'ધ કેરળ સ્ટોરી' નફરત ફેલાવનારી, RSSની પ્રોપેગેન્ડા ફિલ્મ: CM પિનરાઈ વિજયન


  • Published By :
  • Published Date : 2023-04-30 19:08:40

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. કેરળ સરકાર દ્વારા આ ફિલ્મની ટીકા કરવામાં આવી રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને કેરળ સરકારના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણીના રાજકારણમાં ફાયદો મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે.


કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય 


કેરળના CM પિનરાઈ વિજયને કહ્યું કે હિન્દી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'નું ટ્રેલર ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ બિનસાંપ્રદાયિકતાની ભૂમિ કેરળમાં ખુદને ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સંઘ પરિવારના પ્રચારને ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


લવ જેહાદના આરોપ પાયાવિહાણા 


CM પિનરાઈ વિજયને આરોપ લગાવ્યો કે ફિલ્મને ભારતીય જનતા પાર્ટીની વૈચારિક સમર્થક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે. તેમણે વધુમાં કહ્યું કે કેરળમાં ચૂંટણીની રાજનીતિમાં માઈલેજ મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં પ્રચારની ફિલ્મો અને તેમના મુસ્લિમ અલગાવને જોઈ શકાય છે. આ ફિલ્મ લવ જેહાદના આરોપ લગાવવા માટેના વ્યવસ્થિત પગલાનો એક ભાગ છે, જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રદિયો આપ્યો હતો. જી. કિશન રેડ્ડીએ, તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી, જેઓ હજુ પણ કેબિનેટ મંત્રી છે, તેમણે સંસદમાં જવાબ આપ્યો કે લવ જેહાદ જેવી કોઈ વસ્તુ નથી.


ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિનો પ્રયાસ


CMએ કહ્યું કે સંઘ પરિવારની રાજનીતિ અન્ય રાજ્યોની જેમ કેરળમાં કામ કરતી નથી, તેથી તેઓ નકલી વાર્તાઓ અને ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંઘ પરિવાર કોઈ પણ તથ્ય અને પુરાવા વગર આવી ખોટી વાતો ફેલાવી રહ્યો છે. કેરળમાં 32,000 મહિલાઓએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ, આ મોટું જૂઠ આપણે ફિલ્મના ટ્રેલરમાં જોયું. આ ફેક સ્ટોરી સંઘ પરિવારની જુઠ્ઠાણાની ફેક્ટરીનું ઉત્પાદન છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.