જાણો જમશેદજી ટાટા બાદ સૌથી યુવા દાનવીર વિશે જેમણે પોતાની અડધી સંપત્તિનું કરી દીધું દાન


  • Published By :
  • Published Date : 2023-06-08 17:53:42

હમણા ફોર્બ્સની અમીરોની લિસ્ટ શેર થઈ હતી જેમાં બે ભાઈઓની વાત થઈ હતી જેમાંથી એક તો સૌથી યુવા બિલિયોનર હતા. એ પોતે કામથ બ્રધર. નિખીલ કામથે જાહેરાત કરી છે કે તે પોતાની કમાણીનો મોટો ભાગ દાન કરી દેશે. અને આ જાહેરાતની સાથે તે આવું કરનાર ભારતના ચોથા ભારતીય બની ગયા છે. અગાઉ અજીમ પ્રેમજી, કિરણ મજૂમદાર અને રોહિણી અને નંદન નીલેકણિ ગિવિંગ પ્લેજ લિસ્ટમાં શામેલ થઈ ચૂક્યા છે. ગિવિંગ પ્લેજ લિસ્ટ એક અભિયાન છે જે વોરેન બફેટ, બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેસ્ટે બનાવ્યું છે. જેમાં અબજોપતિઓ લોકો પોતાની અડધી સંપત્તિ દુનિયાની સુખાકારી માટે દાન કરે છે. 


 ફોર્બ્સની લિસ્ટમાં નીતિન કામથનું નામ  

હમણા ફોર્બ્સની લિસ્ટમાં નીતિન કામથનું નામ આવ્યું હતું ત્યારે તેમની સંપત્તિ 2.7 અરબ ડોલર એટલે કે 22 હજાર કરોડ હતી. ફોર્બ્સની લિસ્ટમાં તેમનું નામ દુનિયાના ધનવાનોમાં 1 હજાર 104ના સ્થાને આવ્યું હતું. તેમના ભાઈ નીખિલ કામતની સંપત્તિ 1.1 અરબ ડોલર એટલે કે 9 હજાર કરોડ હતી. લિંક્ડઈનમાં નિખિલ કામત હંમેશા પોતાના મજાકિયા સ્ટાઈલમાં જવાબ આપવા માટે ચર્ચામાં રહેતા હોય છે. તે ઝેરોધા કંપનીના સહ સંસ્થાપક છે જે શેર માર્કેટમાં કામગીરી કરે છે. ઝેરોધાની અડધી સંપત્તિ દાન થવાની છે તો તે કંપની વિશે પણ વાત કરી લઈએ. ઝેરોધા એક ફાઈનાન્સિયલ સર્વિસ આપતી ભારતીય કંપની છે. જે શેર માર્કેટમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે માટેનું એક માધ્યમ છે. નીતિન કામથે 2010માં કંપની સ્થાપી હતી. 


વર્ષ 2010માં નિખિલ કામતે શરૂ કરી ઝેરોધા કંપની!

કામથ ભાઈઓની વાત કરીએ તો તે બે દશકથી શેર બજારમાં સક્રિય રીતે કામ કરે છે. કામથ ભાઈઓ બેંગ્લોરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં મોટા થયા. ખૂબ જ નાની ઉંમરે, તેણે શેરબજારમાં રસ લેવાનું શરૂ કર્યું. નીતિને શેરબજારમાં ટ્રેડિંગ કરવા માટે કોલેજ અધવચ્ચે જ છોડી દીધી. જ્યારે નિખિલે પોતાનો અભ્યાસ પૂરો કર્યો, ત્યારબાદ કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. એક ઈન્ટરવ્યુમાં નિખિલ કહે છે કે તેમણે 17 વર્ષની ઉંમરે કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને દર મહિને 8 હજાર રૂપિયા પગાર મળતો હતો. તેઓએ સાથે મળીને 2010માં ઝેરોધા નામની કંપની શરૂ કરી હતી. 


ઝેરોધા કંપની શેરમાર્કેટ સાથે છે સંકળાયેલી! 

તેનો હેતુ શેરબજારમાં ટ્રેડિંગને સરળ અને સસ્તું બનાવવાનો હતો. વેબસાઈટ દ્વારા ડીમેટ ખાતું બનાવવું અને ટ્રેડિંગ કરવું સરળ બન્યું છે. ધીરે ધીરે કંપની ઉદ્યોગપતિઓમાં ફેમસ થવા લાગી. અને થોડા જ વર્ષોમાં, Zerodha ભારતની સૌથી મોટી રિટેલ બ્રોકરેજ કંપનીઓમાંની એક બની ગઈ. શેરબજાર ઉપરાંત, ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ, વીમો, ડિજિટલ ગોલ્ડ સહિત ઘણી નાણાકીય સેવાઓ પણ પ્રદાન કરે છે. કંપની 60 લાખથી વધુ ગ્રાહકો હોવાનો દાવો કરે છે. ઝીરોધામાં દરરોજ 9 હજાર કરોડ રૂપિયાનો વેપાર થાય છે.


આની પહેલા પણ સંપત્તિનું કરી ચૂક્યા છે દાન!

એવું નથી કે પહેલીવાર તે દાન કરવા જઈ રહ્યા છે. અગાઉ પણ તે દાન કરી ચૂક્યા છે. 2022માં નીખીલ અને નીતિન કામથે 100 કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. ગિવિંગ પ્લેજ લિસ્ટમાં 50 ટકા સંપત્તિ દાન કરવાની હોય છે પણ એ તો તેમણે હાલ કરી છે. 50 ટકા સંપત્તિ દાન કરવા પહેલા તે યંગ ઈન્ડિયા ફિલેથ્રોપિક પ્લેજ પણ લઈ ચૂક્યા છે. એટલે કે અગાઉ સંપત્તિના 25 ટકાનો ભાગ દાન કરી ચૂક્યા છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.