કેદારનાથ મંદિર ફરી આવ્યું ચર્ચામાં! કેદારનાથ ધામના ગર્ભગૃહમાં મહિલાએ ઉડાડી નોટો, મહિલા વિરૂદ્ધ થઈ FIR, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 18:05:23

સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરના ગર્ભગૃહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં આ મહિલા કેદારનાથજીના શિવલિંગ પર નોટ ઉડાડતી દેખાય છે. મહિલાના આવા વર્તનથી ભક્તોની લાગણી દુભાઈ છે.  જોવા જેવી તો વાત એ છે કે મંદિરના પૂજારી પણ હતા. જો કે શ્રદ્ધાળુઓની લાગણી પર ઘા થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી છે. 

શિવલીંગ પર કરી નોટોની વર્ષા!

અનેક શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન આ વીડિયો બહાર આવ્યો છે. પાછળ બેકગ્રાઉન્ડમાં ક્યા કભી અંબર સે સૂર્ય બીછડતા હૈવાળું ગીત વાગી રહ્યું છે. અને બીજી બાજુ મહિલા ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સામે રૂપિયાનો વરસાદ કરી રહી છે. લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ વખોળ્યો. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ફરિયાદ કરી તો રૂદ્રપ્રયાગ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવમાં આવ્યો છે. 


મહિલા વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે ઉઠી માગ!

બદ્રીનાથ કેદારધામ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેંદ્ર અજયે આ ઘટનાની ખૂબ નિંદા કરી હતી કારણ કે મહાદેવના શિવલિંગ સામે મહિલાએ રૂપિયા ઉડાવ્યા હતા. અજેંદ્ર અજયે પોલીસને કહ્યું હતું કે આ કૃત્ય સામે કાર્યવાહી થવી જોઈએ. તે સિવાય પહેલા પણ વિવાદ સામે આવ્યો હતો. કેદારનાથમાં ઘોડા અને ખચ્ચર સંચાલકોના લોકોએ યાત્રીઓ સાથે મારપીટ કરી હોય તેવો બનાવ સામે આવ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. શ્રદ્ધાળુ માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. જ્યાર બાદ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપીઓને પકડી લીધા હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.