કેદારનાથ મંદિર ફરી આવ્યું ચર્ચામાં! કેદારનાથ ધામના ગર્ભગૃહમાં મહિલાએ ઉડાડી નોટો, મહિલા વિરૂદ્ધ થઈ FIR, વીડિયો વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-21 18:05:23

સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરના ગર્ભગૃહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં આ મહિલા કેદારનાથજીના શિવલિંગ પર નોટ ઉડાડતી દેખાય છે. મહિલાના આવા વર્તનથી ભક્તોની લાગણી દુભાઈ છે.  જોવા જેવી તો વાત એ છે કે મંદિરના પૂજારી પણ હતા. જો કે શ્રદ્ધાળુઓની લાગણી પર ઘા થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી છે. 

શિવલીંગ પર કરી નોટોની વર્ષા!

અનેક શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન આ વીડિયો બહાર આવ્યો છે. પાછળ બેકગ્રાઉન્ડમાં ક્યા કભી અંબર સે સૂર્ય બીછડતા હૈવાળું ગીત વાગી રહ્યું છે. અને બીજી બાજુ મહિલા ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સામે રૂપિયાનો વરસાદ કરી રહી છે. લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ વખોળ્યો. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ફરિયાદ કરી તો રૂદ્રપ્રયાગ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવમાં આવ્યો છે. 


મહિલા વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે ઉઠી માગ!

બદ્રીનાથ કેદારધામ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેંદ્ર અજયે આ ઘટનાની ખૂબ નિંદા કરી હતી કારણ કે મહાદેવના શિવલિંગ સામે મહિલાએ રૂપિયા ઉડાવ્યા હતા. અજેંદ્ર અજયે પોલીસને કહ્યું હતું કે આ કૃત્ય સામે કાર્યવાહી થવી જોઈએ. તે સિવાય પહેલા પણ વિવાદ સામે આવ્યો હતો. કેદારનાથમાં ઘોડા અને ખચ્ચર સંચાલકોના લોકોએ યાત્રીઓ સાથે મારપીટ કરી હોય તેવો બનાવ સામે આવ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. શ્રદ્ધાળુ માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. જ્યાર બાદ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપીઓને પકડી લીધા હતી.



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.