Kheda : શાળાની છત તૂટી પડતા બાળકો થયા ઈજાગ્રસ્ત! રાજ્યમાં અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 17:03:09

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ તો બીજી તરફ અનેક એવા કિસ્સાઓ છે જ્યાં આ દાવાઓ પોકળ સાબિત થાય છે. બાળકો ભણવા તરફ વળે, ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક અભિયાનો, અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં ભણવું વિદ્યાર્થીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. અનેક શાળાઓ જર્જરિત હાલતમાં અને એ શાળાઓનું સમારકામ કરાવવાની જગ્યાએ તે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે અને ઘાયલ થાય છે! ખેડાથી આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં શાળામાં વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 3 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ 

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા. ભારતની ભાવિ પેઢીને જ્યાં સુધી શિક્ષિત નહીં હોય ત્યાં સુધી દેશ આગળ નહીં વધે તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. દેશના બાળકો ભણે તે માટે સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ પ્રોગામ ચલાવવામાં આવે છે. અનેક એવા કિસ્સાઓ છે જ્યાં શિક્ષણ મેળવવા માટે બાળકો જીવના જોખમે શાળામાં ભણવા જતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ માસુમ બન્યા છે. શાળામાં અભ્યાસ કરતી વખતે બાળકો પર પોપડો તૂટી પડ્યો. પોપડો તૂટી પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોના માથા પર સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. 


ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે!

અનેક એવી શાળાઓ છે જેની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય છે. ગમે ત્યારે સ્કૂલમાં દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેતી હોય છે. અનેક એવી શાળાઓ છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. અભ્યાસ માટે શાળામાં આવતા વિદ્યાર્થીઓના જીવ પર સંકટ રહેતું હોય છે, તેમના વાલીઓમાં પણ ટેન્શન રહેતું હોય છે. આ ઘટના સર્જાઈ તે બાદ ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓ ભારે રોષમાં દેખાતા હતા. તંત્રની બેદરકારીને કારણે છોકરાઓના જીવ પર જોખમ રહેતું હોય છે. શાળાની જર્જરિત હાલત ન માત્ર ગામડાઓમાં જોવા મળતી હોય છે પરંતુ શહેરોમાં અનેક શાળાઓની હાલત એવી છે.  

અમિત ચાવડાએ આ ઘટનાને લઈ કર્યું ટ્વિટ

ખેડામાં બનેલી આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. 3 દાયકાથી ભાજપ સરકારમાં લાખો-કરોડો શિક્ષણનું બજેટ યોગ્ય જગ્યાએ વાપરવાને બદલે સ્વપ્રસિદ્ધિ, ઉત્સવો તેમજ તાયફાઓ પાછળ ખર્ચાય છે જેનું આ પરિણામ છે. શાળાઓમાં સુવિધાઓ નથી, ગુણવત્તા નથી તો કઈ રીતે ભણશે ગુજરાત?     





ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?