કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો બેફામ, ભારતીય દૂતાવાસની બહાર ધરણા, તિરંગાનું કર્યું અપમાન


  • Published By :
  • Published Date : 2023-12-17 16:47:33

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો અને તેમની ભારત વિરોધી પ્રવૃત્તિઓને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા છે અને ભારત વિરુદ્ધ પ્રદર્શન શરુ કર્યું છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર આ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ ફરી એકવાર તિરંગાનું અપમાન કર્યું હતું. રસ્તા પર તિરંગો પાથર્યો, તેના પર ચંપલ મૂક્યા અને સળગાવ્યો હતો. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને 108 દિવસ થઈ ગયા છે અને ખાલિસ્તાની સમર્થકો સતત ભારતીય રાજદ્વારી સંજય કુમાર વર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો માઈક અને ખાલિસ્તાનના ઝંડા લઈને પહોંચ્યા હતા.  

 


હનુમાનજીની પ્રતિમાનો વિરોધ


કેનેડામાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવશે તેની સામે પણ ખાલિસ્તાની સમર્થકોએ સવાલો ઉભા કર્યા છે. કેનેડામાં સ્થાપના કરવામાં આવનાર હનુમાનજીની પ્રતિમા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોનો આરોપ છે કે ભારતીય હિન્દુઓ કેનેડા પ્રત્યે વફાદાર નથી. આવી સ્થિતિમાં, શું તેમના દેવતા હનુમાનજીની પ્રતિમાને કેનેડામાં સ્થાપિત કરવાની મંજૂરી આપવી જોઈએ? ઉલ્લેખનીય છે કે કેનેડાના બ્રેમ્પટનમાં હનુમાનજીની 55 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ કેનેડાની સૌથી ઊંચી પ્રતિમા છે. જેને રાજસ્થાનના શિલ્પકાર નરેશ કુમાવતે તૈયાર કરી છે. તે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિ પર કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં અભિષેક પછી સત્તાવાર રીતે સ્થાપના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આશ્ચર્યની વાત તો એ છે કે, આ હિંસક પ્રદર્શન દરમિયાન, કેનેડિયન પોલીસે પણ દરમિયાનગીરી કરી ન હતી અથવા તેમને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.