KFCથી ઓર્ડર કરનારા સાવધાન! ચિકનમાંથી સેફ્ટી પિન નીકળી, ગ્રાહકે કંપનીને ફટકારી કાનૂની નોટિસ


  • Published By :
  • Published Date : 2023-07-07 17:33:31

દેશની બ્રાન્ડેડ અને ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં ભોજન લેવાના કે ઓનલાઈન ઓર્ડર કરવાના શોખિન હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. રાજધાની દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ કોલોનીમાં રહેતી એક મહિલાએ KFCમાંથી ચિકન પોપકોર્ન ઓર્ડર કર્યું હતું. જો કે આ મહિલાને મળેલા ચિકન પોપકોર્નમાં સેફ્ટી પિન મળી આવતા હોબાળો મચી ગયો છે. આ મહિલાના પતિ અભય ભાટીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને KFCને પણ લિગલ નોટિસ ફટકારી છે. 


KFCના ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળી


આ મામલે લીગલ નોટિસ મોકલનાર એડવોકેટ આનંદ કટિયારે જણાવ્યું કે 26 મે, 2023ના રોજ સ્વિગી એપ દ્વારા KFC રેસ્ટોરન્ટના 7, 8, 9, 10 નંબર, ગ્રાન્ડલી સિનેમા કોમ્પ્લેક્સ કોમ્યુનિટી સેન્ટર ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં ચિકન પહોંચાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ મહિલા દ્વારા ચિકન પોપકોર્ન મંગાવવામાં આવ્યું હતું. ઓર્ડર મળ્યા બાદ તે ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળવાની ફરિયાદ આવી છે, ત્યારબાદ મહિલાના પતિ અભય ભાટી વતી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.


3 સરનામા પર નોટિસ મોકલવામાં આવી 


એડવોકેટ આનંદ કટિયારે કહ્યું કે KFCના ત્રણ સરનામાં પર નોટિસ મોકલવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે અને કંપનીની આવી બેદરકારી કોઈ પણ સંજોગોમાં સહન ન કરવી જોઈએ. ખાસ કરીને જો આ કંપનીઓ માલના નામે વ્યાજબી રકમ વસૂલે છે તો તેના આધારે સ્વચ્છતાની સાથે ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને આને ધ્યાનમાં રાખીને, 3 જુલાઈ 2023 ના રોજ તેમની વિરુદ્ધ નોટિસ મોકલવામાં આવી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.