કોંગ્રેસનો આરોપ, કેજરીવાલના હોમ રિનોવેશન પાછળ રૂ171 કરોડનો થયો ખર્ચ, LGએ મુખ્ય સચિવ પાસે માગ્યો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-09 19:51:40

દિલ્હી લિકર પોલીસી કેસમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હવે સીએમ આવાસ રિનોવેશન કેસમાં પણ વધી છે. કોંગ્રેસના નેતા અજય માકને દિલ્હીના એલજીને પત્ર લખીને આ મામલે તપાસ કરાવવાની માગ કરી છે. મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર કથિત 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. 


દિલ્હી એલજીએ માગ્યો રિપોર્ટ


કોંગ્રેસના નેતા અજય માકનના પત્ર બાદ હવે દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવ પાસે આ મામલે સંપુર્ણ રિપોર્ટ માંગ્યો છે. જેમાં સીએમ હાઉસના રિનોવેશન પાછળ થયેલા ખર્ચનો સવિસ્તાર વિવરણ રજુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. પોતાના પત્રમાં અજય માકને આરોપ લગાવ્યો છે કે રિનોવેશનમાં નિયમોનું સંપુર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રિનોવેશન પાછળ ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ રિનોવેશન પાછળ 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.  


આ રીતે ખર્ચાયા 171 કરોડ રૂપિયા 


દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અજય માકને પત્રમાં દાવો કર્યો છે કે સીએમ આવાસના નિર્માણ પાછળ 171 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં 22 અધિકારીઓના બંગલા શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે, ફ્લેગસ્ટાફ રોડ પરના સીએમ આવાસની બાજુમાં આવેલા 22માંથી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અથવા ખાલી કરાવવામાં આવ્યા હતા. આ મકાનો તેમને સમયસર ફાળવવામાં આવ્યા ન હતા. આ ખર્ચ ઉપરાંત CWG વિલેજમાં 5 નવા ફ્લેટ પણ ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત 126 કરોડ હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.