કેદારનાથ ધામ આવ્યું ચર્ચામાં! મંદિરના ગર્ભગૃહમાં લાગેલું સોનુ છે કે પિત્તળ? જાણો સમગ્ર મામલો અને આ મામલે ટ્રસ્ટે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 19:00:18

કેદારનાથ ધામનું નામ સાંભળીએ ત્યારે આપણી આંખમાં અલગ જ ચમક આવી જતી હોય છે. ચારધામની યાત્રાઓમાંનું આ મહત્વનું સ્થાન છે. ત્યારે કેદારનાથ ધામ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ કેદારનાથ મંદિરની બહાર સંતોષ ત્રિવેદીએ વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સાંભળીએ સૌથી પહેલા એ વીડિયો જેમાં સંતોષ ત્રિવેદી આરોપ લગાવી રહ્યાં છે. 


સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું!

હવે આ બાદ કેદારનાથ મંદિર ટ્વિટર પર ટ્રેન્ડ થઈ કરી રહ્યું છે, અને ચારેય તરફ ચર્ચાઓ થઈ રહી છે કે શું ખરેખર કેદારનાથના મંદિરના ગર્ભગૃહમાંથી સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું છે? હવે આની સામે બદ્રિ-કેદાર મંદિર સમિતિએ એક પ્રેસનોટ બહાર પાડી છે અને એમનું કહેવું છે કે આ વાત માત્ર લોકોને ભ્રમિત કરવા માટે અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કહેવામાં આવી રહી છે. 


મંદિર સમિતિએ આ વાતને પાયાવિહોણી ગણાવી!

બદ્રિ-કેદાર મંદિર સમિતિએ કહ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં કુલ 23,777.800 ગ્રામ સોનું લગાડવામાં આવ્યું છે. જેની વર્તમાન બજાર કિંમત લગભગ 14.38 કરોડ રુપિયા છે, અને આ ઉપરાંત સોનાના કામ માટે વપરાયેલી તાંબાની પ્લેટોનું કુલ વજન 1001.300 કિલોગ્રામ  છે, જેની કુલ કિમંત માત્ર 29 લાખ રુપિયા છે. તેથી જે આરોપો લાગ્યા છે કે મંદિરના ગર્ભગૃહમાંથી એક અરબ પંદર કરોડ એટલે કે સવા અરબ કરોડનું જે સોનું ગાયબ થઈ ગયું છે એ બધી વાતો પાયાવિહોણી છે. હવે આમા કોનું ગણિત સાચું અને અને કોનું ગણિત ખોટું એ તો સમય જ બતાવશે. 

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.