કોંગ્રેસનો આરોપ, કેજરીવાલના હોમ રિનોવેશન પાછળ રૂ171 કરોડનો થયો ખર્ચ, LGએ મુખ્ય સચિવ પાસે માગ્યો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-09 19:51:40

દિલ્હી લિકર પોલીસી કેસમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હવે સીએમ આવાસ રિનોવેશન કેસમાં પણ વધી છે. કોંગ્રેસના નેતા અજય માકને દિલ્હીના એલજીને પત્ર લખીને આ મામલે તપાસ કરાવવાની માગ કરી છે. મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર કથિત 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. 


દિલ્હી એલજીએ માગ્યો રિપોર્ટ


કોંગ્રેસના નેતા અજય માકનના પત્ર બાદ હવે દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવ પાસે આ મામલે સંપુર્ણ રિપોર્ટ માંગ્યો છે. જેમાં સીએમ હાઉસના રિનોવેશન પાછળ થયેલા ખર્ચનો સવિસ્તાર વિવરણ રજુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. પોતાના પત્રમાં અજય માકને આરોપ લગાવ્યો છે કે રિનોવેશનમાં નિયમોનું સંપુર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રિનોવેશન પાછળ ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ રિનોવેશન પાછળ 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.  


આ રીતે ખર્ચાયા 171 કરોડ રૂપિયા 


દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અજય માકને પત્રમાં દાવો કર્યો છે કે સીએમ આવાસના નિર્માણ પાછળ 171 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં 22 અધિકારીઓના બંગલા શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે, ફ્લેગસ્ટાફ રોડ પરના સીએમ આવાસની બાજુમાં આવેલા 22માંથી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અથવા ખાલી કરાવવામાં આવ્યા હતા. આ મકાનો તેમને સમયસર ફાળવવામાં આવ્યા ન હતા. આ ખર્ચ ઉપરાંત CWG વિલેજમાં 5 નવા ફ્લેટ પણ ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત 126 કરોડ હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.