કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્ફોટક નિવેદન, ભારતમાં જન્મેલી દરેક વ્યક્તી હિંદુ


  • Published By :
  • Published Date : 2023-01-29 17:07:17

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ નથી, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મ્યો છે, દેશમાં જ રહે છે અને જીવે છે, તેને હિંદુ કહેવા જોઈએ. આરીફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિંદુ પણ કહેવો જોઈએ. અંગ્રેજોએ લોકોને ધર્મના આધારે વિભાજિત કર્યા હતા. તેમણે કેરળના તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમમાં આ નિવેદન કર્યું હતું. 


ભારતમાં જન્મેલો દરેક માણસ હિંદુ 


કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉત્તર અમેરિકામાં સ્થાયી થયેલા મલયાલી હિન્દુઓ દ્વારા આયોજિત 'હિંદુ સંમેલન'નું ઉદ્ઘાટન કરવા 28 જાન્યુઆરીએ તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે સર સૈયદ અહેમદ ખાને એકવાર કહ્યું હતું કે મને નથી લાગતું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ છે, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મે છે તે ભારતમાં જન્મેલ અનાજ ખાય છે.. અહીંની નદીઓનું પાણી પીવે છે, તે હિંદુ કહેવડાવવાનો હકદાર છે.


અંગ્રેજોએ ભાગલા પડાવ્યા


આરિફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિન્દુ માનવો જોઈએ... અંગ્રેજોના સમયમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. કારણ કે તેઓ ધર્મના આધારે લોકોને વહેંચતા હતા. આરિફ મોહમ્મદે બીબીસી ડોક્યુમેન્ટરીને પણ એક ષડયંત્ર ગણાવ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.