કોંગ્રેસનો આરોપ, કેજરીવાલના હોમ રિનોવેશન પાછળ રૂ171 કરોડનો થયો ખર્ચ, LGએ મુખ્ય સચિવ પાસે માગ્યો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-09 19:51:40

દિલ્હી લિકર પોલીસી કેસમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હવે સીએમ આવાસ રિનોવેશન કેસમાં પણ વધી છે. કોંગ્રેસના નેતા અજય માકને દિલ્હીના એલજીને પત્ર લખીને આ મામલે તપાસ કરાવવાની માગ કરી છે. મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર કથિત 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. 


દિલ્હી એલજીએ માગ્યો રિપોર્ટ


કોંગ્રેસના નેતા અજય માકનના પત્ર બાદ હવે દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવ પાસે આ મામલે સંપુર્ણ રિપોર્ટ માંગ્યો છે. જેમાં સીએમ હાઉસના રિનોવેશન પાછળ થયેલા ખર્ચનો સવિસ્તાર વિવરણ રજુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. પોતાના પત્રમાં અજય માકને આરોપ લગાવ્યો છે કે રિનોવેશનમાં નિયમોનું સંપુર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રિનોવેશન પાછળ ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ રિનોવેશન પાછળ 45 કરોડ નહીં પણ 171 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.  


આ રીતે ખર્ચાયા 171 કરોડ રૂપિયા 


દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અજય માકને પત્રમાં દાવો કર્યો છે કે સીએમ આવાસના નિર્માણ પાછળ 171 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં 22 અધિકારીઓના બંગલા શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે, ફ્લેગસ્ટાફ રોડ પરના સીએમ આવાસની બાજુમાં આવેલા 22માંથી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અથવા ખાલી કરાવવામાં આવ્યા હતા. આ મકાનો તેમને સમયસર ફાળવવામાં આવ્યા ન હતા. આ ખર્ચ ઉપરાંત CWG વિલેજમાં 5 નવા ફ્લેટ પણ ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત 126 કરોડ હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.