કેદારનાથ મંદિર ફરી આવ્યું ચર્ચામાં! કેદારનાથ ધામના ગર્ભગૃહમાં મહિલાએ ઉડાડી નોટો, મહિલા વિરૂદ્ધ થઈ FIR, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 18:05:23

સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરના ગર્ભગૃહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં આ મહિલા કેદારનાથજીના શિવલિંગ પર નોટ ઉડાડતી દેખાય છે. મહિલાના આવા વર્તનથી ભક્તોની લાગણી દુભાઈ છે.  જોવા જેવી તો વાત એ છે કે મંદિરના પૂજારી પણ હતા. જો કે શ્રદ્ધાળુઓની લાગણી પર ઘા થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી છે. 

શિવલીંગ પર કરી નોટોની વર્ષા!

અનેક શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન આ વીડિયો બહાર આવ્યો છે. પાછળ બેકગ્રાઉન્ડમાં ક્યા કભી અંબર સે સૂર્ય બીછડતા હૈવાળું ગીત વાગી રહ્યું છે. અને બીજી બાજુ મહિલા ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સામે રૂપિયાનો વરસાદ કરી રહી છે. લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ વખોળ્યો. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ફરિયાદ કરી તો રૂદ્રપ્રયાગ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવમાં આવ્યો છે. 


મહિલા વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે ઉઠી માગ!

બદ્રીનાથ કેદારધામ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેંદ્ર અજયે આ ઘટનાની ખૂબ નિંદા કરી હતી કારણ કે મહાદેવના શિવલિંગ સામે મહિલાએ રૂપિયા ઉડાવ્યા હતા. અજેંદ્ર અજયે પોલીસને કહ્યું હતું કે આ કૃત્ય સામે કાર્યવાહી થવી જોઈએ. તે સિવાય પહેલા પણ વિવાદ સામે આવ્યો હતો. કેદારનાથમાં ઘોડા અને ખચ્ચર સંચાલકોના લોકોએ યાત્રીઓ સાથે મારપીટ કરી હોય તેવો બનાવ સામે આવ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. શ્રદ્ધાળુ માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. જ્યાર બાદ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપીઓને પકડી લીધા હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.