલ્મ 'અલા વૈકુંઠપુર્મુલૂ'ની હિન્દી રિમેક છે. આ દરમિયાન કાર્તિક આર્યન સમય કાઢીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. કાર્તિક આર્યન તેની લક્ઝરી એસયુવી લેમ્બોર્ગિની ઉરુસમાં પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન તેણે એક નાની ભૂલ કરી અને દંડની રસીદ કાપવામાં આવી. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનને દંડની બે રસીદ 500 અને 750 રૂપિયાની રસીદ ફટકારી હતી. આ રસીદ વિશે ખુદ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. ખાસ વાત એ છે કે મુંબઈ પોલીસે આ વિશે ખૂબ જ રમુજી રીતે ટ્વિટ કર્યું છે.


કાર્તિક આર્યન સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો


કાર્તિક આર્યન તેની ફિલ્મની રિલીઝ પહેલા જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયો હતો. અહીં એક્ટર પોતાના ખોટા પાર્કિંગને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. પોલીસે અભિનેતાને મંદિર નજીક નો-પાર્કિંગ ઝોનમાં તેની લક્ઝરી કાર પાર્ક કરવા બદલ ચલણ ફટકાર્યું હતું. તેની કારની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનના લેમ્બોર્ગિની ઉરુસની તસવીર સાથે ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પરના કેપ્શનમાં લખ્યું હતું કે, "સમસ્યા? સમસ્યા એ હતી કે કાર રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવી હતી! આવું ન કરો. 'શહેજાદા' ટ્રાફિકના નિયમોનો ભંગ કરી શકે છે તે વિચારવાનું 'ભૂલશો' નહીં."



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.