મંત્રાલયમાં ફેરફારએ શું સજા છે?, પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-19 17:44:39

કાયદા મંત્રાલયમાંથી હટાવવા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે કાયદા મંત્રીના પદ પર રહીને તેમણે કોઈ ભૂલ કરી નથી. એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં શિફ્ટ થવું એ સામાન્ય પ્રક્રિયા છે. રિજિજુ આજે 19 મે, શુક્રવારની સવારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ચાર્જ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે આ વાત કરી હતી.


કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા 


ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, કિરેન રિજિજુએ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ કહ્યું કે, 'વિપક્ષ ચોક્કસ મારી ટીકા કરશે... કોઈ વિપક્ષ મારા વખાણ નહીં કરે, આમાં કંઈ નવું નથી, તેઓ ચોક્કસ મારી વિરુદ્ધ બોલશે. આ પરિવર્તન કોઈ ભૂલને કારણે થયું નથી. આ ફેરબદલ પ્રેમથી થયો છે….મંત્રાલય બદલાવ એ કોઈ સજા નથી, આ સરકારની યોજના છે, આ એક સામાન્ય બાબત છે, તે પીએમ મોદીનું વિઝન છે...’


રિજિજુને હટાવાતા રાજકારણ ગરમાયું હતું 


અત્રે ઉલ્લેખનિય છે કે 18 મેના રોજ કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટ ફેરબદલને મંજૂરી આપી હતી. રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.