કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો બેફામ, ભારતીય દૂતાવાસની બહાર ધરણા, તિરંગાનું કર્યું અપમાન


  • Published By :
  • Published Date : 2023-12-17 16:47:33

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો અને તેમની ભારત વિરોધી પ્રવૃત્તિઓને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા છે અને ભારત વિરુદ્ધ પ્રદર્શન શરુ કર્યું છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર આ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ ફરી એકવાર તિરંગાનું અપમાન કર્યું હતું. રસ્તા પર તિરંગો પાથર્યો, તેના પર ચંપલ મૂક્યા અને સળગાવ્યો હતો. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને 108 દિવસ થઈ ગયા છે અને ખાલિસ્તાની સમર્થકો સતત ભારતીય રાજદ્વારી સંજય કુમાર વર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો માઈક અને ખાલિસ્તાનના ઝંડા લઈને પહોંચ્યા હતા.  

 


હનુમાનજીની પ્રતિમાનો વિરોધ


કેનેડામાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવશે તેની સામે પણ ખાલિસ્તાની સમર્થકોએ સવાલો ઉભા કર્યા છે. કેનેડામાં સ્થાપના કરવામાં આવનાર હનુમાનજીની પ્રતિમા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોનો આરોપ છે કે ભારતીય હિન્દુઓ કેનેડા પ્રત્યે વફાદાર નથી. આવી સ્થિતિમાં, શું તેમના દેવતા હનુમાનજીની પ્રતિમાને કેનેડામાં સ્થાપિત કરવાની મંજૂરી આપવી જોઈએ? ઉલ્લેખનીય છે કે કેનેડાના બ્રેમ્પટનમાં હનુમાનજીની 55 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ કેનેડાની સૌથી ઊંચી પ્રતિમા છે. જેને રાજસ્થાનના શિલ્પકાર નરેશ કુમાવતે તૈયાર કરી છે. તે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિ પર કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં અભિષેક પછી સત્તાવાર રીતે સ્થાપના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આશ્ચર્યની વાત તો એ છે કે, આ હિંસક પ્રદર્શન દરમિયાન, કેનેડિયન પોલીસે પણ દરમિયાનગીરી કરી ન હતી અથવા તેમને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.