KFCથી ઓર્ડર કરનારા સાવધાન! ચિકનમાંથી સેફ્ટી પિન નીકળી, ગ્રાહકે કંપનીને ફટકારી કાનૂની નોટિસ


  • Published By :
  • Published Date : 2023-07-07 17:33:31

દેશની બ્રાન્ડેડ અને ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં ભોજન લેવાના કે ઓનલાઈન ઓર્ડર કરવાના શોખિન હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. રાજધાની દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ કોલોનીમાં રહેતી એક મહિલાએ KFCમાંથી ચિકન પોપકોર્ન ઓર્ડર કર્યું હતું. જો કે આ મહિલાને મળેલા ચિકન પોપકોર્નમાં સેફ્ટી પિન મળી આવતા હોબાળો મચી ગયો છે. આ મહિલાના પતિ અભય ભાટીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને KFCને પણ લિગલ નોટિસ ફટકારી છે. 


KFCના ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળી


આ મામલે લીગલ નોટિસ મોકલનાર એડવોકેટ આનંદ કટિયારે જણાવ્યું કે 26 મે, 2023ના રોજ સ્વિગી એપ દ્વારા KFC રેસ્ટોરન્ટના 7, 8, 9, 10 નંબર, ગ્રાન્ડલી સિનેમા કોમ્પ્લેક્સ કોમ્યુનિટી સેન્ટર ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં ચિકન પહોંચાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ મહિલા દ્વારા ચિકન પોપકોર્ન મંગાવવામાં આવ્યું હતું. ઓર્ડર મળ્યા બાદ તે ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળવાની ફરિયાદ આવી છે, ત્યારબાદ મહિલાના પતિ અભય ભાટી વતી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.


3 સરનામા પર નોટિસ મોકલવામાં આવી 


એડવોકેટ આનંદ કટિયારે કહ્યું કે KFCના ત્રણ સરનામાં પર નોટિસ મોકલવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે અને કંપનીની આવી બેદરકારી કોઈ પણ સંજોગોમાં સહન ન કરવી જોઈએ. ખાસ કરીને જો આ કંપનીઓ માલના નામે વ્યાજબી રકમ વસૂલે છે તો તેના આધારે સ્વચ્છતાની સાથે ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને આને ધ્યાનમાં રાખીને, 3 જુલાઈ 2023 ના રોજ તેમની વિરુદ્ધ નોટિસ મોકલવામાં આવી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.