Kheda : શાળાની છત તૂટી પડતા બાળકો થયા ઈજાગ્રસ્ત! રાજ્યમાં અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 17:03:09

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ તો બીજી તરફ અનેક એવા કિસ્સાઓ છે જ્યાં આ દાવાઓ પોકળ સાબિત થાય છે. બાળકો ભણવા તરફ વળે, ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક અભિયાનો, અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં ભણવું વિદ્યાર્થીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. અનેક શાળાઓ જર્જરિત હાલતમાં અને એ શાળાઓનું સમારકામ કરાવવાની જગ્યાએ તે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે અને ઘાયલ થાય છે! ખેડાથી આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં શાળામાં વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 3 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ 

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા. ભારતની ભાવિ પેઢીને જ્યાં સુધી શિક્ષિત નહીં હોય ત્યાં સુધી દેશ આગળ નહીં વધે તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. દેશના બાળકો ભણે તે માટે સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ પ્રોગામ ચલાવવામાં આવે છે. અનેક એવા કિસ્સાઓ છે જ્યાં શિક્ષણ મેળવવા માટે બાળકો જીવના જોખમે શાળામાં ભણવા જતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ માસુમ બન્યા છે. શાળામાં અભ્યાસ કરતી વખતે બાળકો પર પોપડો તૂટી પડ્યો. પોપડો તૂટી પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોના માથા પર સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. 


ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે!

અનેક એવી શાળાઓ છે જેની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય છે. ગમે ત્યારે સ્કૂલમાં દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેતી હોય છે. અનેક એવી શાળાઓ છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. અભ્યાસ માટે શાળામાં આવતા વિદ્યાર્થીઓના જીવ પર સંકટ રહેતું હોય છે, તેમના વાલીઓમાં પણ ટેન્શન રહેતું હોય છે. આ ઘટના સર્જાઈ તે બાદ ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓ ભારે રોષમાં દેખાતા હતા. તંત્રની બેદરકારીને કારણે છોકરાઓના જીવ પર જોખમ રહેતું હોય છે. શાળાની જર્જરિત હાલત ન માત્ર ગામડાઓમાં જોવા મળતી હોય છે પરંતુ શહેરોમાં અનેક શાળાઓની હાલત એવી છે.  

અમિત ચાવડાએ આ ઘટનાને લઈ કર્યું ટ્વિટ

ખેડામાં બનેલી આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. 3 દાયકાથી ભાજપ સરકારમાં લાખો-કરોડો શિક્ષણનું બજેટ યોગ્ય જગ્યાએ વાપરવાને બદલે સ્વપ્રસિદ્ધિ, ઉત્સવો તેમજ તાયફાઓ પાછળ ખર્ચાય છે જેનું આ પરિણામ છે. શાળાઓમાં સુવિધાઓ નથી, ગુણવત્તા નથી તો કઈ રીતે ભણશે ગુજરાત?     





મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.