સાન ફ્રાંન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દુતાવાસ પર હુમલો, અમેરિકાએ ઘટનાને વખોડી, FBI કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-04 20:46:56

ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે (2 જુલાઈ)ના રોજ મોડી રાત્રે અમેરિકામાં ભારતીય દુતાવાસને આગના હવાલે કરી દીધા બાદ અમેરિકાએ પણ કડક વલણ અપનાવ્યું છે. આ હરકત શિખ ફોર જસ્ટીસના આતંકી ગુરૂપરવંત સિંહ પન્નના 8 જુલાઈથી વિદેશમાં બનેલા ભારતીય દુતાવાસોને ઘેરવાની જાહેરાતના આગળના દિવસે જ આ હરકત કરવામાં આવી છે. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) આ ઘટનાની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ શનિવાર રાત્રે 1.30થી 2.30 વાગ્યા દરમિયાન ભારતીય વાણિજ્ય દુતાવાસમાં આગ લગાવી દીધી હતી. જો  કે સાન ફ્રાન્સિસ્કોના ફાયર વિભાગે તે આગ પર તરત જ કાબુ મેળવી દીધો હતો. 


ખાલિસ્તાનીઓએ વિડીયો જારી કર્યો


મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતના વાણિજ્ય દુતાવાસને બહું નુકસાન થયું નથી અને કોઈ કર્મચારી પણ ઘાયલ થયો નથી. કથિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાના સંદર્ભમાં એક વિડીયો જારી કર્યો છે, જો કે આ વીડિયો સાચો હોવાની પુષ્ટી કરવામાં આવી નથી.


અમેરિકાએ ઘટનાની નિંદા કરી 


અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે આ મામલે ટ્વીટ કર્યુ હતું. તેમણે કહ્યું  કે " અમેરિકા શનિવારે સાન ફ્રાંન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દુતાવાસ સામે કથિત બર્બરતા અને આગજનીના પ્રયાસોની કટુ નિંદા કરે છે" અમેરિકામાં રાજનૈતિક સુવિધાઓ કે વિદેશી રાજદુતો સામે બર્બરતા કે હિંસા એક મોટો અપરાધ છે."



ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.