મંત્રાલયમાં ફેરફારએ શું સજા છે?, પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-19 17:44:39

કાયદા મંત્રાલયમાંથી હટાવવા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે કાયદા મંત્રીના પદ પર રહીને તેમણે કોઈ ભૂલ કરી નથી. એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં શિફ્ટ થવું એ સામાન્ય પ્રક્રિયા છે. રિજિજુ આજે 19 મે, શુક્રવારની સવારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ચાર્જ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે આ વાત કરી હતી.


કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા 


ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, કિરેન રિજિજુએ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ કહ્યું કે, 'વિપક્ષ ચોક્કસ મારી ટીકા કરશે... કોઈ વિપક્ષ મારા વખાણ નહીં કરે, આમાં કંઈ નવું નથી, તેઓ ચોક્કસ મારી વિરુદ્ધ બોલશે. આ પરિવર્તન કોઈ ભૂલને કારણે થયું નથી. આ ફેરબદલ પ્રેમથી થયો છે….મંત્રાલય બદલાવ એ કોઈ સજા નથી, આ સરકારની યોજના છે, આ એક સામાન્ય બાબત છે, તે પીએમ મોદીનું વિઝન છે...’


રિજિજુને હટાવાતા રાજકારણ ગરમાયું હતું 


અત્રે ઉલ્લેખનિય છે કે 18 મેના રોજ કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટ ફેરબદલને મંજૂરી આપી હતી. રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.