કિમ-જોંગ-ઉનની દીકરી પહેલીવાર દુનિયાની સામે આવી


  • Published By :
  • Published Date : 2022-11-19 15:09:10

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વિશે એવી ઘણી બાબતો છે જે કોઈ જાણતું નથી. ખાસ કરીને તેમના અંગત જીવન વિશે ઘણી ઓછી બાબતો દુનિયા સમક્ષ જાહેર કરવામાં આવી છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે કિમ જોંગ ઉને પોતાની પુત્રી સાથે દુનિયાનો પરિચય કરાવ્યો છે.

Kim Jong Un Reveals Daughter To World For 1st Time At Missile Test

ઉત્તર કોરિયાએ શુક્રવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. રોયટર્સના રિપોર્ટ અનુસાર આ મિસાઈલ પરીક્ષણની સૌથી ખાસ વાત એ હતી કે કિમ જોંગની પુત્રી પણ તેની સાથે હાજર હતી. તે તેના પિતાનો હાથ પકડેલી જોવા મળી રહી છે. તે સફેદ જેકેટમાં જોવા મળી રહી છે.

Kim Jong-un children: North Korea leader appear for public wit im daughter  for di first time - BBC News Pidgin

પુત્રીનું નામ જાહેર કરાયું નથી

કિમ જોંગ પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો છુપાવે છે. ભલે તેમની દીકરીની તસવીરો દુનિયાની સામે આવી ગઈ હોય, પરંતુ તેનું નામ હજુ સુધી કોઈ જાણતું નથી. અમેરિકા સ્થિત સ્ટિમસન સેન્ટરના ઉત્તર કોરિયાના નેતૃત્વ નિષ્ણાતે કહ્યું છે કે કિમ જોંગની પુત્રી જાહેર કાર્યક્રમમાં પહેલીવાર જોવા મળી છે.

Kim Jong Un's daughter seen for first time in public at ballistic missile  launch | World News | Sky News

કિમ જોંગને ત્રણ બાળકો છે

નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાના કિમ જોંગને ત્રણ બાળકો છે. તેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. અગાઉ 2013 માં, નિવૃત્ત સ્ટાર ડોનિસ રોડમેને કહ્યું હતું કે કિમ-જોંગ-ઉનને જૂ એ નામની પુત્રી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.