'ધ કેરળ સ્ટોરી' નફરત ફેલાવનારી, RSSની પ્રોપેગેન્ડા ફિલ્મ: CM પિનરાઈ વિજયન


  • Published By :
  • Published Date : 2023-04-30 19:08:40

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. કેરળ સરકાર દ્વારા આ ફિલ્મની ટીકા કરવામાં આવી રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને કેરળ સરકારના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણીના રાજકારણમાં ફાયદો મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે.


કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય 


કેરળના CM પિનરાઈ વિજયને કહ્યું કે હિન્દી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'નું ટ્રેલર ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ બિનસાંપ્રદાયિકતાની ભૂમિ કેરળમાં ખુદને ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સંઘ પરિવારના પ્રચારને ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


લવ જેહાદના આરોપ પાયાવિહાણા 


CM પિનરાઈ વિજયને આરોપ લગાવ્યો કે ફિલ્મને ભારતીય જનતા પાર્ટીની વૈચારિક સમર્થક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે. તેમણે વધુમાં કહ્યું કે કેરળમાં ચૂંટણીની રાજનીતિમાં માઈલેજ મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં પ્રચારની ફિલ્મો અને તેમના મુસ્લિમ અલગાવને જોઈ શકાય છે. આ ફિલ્મ લવ જેહાદના આરોપ લગાવવા માટેના વ્યવસ્થિત પગલાનો એક ભાગ છે, જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રદિયો આપ્યો હતો. જી. કિશન રેડ્ડીએ, તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી, જેઓ હજુ પણ કેબિનેટ મંત્રી છે, તેમણે સંસદમાં જવાબ આપ્યો કે લવ જેહાદ જેવી કોઈ વસ્તુ નથી.


ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિનો પ્રયાસ


CMએ કહ્યું કે સંઘ પરિવારની રાજનીતિ અન્ય રાજ્યોની જેમ કેરળમાં કામ કરતી નથી, તેથી તેઓ નકલી વાર્તાઓ અને ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંઘ પરિવાર કોઈ પણ તથ્ય અને પુરાવા વગર આવી ખોટી વાતો ફેલાવી રહ્યો છે. કેરળમાં 32,000 મહિલાઓએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ, આ મોટું જૂઠ આપણે ફિલ્મના ટ્રેલરમાં જોયું. આ ફેક સ્ટોરી સંઘ પરિવારની જુઠ્ઠાણાની ફેક્ટરીનું ઉત્પાદન છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.