મંત્રાલયમાં ફેરફારએ શું સજા છે?, પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-19 17:44:39

કાયદા મંત્રાલયમાંથી હટાવવા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે કાયદા મંત્રીના પદ પર રહીને તેમણે કોઈ ભૂલ કરી નથી. એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં શિફ્ટ થવું એ સામાન્ય પ્રક્રિયા છે. રિજિજુ આજે 19 મે, શુક્રવારની સવારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ચાર્જ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે આ વાત કરી હતી.


કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા 


ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, કિરેન રિજિજુએ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ કહ્યું કે, 'વિપક્ષ ચોક્કસ મારી ટીકા કરશે... કોઈ વિપક્ષ મારા વખાણ નહીં કરે, આમાં કંઈ નવું નથી, તેઓ ચોક્કસ મારી વિરુદ્ધ બોલશે. આ પરિવર્તન કોઈ ભૂલને કારણે થયું નથી. આ ફેરબદલ પ્રેમથી થયો છે….મંત્રાલય બદલાવ એ કોઈ સજા નથી, આ સરકારની યોજના છે, આ એક સામાન્ય બાબત છે, તે પીએમ મોદીનું વિઝન છે...’


રિજિજુને હટાવાતા રાજકારણ ગરમાયું હતું 


અત્રે ઉલ્લેખનિય છે કે 18 મેના રોજ કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટ ફેરબદલને મંજૂરી આપી હતી. રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો હતો.



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.