Kheda : શાળાની છત તૂટી પડતા બાળકો થયા ઈજાગ્રસ્ત! રાજ્યમાં અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 17:03:09

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ તો બીજી તરફ અનેક એવા કિસ્સાઓ છે જ્યાં આ દાવાઓ પોકળ સાબિત થાય છે. બાળકો ભણવા તરફ વળે, ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક અભિયાનો, અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં ભણવું વિદ્યાર્થીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. અનેક શાળાઓ જર્જરિત હાલતમાં અને એ શાળાઓનું સમારકામ કરાવવાની જગ્યાએ તે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે અને ઘાયલ થાય છે! ખેડાથી આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં શાળામાં વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 3 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ 

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા. ભારતની ભાવિ પેઢીને જ્યાં સુધી શિક્ષિત નહીં હોય ત્યાં સુધી દેશ આગળ નહીં વધે તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. દેશના બાળકો ભણે તે માટે સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ પ્રોગામ ચલાવવામાં આવે છે. અનેક એવા કિસ્સાઓ છે જ્યાં શિક્ષણ મેળવવા માટે બાળકો જીવના જોખમે શાળામાં ભણવા જતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ માસુમ બન્યા છે. શાળામાં અભ્યાસ કરતી વખતે બાળકો પર પોપડો તૂટી પડ્યો. પોપડો તૂટી પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોના માથા પર સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. 


ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે!

અનેક એવી શાળાઓ છે જેની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય છે. ગમે ત્યારે સ્કૂલમાં દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેતી હોય છે. અનેક એવી શાળાઓ છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. અભ્યાસ માટે શાળામાં આવતા વિદ્યાર્થીઓના જીવ પર સંકટ રહેતું હોય છે, તેમના વાલીઓમાં પણ ટેન્શન રહેતું હોય છે. આ ઘટના સર્જાઈ તે બાદ ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓ ભારે રોષમાં દેખાતા હતા. તંત્રની બેદરકારીને કારણે છોકરાઓના જીવ પર જોખમ રહેતું હોય છે. શાળાની જર્જરિત હાલત ન માત્ર ગામડાઓમાં જોવા મળતી હોય છે પરંતુ શહેરોમાં અનેક શાળાઓની હાલત એવી છે.  

અમિત ચાવડાએ આ ઘટનાને લઈ કર્યું ટ્વિટ

ખેડામાં બનેલી આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. 3 દાયકાથી ભાજપ સરકારમાં લાખો-કરોડો શિક્ષણનું બજેટ યોગ્ય જગ્યાએ વાપરવાને બદલે સ્વપ્રસિદ્ધિ, ઉત્સવો તેમજ તાયફાઓ પાછળ ખર્ચાય છે જેનું આ પરિણામ છે. શાળાઓમાં સુવિધાઓ નથી, ગુણવત્તા નથી તો કઈ રીતે ભણશે ગુજરાત?     





ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.