Kheda : શાળાની છત તૂટી પડતા બાળકો થયા ઈજાગ્રસ્ત! રાજ્યમાં અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 17:03:09

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ તો બીજી તરફ અનેક એવા કિસ્સાઓ છે જ્યાં આ દાવાઓ પોકળ સાબિત થાય છે. બાળકો ભણવા તરફ વળે, ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક અભિયાનો, અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં ભણવું વિદ્યાર્થીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. અનેક શાળાઓ જર્જરિત હાલતમાં અને એ શાળાઓનું સમારકામ કરાવવાની જગ્યાએ તે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે અને ઘાયલ થાય છે! ખેડાથી આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં શાળામાં વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 3 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ 

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા. ભારતની ભાવિ પેઢીને જ્યાં સુધી શિક્ષિત નહીં હોય ત્યાં સુધી દેશ આગળ નહીં વધે તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. દેશના બાળકો ભણે તે માટે સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ પ્રોગામ ચલાવવામાં આવે છે. અનેક એવા કિસ્સાઓ છે જ્યાં શિક્ષણ મેળવવા માટે બાળકો જીવના જોખમે શાળામાં ભણવા જતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ માસુમ બન્યા છે. શાળામાં અભ્યાસ કરતી વખતે બાળકો પર પોપડો તૂટી પડ્યો. પોપડો તૂટી પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોના માથા પર સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. 


ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે!

અનેક એવી શાળાઓ છે જેની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય છે. ગમે ત્યારે સ્કૂલમાં દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેતી હોય છે. અનેક એવી શાળાઓ છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. અભ્યાસ માટે શાળામાં આવતા વિદ્યાર્થીઓના જીવ પર સંકટ રહેતું હોય છે, તેમના વાલીઓમાં પણ ટેન્શન રહેતું હોય છે. આ ઘટના સર્જાઈ તે બાદ ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓ ભારે રોષમાં દેખાતા હતા. તંત્રની બેદરકારીને કારણે છોકરાઓના જીવ પર જોખમ રહેતું હોય છે. શાળાની જર્જરિત હાલત ન માત્ર ગામડાઓમાં જોવા મળતી હોય છે પરંતુ શહેરોમાં અનેક શાળાઓની હાલત એવી છે.  

અમિત ચાવડાએ આ ઘટનાને લઈ કર્યું ટ્વિટ

ખેડામાં બનેલી આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. 3 દાયકાથી ભાજપ સરકારમાં લાખો-કરોડો શિક્ષણનું બજેટ યોગ્ય જગ્યાએ વાપરવાને બદલે સ્વપ્રસિદ્ધિ, ઉત્સવો તેમજ તાયફાઓ પાછળ ખર્ચાય છે જેનું આ પરિણામ છે. શાળાઓમાં સુવિધાઓ નથી, ગુણવત્તા નથી તો કઈ રીતે ભણશે ગુજરાત?     





રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.