સાન ફ્રાંન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દુતાવાસ પર હુમલો, અમેરિકાએ ઘટનાને વખોડી, FBI કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-04 20:46:56

ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે (2 જુલાઈ)ના રોજ મોડી રાત્રે અમેરિકામાં ભારતીય દુતાવાસને આગના હવાલે કરી દીધા બાદ અમેરિકાએ પણ કડક વલણ અપનાવ્યું છે. આ હરકત શિખ ફોર જસ્ટીસના આતંકી ગુરૂપરવંત સિંહ પન્નના 8 જુલાઈથી વિદેશમાં બનેલા ભારતીય દુતાવાસોને ઘેરવાની જાહેરાતના આગળના દિવસે જ આ હરકત કરવામાં આવી છે. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) આ ઘટનાની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ શનિવાર રાત્રે 1.30થી 2.30 વાગ્યા દરમિયાન ભારતીય વાણિજ્ય દુતાવાસમાં આગ લગાવી દીધી હતી. જો  કે સાન ફ્રાન્સિસ્કોના ફાયર વિભાગે તે આગ પર તરત જ કાબુ મેળવી દીધો હતો. 


ખાલિસ્તાનીઓએ વિડીયો જારી કર્યો


મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતના વાણિજ્ય દુતાવાસને બહું નુકસાન થયું નથી અને કોઈ કર્મચારી પણ ઘાયલ થયો નથી. કથિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાના સંદર્ભમાં એક વિડીયો જારી કર્યો છે, જો કે આ વીડિયો સાચો હોવાની પુષ્ટી કરવામાં આવી નથી.


અમેરિકાએ ઘટનાની નિંદા કરી 


અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે આ મામલે ટ્વીટ કર્યુ હતું. તેમણે કહ્યું  કે " અમેરિકા શનિવારે સાન ફ્રાંન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દુતાવાસ સામે કથિત બર્બરતા અને આગજનીના પ્રયાસોની કટુ નિંદા કરે છે" અમેરિકામાં રાજનૈતિક સુવિધાઓ કે વિદેશી રાજદુતો સામે બર્બરતા કે હિંસા એક મોટો અપરાધ છે."



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.