કિમ-જોંગ-ઉનની દીકરી પહેલીવાર દુનિયાની સામે આવી


  • Published By :
  • Published Date : 2022-11-19 15:09:10

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વિશે એવી ઘણી બાબતો છે જે કોઈ જાણતું નથી. ખાસ કરીને તેમના અંગત જીવન વિશે ઘણી ઓછી બાબતો દુનિયા સમક્ષ જાહેર કરવામાં આવી છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે કિમ જોંગ ઉને પોતાની પુત્રી સાથે દુનિયાનો પરિચય કરાવ્યો છે.

Kim Jong Un Reveals Daughter To World For 1st Time At Missile Test

ઉત્તર કોરિયાએ શુક્રવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. રોયટર્સના રિપોર્ટ અનુસાર આ મિસાઈલ પરીક્ષણની સૌથી ખાસ વાત એ હતી કે કિમ જોંગની પુત્રી પણ તેની સાથે હાજર હતી. તે તેના પિતાનો હાથ પકડેલી જોવા મળી રહી છે. તે સફેદ જેકેટમાં જોવા મળી રહી છે.

Kim Jong-un children: North Korea leader appear for public wit im daughter  for di first time - BBC News Pidgin

પુત્રીનું નામ જાહેર કરાયું નથી

કિમ જોંગ પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો છુપાવે છે. ભલે તેમની દીકરીની તસવીરો દુનિયાની સામે આવી ગઈ હોય, પરંતુ તેનું નામ હજુ સુધી કોઈ જાણતું નથી. અમેરિકા સ્થિત સ્ટિમસન સેન્ટરના ઉત્તર કોરિયાના નેતૃત્વ નિષ્ણાતે કહ્યું છે કે કિમ જોંગની પુત્રી જાહેર કાર્યક્રમમાં પહેલીવાર જોવા મળી છે.

Kim Jong Un's daughter seen for first time in public at ballistic missile  launch | World News | Sky News

કિમ જોંગને ત્રણ બાળકો છે

નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાના કિમ જોંગને ત્રણ બાળકો છે. તેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. અગાઉ 2013 માં, નિવૃત્ત સ્ટાર ડોનિસ રોડમેને કહ્યું હતું કે કિમ-જોંગ-ઉનને જૂ એ નામની પુત્રી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .