KFCથી ઓર્ડર કરનારા સાવધાન! ચિકનમાંથી સેફ્ટી પિન નીકળી, ગ્રાહકે કંપનીને ફટકારી કાનૂની નોટિસ


  • Published By :
  • Published Date : 2023-07-07 17:33:31

દેશની બ્રાન્ડેડ અને ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં ભોજન લેવાના કે ઓનલાઈન ઓર્ડર કરવાના શોખિન હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. રાજધાની દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ કોલોનીમાં રહેતી એક મહિલાએ KFCમાંથી ચિકન પોપકોર્ન ઓર્ડર કર્યું હતું. જો કે આ મહિલાને મળેલા ચિકન પોપકોર્નમાં સેફ્ટી પિન મળી આવતા હોબાળો મચી ગયો છે. આ મહિલાના પતિ અભય ભાટીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને KFCને પણ લિગલ નોટિસ ફટકારી છે. 


KFCના ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળી


આ મામલે લીગલ નોટિસ મોકલનાર એડવોકેટ આનંદ કટિયારે જણાવ્યું કે 26 મે, 2023ના રોજ સ્વિગી એપ દ્વારા KFC રેસ્ટોરન્ટના 7, 8, 9, 10 નંબર, ગ્રાન્ડલી સિનેમા કોમ્પ્લેક્સ કોમ્યુનિટી સેન્ટર ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં ચિકન પહોંચાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ મહિલા દ્વારા ચિકન પોપકોર્ન મંગાવવામાં આવ્યું હતું. ઓર્ડર મળ્યા બાદ તે ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળવાની ફરિયાદ આવી છે, ત્યારબાદ મહિલાના પતિ અભય ભાટી વતી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.


3 સરનામા પર નોટિસ મોકલવામાં આવી 


એડવોકેટ આનંદ કટિયારે કહ્યું કે KFCના ત્રણ સરનામાં પર નોટિસ મોકલવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે અને કંપનીની આવી બેદરકારી કોઈ પણ સંજોગોમાં સહન ન કરવી જોઈએ. ખાસ કરીને જો આ કંપનીઓ માલના નામે વ્યાજબી રકમ વસૂલે છે તો તેના આધારે સ્વચ્છતાની સાથે ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને આને ધ્યાનમાં રાખીને, 3 જુલાઈ 2023 ના રોજ તેમની વિરુદ્ધ નોટિસ મોકલવામાં આવી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.