કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્ફોટક નિવેદન, ભારતમાં જન્મેલી દરેક વ્યક્તી હિંદુ


  • Published By :
  • Published Date : 2023-01-29 17:07:17

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ નથી, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મ્યો છે, દેશમાં જ રહે છે અને જીવે છે, તેને હિંદુ કહેવા જોઈએ. આરીફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિંદુ પણ કહેવો જોઈએ. અંગ્રેજોએ લોકોને ધર્મના આધારે વિભાજિત કર્યા હતા. તેમણે કેરળના તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમમાં આ નિવેદન કર્યું હતું. 


ભારતમાં જન્મેલો દરેક માણસ હિંદુ 


કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉત્તર અમેરિકામાં સ્થાયી થયેલા મલયાલી હિન્દુઓ દ્વારા આયોજિત 'હિંદુ સંમેલન'નું ઉદ્ઘાટન કરવા 28 જાન્યુઆરીએ તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે સર સૈયદ અહેમદ ખાને એકવાર કહ્યું હતું કે મને નથી લાગતું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ છે, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મે છે તે ભારતમાં જન્મેલ અનાજ ખાય છે.. અહીંની નદીઓનું પાણી પીવે છે, તે હિંદુ કહેવડાવવાનો હકદાર છે.


અંગ્રેજોએ ભાગલા પડાવ્યા


આરિફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિન્દુ માનવો જોઈએ... અંગ્રેજોના સમયમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. કારણ કે તેઓ ધર્મના આધારે લોકોને વહેંચતા હતા. આરિફ મોહમ્મદે બીબીસી ડોક્યુમેન્ટરીને પણ એક ષડયંત્ર ગણાવ્યું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.