કેદારનાથ મંદિર ફરી આવ્યું ચર્ચામાં! કેદારનાથ ધામના ગર્ભગૃહમાં મહિલાએ ઉડાડી નોટો, મહિલા વિરૂદ્ધ થઈ FIR, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 18:05:23

સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરના ગર્ભગૃહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં આ મહિલા કેદારનાથજીના શિવલિંગ પર નોટ ઉડાડતી દેખાય છે. મહિલાના આવા વર્તનથી ભક્તોની લાગણી દુભાઈ છે.  જોવા જેવી તો વાત એ છે કે મંદિરના પૂજારી પણ હતા. જો કે શ્રદ્ધાળુઓની લાગણી પર ઘા થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી છે. 

શિવલીંગ પર કરી નોટોની વર્ષા!

અનેક શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન આ વીડિયો બહાર આવ્યો છે. પાછળ બેકગ્રાઉન્ડમાં ક્યા કભી અંબર સે સૂર્ય બીછડતા હૈવાળું ગીત વાગી રહ્યું છે. અને બીજી બાજુ મહિલા ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સામે રૂપિયાનો વરસાદ કરી રહી છે. લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ વખોળ્યો. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ફરિયાદ કરી તો રૂદ્રપ્રયાગ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવમાં આવ્યો છે. 


મહિલા વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે ઉઠી માગ!

બદ્રીનાથ કેદારધામ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેંદ્ર અજયે આ ઘટનાની ખૂબ નિંદા કરી હતી કારણ કે મહાદેવના શિવલિંગ સામે મહિલાએ રૂપિયા ઉડાવ્યા હતા. અજેંદ્ર અજયે પોલીસને કહ્યું હતું કે આ કૃત્ય સામે કાર્યવાહી થવી જોઈએ. તે સિવાય પહેલા પણ વિવાદ સામે આવ્યો હતો. કેદારનાથમાં ઘોડા અને ખચ્ચર સંચાલકોના લોકોએ યાત્રીઓ સાથે મારપીટ કરી હોય તેવો બનાવ સામે આવ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. શ્રદ્ધાળુ માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. જ્યાર બાદ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપીઓને પકડી લીધા હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.