સાન ફ્રાંન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દુતાવાસ પર હુમલો, અમેરિકાએ ઘટનાને વખોડી, FBI કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-04 20:46:56

ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે (2 જુલાઈ)ના રોજ મોડી રાત્રે અમેરિકામાં ભારતીય દુતાવાસને આગના હવાલે કરી દીધા બાદ અમેરિકાએ પણ કડક વલણ અપનાવ્યું છે. આ હરકત શિખ ફોર જસ્ટીસના આતંકી ગુરૂપરવંત સિંહ પન્નના 8 જુલાઈથી વિદેશમાં બનેલા ભારતીય દુતાવાસોને ઘેરવાની જાહેરાતના આગળના દિવસે જ આ હરકત કરવામાં આવી છે. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) આ ઘટનાની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ શનિવાર રાત્રે 1.30થી 2.30 વાગ્યા દરમિયાન ભારતીય વાણિજ્ય દુતાવાસમાં આગ લગાવી દીધી હતી. જો  કે સાન ફ્રાન્સિસ્કોના ફાયર વિભાગે તે આગ પર તરત જ કાબુ મેળવી દીધો હતો. 


ખાલિસ્તાનીઓએ વિડીયો જારી કર્યો


મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતના વાણિજ્ય દુતાવાસને બહું નુકસાન થયું નથી અને કોઈ કર્મચારી પણ ઘાયલ થયો નથી. કથિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાના સંદર્ભમાં એક વિડીયો જારી કર્યો છે, જો કે આ વીડિયો સાચો હોવાની પુષ્ટી કરવામાં આવી નથી.


અમેરિકાએ ઘટનાની નિંદા કરી 


અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે આ મામલે ટ્વીટ કર્યુ હતું. તેમણે કહ્યું  કે " અમેરિકા શનિવારે સાન ફ્રાંન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દુતાવાસ સામે કથિત બર્બરતા અને આગજનીના પ્રયાસોની કટુ નિંદા કરે છે" અમેરિકામાં રાજનૈતિક સુવિધાઓ કે વિદેશી રાજદુતો સામે બર્બરતા કે હિંસા એક મોટો અપરાધ છે."



ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.