કિમ-જોંગ-ઉનની દીકરી પહેલીવાર દુનિયાની સામે આવી


  • Published By :
  • Published Date : 2022-11-19 15:09:10

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વિશે એવી ઘણી બાબતો છે જે કોઈ જાણતું નથી. ખાસ કરીને તેમના અંગત જીવન વિશે ઘણી ઓછી બાબતો દુનિયા સમક્ષ જાહેર કરવામાં આવી છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે કિમ જોંગ ઉને પોતાની પુત્રી સાથે દુનિયાનો પરિચય કરાવ્યો છે.

Kim Jong Un Reveals Daughter To World For 1st Time At Missile Test

ઉત્તર કોરિયાએ શુક્રવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. રોયટર્સના રિપોર્ટ અનુસાર આ મિસાઈલ પરીક્ષણની સૌથી ખાસ વાત એ હતી કે કિમ જોંગની પુત્રી પણ તેની સાથે હાજર હતી. તે તેના પિતાનો હાથ પકડેલી જોવા મળી રહી છે. તે સફેદ જેકેટમાં જોવા મળી રહી છે.

Kim Jong-un children: North Korea leader appear for public wit im daughter  for di first time - BBC News Pidgin

પુત્રીનું નામ જાહેર કરાયું નથી

કિમ જોંગ પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો છુપાવે છે. ભલે તેમની દીકરીની તસવીરો દુનિયાની સામે આવી ગઈ હોય, પરંતુ તેનું નામ હજુ સુધી કોઈ જાણતું નથી. અમેરિકા સ્થિત સ્ટિમસન સેન્ટરના ઉત્તર કોરિયાના નેતૃત્વ નિષ્ણાતે કહ્યું છે કે કિમ જોંગની પુત્રી જાહેર કાર્યક્રમમાં પહેલીવાર જોવા મળી છે.

Kim Jong Un's daughter seen for first time in public at ballistic missile  launch | World News | Sky News

કિમ જોંગને ત્રણ બાળકો છે

નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાના કિમ જોંગને ત્રણ બાળકો છે. તેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. અગાઉ 2013 માં, નિવૃત્ત સ્ટાર ડોનિસ રોડમેને કહ્યું હતું કે કિમ-જોંગ-ઉનને જૂ એ નામની પુત્રી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.