કેદારનાથ ધામ આવ્યું ચર્ચામાં! મંદિરના ગર્ભગૃહમાં લાગેલું સોનુ છે કે પિત્તળ? જાણો સમગ્ર મામલો અને આ મામલે ટ્રસ્ટે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 19:00:18

કેદારનાથ ધામનું નામ સાંભળીએ ત્યારે આપણી આંખમાં અલગ જ ચમક આવી જતી હોય છે. ચારધામની યાત્રાઓમાંનું આ મહત્વનું સ્થાન છે. ત્યારે કેદારનાથ ધામ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ કેદારનાથ મંદિરની બહાર સંતોષ ત્રિવેદીએ વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સાંભળીએ સૌથી પહેલા એ વીડિયો જેમાં સંતોષ ત્રિવેદી આરોપ લગાવી રહ્યાં છે. 


સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું!

હવે આ બાદ કેદારનાથ મંદિર ટ્વિટર પર ટ્રેન્ડ થઈ કરી રહ્યું છે, અને ચારેય તરફ ચર્ચાઓ થઈ રહી છે કે શું ખરેખર કેદારનાથના મંદિરના ગર્ભગૃહમાંથી સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું છે? હવે આની સામે બદ્રિ-કેદાર મંદિર સમિતિએ એક પ્રેસનોટ બહાર પાડી છે અને એમનું કહેવું છે કે આ વાત માત્ર લોકોને ભ્રમિત કરવા માટે અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કહેવામાં આવી રહી છે. 


મંદિર સમિતિએ આ વાતને પાયાવિહોણી ગણાવી!

બદ્રિ-કેદાર મંદિર સમિતિએ કહ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં કુલ 23,777.800 ગ્રામ સોનું લગાડવામાં આવ્યું છે. જેની વર્તમાન બજાર કિંમત લગભગ 14.38 કરોડ રુપિયા છે, અને આ ઉપરાંત સોનાના કામ માટે વપરાયેલી તાંબાની પ્લેટોનું કુલ વજન 1001.300 કિલોગ્રામ  છે, જેની કુલ કિમંત માત્ર 29 લાખ રુપિયા છે. તેથી જે આરોપો લાગ્યા છે કે મંદિરના ગર્ભગૃહમાંથી એક અરબ પંદર કરોડ એટલે કે સવા અરબ કરોડનું જે સોનું ગાયબ થઈ ગયું છે એ બધી વાતો પાયાવિહોણી છે. હવે આમા કોનું ગણિત સાચું અને અને કોનું ગણિત ખોટું એ તો સમય જ બતાવશે. 

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.