'ધ કેરળ સ્ટોરી' નફરત ફેલાવનારી, RSSની પ્રોપેગેન્ડા ફિલ્મ: CM પિનરાઈ વિજયન


  • Published By :
  • Published Date : 2023-04-30 19:08:40

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. કેરળ સરકાર દ્વારા આ ફિલ્મની ટીકા કરવામાં આવી રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને કેરળ સરકારના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણીના રાજકારણમાં ફાયદો મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે.


કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય 


કેરળના CM પિનરાઈ વિજયને કહ્યું કે હિન્દી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'નું ટ્રેલર ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ બિનસાંપ્રદાયિકતાની ભૂમિ કેરળમાં ખુદને ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સંઘ પરિવારના પ્રચારને ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


લવ જેહાદના આરોપ પાયાવિહાણા 


CM પિનરાઈ વિજયને આરોપ લગાવ્યો કે ફિલ્મને ભારતીય જનતા પાર્ટીની વૈચારિક સમર્થક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે. તેમણે વધુમાં કહ્યું કે કેરળમાં ચૂંટણીની રાજનીતિમાં માઈલેજ મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં પ્રચારની ફિલ્મો અને તેમના મુસ્લિમ અલગાવને જોઈ શકાય છે. આ ફિલ્મ લવ જેહાદના આરોપ લગાવવા માટેના વ્યવસ્થિત પગલાનો એક ભાગ છે, જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રદિયો આપ્યો હતો. જી. કિશન રેડ્ડીએ, તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી, જેઓ હજુ પણ કેબિનેટ મંત્રી છે, તેમણે સંસદમાં જવાબ આપ્યો કે લવ જેહાદ જેવી કોઈ વસ્તુ નથી.


ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિનો પ્રયાસ


CMએ કહ્યું કે સંઘ પરિવારની રાજનીતિ અન્ય રાજ્યોની જેમ કેરળમાં કામ કરતી નથી, તેથી તેઓ નકલી વાર્તાઓ અને ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંઘ પરિવાર કોઈ પણ તથ્ય અને પુરાવા વગર આવી ખોટી વાતો ફેલાવી રહ્યો છે. કેરળમાં 32,000 મહિલાઓએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ, આ મોટું જૂઠ આપણે ફિલ્મના ટ્રેલરમાં જોયું. આ ફેક સ્ટોરી સંઘ પરિવારની જુઠ્ઠાણાની ફેક્ટરીનું ઉત્પાદન છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.